જગદગુરુ રામભદ્રાચાર્યએ આર્મી ચીફ ઉપેન્દ્ર દ્વિવેદીને આપી રામ મંત્રની દીક્ષા, કહ્યું- તમે શસ્ત્રોથી લડો, હું શાસ્ત્રોથી લડીશ
ભારતીય સેનાના વડાં જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ મધ્યપ્રદેશના ચિત્રકૂટ ખાતે આધ્યાત્મિક જગદગુરુ રામભદ્રાચાર્યના આશ્રમની મુલાકાત લઈને તેમની પાસે રામ મંત્રની દિક્ષા લીધી હતી અને સૌના આશ્ચર્ય વચ્ચે આ દિક્ષાના બદલામાં જગદગુરુ રામભદ્રાચાર્યએ સેનાના વડા પાસે પાકિસ્તાન હસ્તકના કાશ્મીરની માગણી કરી હતી.
સેનાના વડાં દ્વિવેદીએ ચિત્રકૂટ ખાતે આશ્રમની મુલાકાત લીધી હતી અને કેટલોક સમય ગાળ્યો હતો. આ મુલાકાત વિશે વાત કરતા, જગદગુરુ રામભદ્રાચાર્યએ જણાવ્યું કે આર્મી ચીફ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ મારી પાસેથી રામ મંત્રની દીક્ષા લીધી. છે. મેં તેમને એ જ રામ મંત્ર આપ્યો જે માતા સીતાએ ભગવાન હનુમાનને આપ્યો હતો અને પછી તેમણે લંકા પર વિજય મેળવ્યો હતો. મેં તેમની પાસેથી દક્ષિણા માંગી છે કે, મને POK જોઈએ છે.
જગદગુરુએ તુલસી પીઠ નિવાસસ્થાને પત્રકારોને જણાવ્યું કે આર્મી ચીફનું સન્માન કરવામાં તેમને ખૂબ ગર્વ છે. તેમણે કહ્યું કે જો પાકિસ્તાન ભવિષ્યમાં કોઈ આતંકવાદી ઘટનાને અંજામ આપશે તો તેનો નાશ થશે. તેમણે એમ પણ કહ્યું કે આર્મી ચીફે તેમની પાસેથી એ જ મંત્રની દીક્ષા લીધી હતી, જે સીતાજીએ લંકા પર વિજય મેળવવા માટે હનુમાનજીને આપી હતી.
આર્મી ચીફની આ મુલાકાત માત્ર આધ્યાત્મિક જ નહીં પણ સામાજિક ચિંતાઓ સાથે પણ સંબંધિત હતી. તેમણે સદગુરુ આંખની હોસ્પિટલનું નિરીક્ષણ કર્યું અને સદગુરુ સેવા સંઘ ટ્રસ્ટ દ્વારા આયોજિત સન્માન સમારોહમાં પણ ભાગ લીધો હતો. આ દરમિયાન પદ્મશ્રી ડૉ. બી.કે. જૈને તેમનું સ્વાગત કર્યું. જનરલ દ્વિવેદીએ ગુરુ રામભદ્રાચાર્યને સ્મૃતિચિહ્ન અર્પણ કર્યું અને તેમના સેવા કાર્યની પ્રશંસા કરી અને તેમને ભારતની આધ્યાત્મિક અને સામાજિક શક્તિનું પ્રતીક ગણાવ્યા. આર્મી ચીફના આગમન પહેલા જ તુલસી પીઠ વિસ્તારમાં વ્યાપક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી હતી. આશ્રમથી કાચ મંદિર સુધી દરેક વળાંક પર પોલીસ અને સુરક્ષા દળોનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. એવું કહેવામાં આવી રહ્યું છે કે તેમના આગમનથી માત્ર આધ્યાત્મિક વાતાવરણ જ નહીં પરંતુ વિસ્તારમાં દેશભક્તિની ભાવના પણ જીવંત થઈ.
POK એક દિવસ આપણું થઈને રહેશે : રાજનાથ
રક્ષામંત્રી રાજનાથસિંહે સ્પષ્ટ કહ્યુ છે કે, પાકિસ્તાનના ગેરકાયદે કબજામાં રહેલું પાકિસ્તાન એક દિવસ આપણુ થઈને રહેશે. પાકિસ્તાન સાથે હવે માત્ર આતંકવાદ અને પી.ઓ.કે. અંગે જ વાત થશે. તેમણે કહ્યું કે, પી.ઓ.કે. માં રહેતા લોકો આપણા જ છે અને એક દિવસ તે લોકો જ કહેશે કે તેઓ ભારતનો હિસ્સો છે. તેઓ દિલ્હીમાં સી.આઈ.આઈ. નાં વાર્ષિક વ્યાપાર શિખર સંમેલનમાં બોલી રહ્યા હતા.
રાજનાથસિંહે કહ્યું કે, કરવું હોય તો ભારત ઘણું કરી શકે છે પણ આપણે વિશ્વ સમક્ષ શક્તિ અને સંયમનું ઉદાહરણ બેસાડ્યું છે. પાકિસ્તાનને પણ અહેસાસ થઇ ગયો છે કે આતંકવાદને કારણે તેને કેટલું નુકસાન ગયું છે.
રાજનાથસિંહે એમ પણ કહ્યું કે, સરકારને પૂરો વિશ્વાસ ચ એકે, આપણા જે ભાઈઓ ભૌગોલિક અને રાજકીય રીતે આપણાથી અલગ થઇ ગયા છે તે એક દિવસ ભારત સાથે ભળી જશે.
”એક બાર અગર મે કમિટમેન્ટ કર લેતા હું તો ફીર અપને આપકી ભી નહી સુનતા..”
સી.આઈ.આઈ.નાં વાર્ષિક વ્યાપાર શિખર સંમેલનમાં ઉપસ્થિત એર ચીફ માર્શલ અમર પ્રીત સિંહે કહ્યું કે ઓપરેશન સિંદૂરથી તેની ટેકનોલોજી વિશે ભવિષ્યનો ખ્યાલ આવ્યો છે.ઓપરેશન સિંદૂરથી આપણને ભવિષ્યમાં શું કરવાનું છે તેનો ખ્યાલ આવ્યો છે. હજુ ઘણું કામ બાકી છે. પાકિસ્તાનને ચેતવણી આપતા તેમણે કહ્યું હતું કે, પ્રાણ જાય પર વચન ના જાય…એક બાર અગર મે કમિટમેન્ટ કર લેતા હું તો ફીર અપને આપકી ભી નહી સુનતા….” તેમણે એમ પણ કહ્યું હતું કે, ઓપરેશન સિંદૂર એ ભારતની જીત છે અને તેના માટે દરેક ભારતીયનો આભાર માનું છું. આ જીતમાં દરેક ભારતીયે યોગદાન આપ્યું છે.