તાવ, એસીડીટી અને દુઃખાવા સહિતની 52 દવાઓ ગુણવત્તામાં ફેઈલ
વડોદરા, ઇન્દોર, જયપુર અને હૈદરાબાદ સહિતના શહેરોમાંથી લેવાયા હતા નમુના
દવા કંપનીઓને નોટીસ ફટકારાઈ : તમામ દવાઓ બજારમાંથી પાછી ખેંચાશે
આપણે બીમાર પડીએ તો એલોપથીની શરણે જઈને તરત દવાઓનું સેવન કરવા લાગીએ છીએ પણ આ દવા ગુણવત્તામાં કેટલી યોગ્ય છે તે ક્યારેય ચકાસતા નથી. આ સંદર્ભે એક ચોંકાવનારા સમાચાર એ આવ્યા છે કે, તાજેતરમાં પેરાસીટામોલ સહિતની કુલ ૫૨ દવાના નમુના ગુણવત્તામાં નબળા સાબિત થયા છે. આ દવાઓમાં સામાન્ય દુખાવાથી લઈને એસીડીટી સુધીની દવાઓનો સમાવેશ થાય છે.
ભારતની સર્વોચ્ચ ઔષધ નિયામક સંસ્થાના જણાવ્યા અનુસાર, જેની તપાસ કરવામાં આવી હતી તેમાં પેરાસિટામોલ, પેન્ટોપ્રાઝોલ અને જીવાણુ સંક્રમણની સારવાર માટે કેટલીક એન્ટિબાયોટિક્સનો સમાવેશ થાય છે. કેન્દ્રીય ઔષધ માનક નિયંત્રણ સંગઠન (CDSCO) દ્વારા જારી કરાયેલા એલર્ટ અનુસાર, આ નિમ્ન કક્ષાની દવાઓમાંથી 22 હિમાચલ પ્રદેશમાં નિર્મિત છે. હિમાચલ પ્રદેશ ઉપરાંત નમૂનાઓ જયપુર, હૈદરાબાદ, ગુજરાતના વાઘોડિયા અને વડોદરા, આંધ્ર પ્રદેશ અને ઇન્દોર સહિત અન્ય સ્થળોએથી એકત્રિત કરવામાં આવ્યા હતા.
સૂત્રોએ જણાવ્યું કે રાજ્ય દવા નિયામકોએ કથિત રીતે સંબંધિત દવા કંપનીઓને નોટિસ મોકલી છે અને નિષ્ફળ નમૂનાઓને બજારમાંથી પાછા મંગાવવામાં આવશે. નિમ્ન કક્ષાની દવાઓની યાદીમાં ક્લોનાઝેપમ ટેબ્લેટ્સનો સમાવેશ થાય છે. જેનો ઉપયોગ આંચકી અને ચિંતા વિકારોની સારવાર માટે કરવામાં આવે છે. દર્દ નિવારક ડિક્લોફેનાક, એન્ટી-હાયપરટેન્શન દવા ટેલ્મિસર્ટન, એમ્બ્રોક્સોલ, જેનો ઉપયોગ શ્વસન રોગોની સારવારમાં થાય છે, ફ્લુકોનાઝોલ, એક એન્ટિફંગલ, અને કેટલીક મલ્ટીવિટામિન અને કેલ્શિયમની ગોળીઓનો સમાવેશ થાય છે. ગયા વર્ષે હિમાચલ પ્રદેશમાં નિર્મિત લગભગ 120 દવાઓના નમૂનાઓ પરીક્ષણ માપદંડો પર નિષ્ફળ રહ્યા હતા.
માનક ગુણવત્તાની ન જણાયેલી દવાઓની યાદીમાં ક્લોનાઝેપમ ટેબ્લેટનો સમાવેશ થાય છે, જેનો ઉપયોગ આંચકી અને ઘબરાહટની સારવાર માટે કરવામાં આવે છે. તેમજ તેમાં દર્દ નિવારક ડાયક્લોફેનાક, એન્ટી-હાયપરટેન્શન દવા ટેલ્મિસાર્ટન, એમ્બ્રોક્સોલ, ફ્લુકોનાઝોલ અને કેટલીક મલ્ટીવિટામિન અને કેલ્શિયમની ગોળીઓનો સમાવેશ થાય છે.