રાજા રઘુવંશી હત્યાકાંડ વચ્ચે વધુ એક કપલ હનીમૂનમાં લાપતા : સિક્કિમ ગયેલા યુપીના દંપતી સહિત 10 લોકો લાપતા
હાલ સમગ્ર દેશમાં એક જ વાત ચાલી રહી છે રાજા રઘુવંશી અને સોનમ રઘુવંશીની વિશે. સોનમે હનીમૂન દરમિયાન રાજાની હત્યા કરાવી નાખી હતી ત્યારે રાજા સોનમ કેસ વચ્ચે સિક્કિમમાં તારીખ 29 મે ના રોજ બનેલી દુર્ઘટનામાં એક વાહન નદીમાં ખાબકતા તેમાં બેઠેલા ઉતરપ્રદેશના નવદંપતી સહિત દસ લોકો લાપતા બનતાં તેમની નિયતિ અંગે ઘેરી ચિંતાની લાગણી છવાઈ છે.

બનાવની વિગત એવી છે કે ઉત્તર પ્રદેશ ભાજપના નેતા ઉમેદ સિંહ ના પ્રતાપગઢમાં રહેતા ભત્રીજા કૌશલેન્દ્ર પ્રતાપ સિંહ ના તારીખ 5 મેના રોજ અંકિતા સિંઘ સાથે લગ્ન થયા હતા. એ દંપતી હનીમૂન માણવા માટે 25 મેના રોજ ટ્રેન દ્વારા સિક્કિમ જવા રવાના થયું હતું અને તારીખ 26 ના રોજ સિક્કિમના માંગન જિલ્લામાં ઉતર્યા હતા.

ઉમેદ સિંહના જણાવ્યા મુજબ એ દંપતિ 29 મેના રોજ એક વાહનમાં લાલચંદ થી લાપુંગ પરત ફરી રહ્યા હતા ત્યારે ભારે વરસાદ વચ્ચે તેમનું વાહન તિસ્તા નદીમાંખાબક્યું હતું. એ વાહનમાં આ દંપતી ઉપરાંત ઉત્તર પ્રદેશ અને ત્રિપુરાના બે બે અને ઓરિસ્સાના ચાર લોકો હતા.
આ પણ વાંચો : રાજકોટની બે બહેનપણી ગાયબ: 15 વર્ષની સગીરા ઘરેથી 20 હજારની રોકડ લઈ સહેલી સાથે ગુમ, વાંચો શું છે સમગ્ર ઘટના
આ બનાવની જાણ થતા SDRT અને NDRFની ટીમોએ સઘન શોધખોળ હાથ કરી હતી પરંતુ આજ સુધી કોઈનો અતોપતો ન લાગતાં અમંગળ આશંકાઓ સેવાઈ રહી છે.પરિવારજનોએ આપેલી માહિતી મુજબ અંકિતા લખનૌની મેંદાતા હોસ્પિટલના મેડિસિન વિભાગમાં નોકરી કરતી હતી જ્યારે કૌશલેન્દ્ર દિલ્હીમાં સિવિલ સેવા પરીક્ષાની તૈયારી કરતો હતો.