Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ઇન્ટરનેશનલટૉપ ન્યૂઝટ્રેન્ડિંગ

હવે યુદ્ધ વિરામનો ભંગ પાક.ને ભારે પડશે

Mon, May 12 2025

યુદ્ધ વિરામ જાહેર થયા બાદ બંને દેશના DGMO વચ્ચે વાતચીત પહેલા જ ભારતે આપ્યો કડક સંદેશો

આજે બપોરે DGMO યુદ્ધ વિરામ પહેલાની અને પછીની સ્થિતિની કરશે સમિક્ષા : ભારત યુદ્ધ વિરામ ભંગનો મુદ્દો ઉઠાવશે

ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ વિરામની જાહેરાત પછી પહેલી વખત સોમવારે બપોરે બંને દેશોના ડાયરેક્ટર જનરલ ઓફ મિલિટ્રી ઓપરેશન્સ વચ્ચે બેઠક થશે અને હાલની સ્થિતિની સમિક્ષા થશે. આ મંત્રણા ભારતના ડીજીએમઓ લેફ્ટનન્ટ જનરલ રાજીવ ઘાઈ તથા પાકિસ્તાનનાં ડીજીએમઓ મેજર જનરલ કાશિફ અબ્દુલ્લાહ વચ્ચે થશે. સુત્રોના જણાવ્યા અનુસાર, આ બેઠકમાં ભારત તરફથી પાકિસ્તાને કરેલા યુદ્ધ વિરામ ભંગનો મુદ્દો ઉઠાવવામાં આવશે. આ પૂર્વે રવિવારે સાંજે ભારતના ડીજીએમઓ રાજીવ ઘાઈએ સ્પષ્ટ કહ્યું હતું કે, યુદ્ધ વિરામની જાહેરાત પછી પણ પાકિસ્તાને ફાયરીંગ ચાલુ રાખ્યુ હતું અને દેશના સી.ડી.એસ.ચૌહાણે સેનાની ત્રણેય પાંખોને જો હવે યુદ્ધ વિરામ સંધિનો ભંગ થાય તો જડબાતોડ જવાબ આપવાની છૂટ આપી છે. પાકિસ્તાન હવે ભૂલ કરશે તો તેને ખબર પડશે કે ભારત શું કરી શકે છે.

શનિવારે જયારે ભારત તરફથી યુદ્ધ વિરામ અંગે જાહેરાત કરવામાં આવી ત્યારે જ બંને દેશોના ડીજીએમઓ સોમવારે બપોરે ૧૨ વાગ્યે વાતચીત કરશે તેવી જાહેરાત કરવામાં આવી હતી. હવે સોમવારે બપોરે બંને દેશો વચ્ચે મંત્રણા થવાની છે ત્યારે ભારત યુદ્ધ વિરામ ભંગનો મુદ્દો જોરશોરથી ઉઠાવશે અને પાકિસ્તાન પાસે ખુલાસો માગશે.

સુત્રોએ કહ્યુ કે, સોમવારની બેઠકમાં પહેલગામ સિવાય કોઈ બીજા મુદ્દે વાતચીત નહી થાય.

ઓપરેશન સિંદુર હજુ ચાલુ જ છે : એરફોર્સ

અમને જે ટાસ્ક મળ્યા તે અમે પૂર્ણ કર્યા’ ભારતીય વાયુસેનાનું મોટું નિવેદન

ભારતીય વાયુસેનાએ ‘ઓપરેશન સિંદૂર’ અંગે મહત્વનું નિવેદન જાહેર કર્યું છે, જેમાં જણાવાયું છે કે આ ઓપરેશન હજુ પણ ચાલુ છે અને સેનાએ તેને સોંપાયેલા તમામ ટાસ્કને ચોકસાઈ અને વ્યાવસાયિકતા સાથે પૂર્ણ કર્યા છે. ભારતીય વાયુસેનાએ આ નિવેદન સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરીને દેશવાસીઓને આ માહિતી આપી છે.
વાયુસેના એ જણાવ્યું છે કે, ઓપરેશન સિંદૂર સફળતાપૂર્વક હાથ ધરવામાં આવ્યું છે. આ કામગીરી રાષ્ટ્રીય હિતને ધ્યાનમાં રાખીને વિચારપૂર્વક હાથ ધરવામાં આવી હતી. ઓપરેશન હજુ પણ ચાલુ છે. આ અંગે વિગતવાર માહિતી આગળ આપવામાં આવશે. વાયુસેનાએ લોકોને અફવાઓથી દૂર રહેવાની અપીલ પણ કરી છે.

