ઊજવલા યોજનાના લાભાર્થીઓને હવે ગેસ સિલિન્ડર રૂપિયા 600 માં મળશે
ગરીબોકા એલપીજી સસ્તા હુઆ કયા, ઝરા દેખો તો ચુનાવ આયા કયા ?
આપણા દેશની અજીબ ચાલ રહી છે. જ્યારે ચુંટણી નજીક હોય ત્યારે શાસકોને અચાનક લોકોને રાહત આપવાનો એટેક આવે છે અને હવે આ પ્રક્રિયા આપણે ત્યાં સ્ટાન્ડર્ડ બની ગઈ છે. મોદી કેબિનેટે આ પરંપરા જાળવી રાખી છે અને એક નિર્ણય જાહેર કર્યો હતો જેમાં સામાન્ય લોકોને એલપીજીના ભાવમાં રાહત આપી હતી.
કેબિનેટે ઊજ્જવલા યોજનાનાં લાભાર્થીઓની સબ્સિડી 200 રૂપિયાથી વધારીને 300 રૂપિયા કરી દીધી છે. કેબિનેટે રક્ષાબંધન અને ઓણમનાં દિવસે એલપીજીમાં 200 રૂપિયાનાં ઘટાડાની ઘોષણા કરી હતી હવે આજે ઊજ્જવલા યોજનાનાં લાભાર્થીઓ માટે 200થી વધારીને 300 રૂપિયાની સબ્સિડી કરી દેવામાં આવી છે.
કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે મીટિંગ બાદની પ્રેસ કોન્ફેરેન્સમાં કહ્યું હતું કે, વડાપ્રધાન મોદીની અધ્યક્ષતામાં કેબિનેટ મીટિંગ થઈ હતી . અમે રક્ષાબંધન અને ઓણમનાં પર્વે રાંધણ ગેસનાં સિલિન્ડરમાં 200 રૂપિયાનો ઘટાડો કર્યો હતો. ત્યારે કિંમત 1100થી ઘટીને 900 રૂપિયા થઈ હતી. તે સમયે ઊજ્જવલા યોજનનાં લાભાર્થીઓને 700 રૂપિયામાં સિલિન્ડર મળતો હતો.
હવે ઊજ્જવલા યોજનાની લાભાર્થી બહેનોને 300 રૂપિયાની સબ્સિડી મળશે એટલે કે ઊજ્જવલા યોજનાનાં લાભાર્થીઓને હવેથી ગેસ સિલિન્ડર 600 રૂપિયામાં મળશે’
અન્ય શું નિર્ણયો લેવાયા?
કેબિનેટે વન દેવતાનાં નામ પર તેલંગાણામાં કેન્દ્રીય આદિવાસી વિશ્વવિદ્યાલય ખોલવાની મંજૂરી આપી દીધી છે. આ સેંટ્રલ ટ્રાઈબલ યૂનિવર્સિટી 889 કરોડનાં ખર્ચે બનશે.
કેબિનેટે સેન્ટ્રલ ટર્મરિક બોર્ડ બનાવવાની પણ મંજૂરી આપી દીધી. પીએમ મોદીએ આ અંગે તેલંગાણામાં જાહેરાત કરી હતી.