ક્યા પરિવારમાં કેટલા બાળકો? તેજસ્વી યાદવે યાદી જાહેર કરી
કોને કેટલા બાળકો એ પણ પ્રચારનો મુદ્દો!
ભારતના રાજકારણમાં અચાનક જ કોને કેટલા બાળકો એ મુદ્દો પણ ચર્ચામાં આવી ગયો છે. વડાપ્રધાન મોદીએ રાજસ્થાનની એક સભામાં કોંગ્રેસ લોકોની સંપત્તિ વધુ બાળકો ધરાવનારાઓને વહેચી દેશે તેવો દાવો કર્યો હતો. ભાજપના એક સાંસદે પૂછ્યું હતું કે ‘વસ્તી કોણ વધારે છે? મોદી અને યોગીને તો એક પણ બાળક નથી એટલે તેમણે તો વસ્તી નથી જ વધારી’. બિહારના મુખ્યમંત્રી નીતિશકુમારે લાલુપ્રસાદની ‘ ઇલેવન ‘ નો ઉલ્લેખ કરીને ટિપ્પણી કરી હતી કે આટલા બધા બાળકો પેદા કરવાની શું જરૂર હતી?
આ બધા નેતાઓએ આ ટિપ્પણીઓ અલગ અલગ સંદર્ભમાં કરી હતી અને તેના સમાજના અલગ અલગ સમુદાયોમાંથી અલગ અલગ પ્રતિભાવ પ્રાપ્ત થયા હતા. જો કે આ મુદ્દો હવે હોટ ટોપીક બની ગયો છે. લાલુ પ્રસાદ ના પુત્ર તેજસ્વી યાદવે કહ્યું કે આવી બધી ચર્ચા નિરર્થક છે. દેશના નેતાઓએ મોંઘવારી અને બેરોજગારી જેવા પ્રજાને સ્પર્શતા મુદ્દાઓની ચર્ચા કરવી જોઈએ. નીતીશ કુમારે આવી ટિપ્પણી કરી તે દુઃખદ છે તેમ જણાવી તેમણે ભારતના હયાત અને દિવંગત નેતાઓના પરિવારોના બાળકોની સંખ્યા ની યાદી જાહેર કરી દીધી હતી.
ક્યા પરિવારમાં કેટલા બાળકો? તેજસ્વી યાદવે હિસાબ આપ્યો
બાબાસાહેબ આંબેડકર- 14 ભાઈ બહેન
સુભાષચંદ્ર બોઝ. – 14 ભાઈ બહેન
વી. વી. ગીરી. 14 બાળકોના પિતા
અટલબિહારી બાજપાઈ- 7 ભાઈ બહેન
નીતીશ કુમાર. – 6 ભાઈ બહેન
વડાપ્રધાન મોદી. – 5 ભાઈ બહેન
વડાપ્રધાનના પિતા. – 7 ભાઈ બહેન
અમિત શાહ. – 6 બહેનો
રવિશંકર પ્રસાદ. – 7 ભાઈ બહેન
એચ. ડી.દેવગૌડા. – 6 બાળકોના પિતા
નરસિંહ રાવ. – 8 બાળકોના પિતા