પાકિસ્તાને ગભરાઈને યુદ્ધ વિરામ માટે વિનંતી કરી હતી : DGMO

સેનાની ત્રણેય પાંખના ડીજી સાથે પત્રકાર પરિષદ યોજી ઓપરેશન સિંદુરની વિગત આપી

આતંકવાદને ખતમ કરવા માટે ભારતે જે પગલા લીધા હત તે સફળ થયા છે અને ટાર્ગેટ અને હેતુ હાંસલ કરી લીધા છે તેવો દાવો ડાયરેક્ટર જનરલ ઓફ મીલીટરી ઓપરેશન્સ રાજીવ ઘાઈએ પત્રકારો સમક્ષ કર્યો હતો. રવિવારે સાંજે સીડીએમઓ ઉપરાંત સેનાની ત્રણેય પાંખનાં ડીજીએ એક પત્રકાર પરિષદને સંબોધી હતી. સેનાના આ અધિકારીઓએ સ્પષ્ટ કહ્યું હતું કે ભારતીય સેનાએ પાકિસ્તાનનાં ૯ કેમ્પમાં રહેલા આતંકીઓના કેમ્પનો ખાત્મો બોલાવ્યો છે અને આ ઓપરેશનમાં ૧૦૦ જેટલા આતંકીઓ માર્યા ગયા છે. વધુમાં ૩૫ થી ૪૦ પાકિસ્તાની જવાનો અને અધિકારીઓ પણ માર્યા ગયા છે. ભારતે પણ પાંચ જવાનો ખોયા છે.

રાજીવ ઘાઈએ કહ્યું હતું કે, ભારતે લીધેલા પગલાથી ગભરાઈને પાકિસ્તાનનાં ડીજીએમઓએ ગભરાઈને યુદ્ધ વિરામ માટે વિનંતી કરી હતી અને તે ભારતે સ્વીકારી હતી.

એર માર્શલ એ.કે.ભારથીએ કહ્યું હતું કે, આ સંઘર્ષ દરમિયાન પાકિસ્તાનનું એક પણ વિમાન ભારતમાં ઘુસી શક્યું નથી. કેટલાક સ્થળેથી ઘુસણખોરીનો પ્રયાસ જરૂર થયો હતો. તેમણે એમ પણ કહ્યું હતું કે, હજુ ભવિષ્યમાં જરુરુ પડે તો પગલાં લેવામાં આવશે.

વાઈસ એડમિરલ એ.એન.પ્રમોદે કહ્યું હતું કે, પાકિસ્તાને ડ્રોન મોકલ્યા હતા અને તે તમામને તોડી પાડવામાં આવ્યા હતા. આ ઓપરેશન દરમિયાન આતંકવાદીઓને ખતમ કરવા એ એક જ મકસદ હતો અને તેમાં સફળ થયા છીએ.

સેનાના ડીજી સંદીપ સારડાએ કહ્યું હતું કે, આ ઓપરેશન દરમિયાન ભારતના તમામ પાઈલોટ સુરક્ષિત રહ્યા છે. ભારતે પાકિસ્તાનના કેટલાક જેટ વિમાન તોડી પાડ્યા છે.

Share Article

Other Articles

Previous

આતંકવાદીઓના અંતિમ સંસ્કારમાં પાકિસ્તાની અધિકારીઓ ઉપસ્થિત

Next

કાશ્મીર સમસ્યાના ઉકેલ માટે મધ્યસ્થી બનવા ટ્રમ્પ તૈયાર

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
3 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
3 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
3 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
4 સપ્તાહs પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 મહિના પહેલા
ગુજરાત
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ : અરબી સમુદ્રમાં ચક્રવાતી સિસ્ટમ ઉદભવતા ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
1 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
રાજકોટમાં દોઢ વર્ષથી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતો બોગસ ડૉક્ટર પકડાયો : ઈન્જેક્શન, ટેબ્લેટ, સીરપ સહિતની દવાનો જથ્થો જપ્ત
21 મિનિટutes પહેલા
વિસાવદર બેઠક પર આમ આદમી પાર્ટીનો વિજય વાવટો ફરક્યો, 21 રાઉન્ડમાં અંતે આપના ગોપાલ ઇટાલિયાને 75,906 મત
2 કલાક પહેલા
વિસાવદરમાં 21 રાઉન્ડના અંતે ગોપાલ ઇટાલિયાનો ઝળહળતો વિજય, મતદારોએ ભાજપને વધુ એક વખત આપ્યો આંચકો
2 કલાક પહેલા
પેટાચૂંટણીનું પરિણામ જાહેર : કડીમાં ફરી ભાજપનો ભગવો લહેરાયો, રાજેન્દ્ર ચાવડા રેકોર્ડબ્રેક 38904 મતથી જીત્યા
2 કલાક પહેલા
Categories

નેશનલ

2205 Posts

Related Posts

પાંચ વર્ષમાં 3 કરોડ મહિલાઓને લખપતિ દીદી બનાવવા છે : મોદી
ગુજરાત
4 મહિના પહેલા
દેશ અને વિદેશમાં ક્યાં આવ્યો ભૂકંપ ? વાંચો
ટ્રેન્ડિંગ
10 મહિના પહેલા
રાજકોટ : લોકમેળાના ધંધાર્થીઓને દોઢ કરોડથી વધુનું રિફંડ ચુકવાયું
રાજકોટ
9 મહિના પહેલા
T20 World Cup 2024 : પાકિસ્તાન પણ ટીમ ઈન્ડિયાને સુપર 8માં પહોંચાડવા કરશે દુઆ !! જાણો શું છે કારણ
ગુજરાત
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર