Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Lavajam 2025
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ધાર્મિક

રતનપરમાં આવેલું છે ધનુષ આકારનું વિશ્વનું સૌથી મોટું મંદિર

Mon, July 1 2024

“શ્રી રામ ચરિત માનસ” મંદિરમાં આવે છે દેશભરમાંથી શ્રદ્ધાળુઓ: રામસેતુ સમયનો પથ્થર આજે પણ અહી પાણીમાં તરે છે: મંદિરમાં તૈયાર કરાઇ છે રામાયણના પ્રસંગોની ઝાંખી

રાજકોટથી અંદાજે 15 કિલોમીટર દૂર આવેલા રતનપર ગામમાં શ્રી રામ ચરિત માનસ મંદિર આવેલુ છે. આ મંદિરની ખાસિયતની વાત કરવામાં આવે તો આ મંદિર વિશ્વનું સૌથી મોટુ ધનુષ આકારનું મંદિર માનવામાં આવે છે. આ મંદિરની સૌથી મોટી વિશેષતા એ છે કે, આ મંદિરમાં રામસેતુ સમયનો પથ્થર અહિંયા પાણીમાં તરે છે. જેને જોવા લોકો દેશ-વિદેશથી આવે છે. આ સાથે જ લોકો આ મંદિરમાં દૂર દૂરથી પોતાની માનતા પુરી કરવા માટે આવે છે.

રતનપરમાં આવેલા ભગવાન શ્રી રામના મંદિરમાં પગ મૂકતાં જ દરેક શ્રદ્ધાળુઓને અલૌકિક અને આધ્યાત્મિક શાંતિનો અનુભવ થાય છે. આ આખુ મંદિર ધનુષ આકારનું છે. આ મંદિરમાં વચ્ચે એક પણ પિલોર કે બિમ્બ નથી. મંદિરની બાજુમાં રામ ચરિતનું સૌથી જુનુ મંદિર પણ આવેલું છે. આ ઉપરાંત આ મંદિરની બીજી એક વિશેષતા પણ છે. મંદિરમાં આખી રામાયણ બતાવતી ઝાંખી રજુ કરવામાં આવી છે. રામાયણ સમયના દરેક પ્રસંગને અહિંયા રજુ કરવામાં આવ્યો છે. જે લોકોમાં ખુબ જ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.

મંદિરના ટ્રસ્ટી પ્રવિણસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે, મનહરલાલજી મહારાજે કાશીમાં રામ ચરિતમાનસ મંદિરના દર્શન કર્યા અને વિચાર આવ્યો કે આપણે પણ રામ ચરિત માનસ મંદિર બનાવીએ. તે માટે બધાએ બીડું ઝડપ્યું. મારા દાદાના મિત્ર વજુભાઈ નથવાણી અને સાતા સાહેબે મારા દાદા પાસે મંદિર માટે જગ્યા માંગી અને મારા દાદાએ જમીન આપી. બાદમાં મંદિરનું નિર્માણ કાર્ય શરૂ કરવામાં આવ્યું. આ રામ ચરિત માનસ મંદિરને બનતા 25 વર્ષ જેટલો સમય લાગ્યો છે. જ્યારે આ મંદિર 207 ફૂટ લાંબુ, 99 ફૂટ પહોળું અને 81 ફૂટ ઉંચુ છે. વિશ્વમાં ધનુષ આકારનું આટલું મોટું મંદિર બીજે ક્યાંય ન હોવાનું પ્રવિણસિંહનું કહેવું છે.

શ્રી રામચરિત માનસ મંદિરમાં રામ દરબારની સુંદર ઝાંખી ઉપરાંત દ્વારકાધીશ તેમજ રામેશ્વર મહાદેવ પણ બિરાજમાન છે. આમ એક જ જગ્યાએ ભગવાન વિષ્ણુના બે અવતાર તેમજ ભગવાન સદાશિવ ભોળાનાથ બિરાજમાન હોય તેવું અલૌકિક અને ભવ્ય મંદિર લોકો માટે આસ્થાનું કેન્દ્ર બન્યું છે. આ ઉપરાંત જગન્નાથીજી, સત્યનારાયણ, ગાયત્રી માતાજી સહિતના ભગવાન અને માતાજીના નાના નાના મંદિરો આવેલા છે.

મંદિરમાં જે પથ્થર તરે છે તેનું વજન 11 કિલો છે. 40 વર્ષ પહેલા એક સંત આવ્યા હતા. જે આ પથ્થર અહિંયા મૂકી ગયા હતા. ત્યારે તેમને કહ્યું હતું કે, આ પથ્થર પ્રસાદીના રૂપમાં આપી જાવ છું. જે પણ ભક્ત તેના દર્શન કરશે તેની મનોકામના પૂર્ણ થશે. વધુમાં પ્રવિણસિંહ ઝાલાએ કહ્યું કે, જો બીજો કોઈ પથ્થર હોય તો તે પાણીમાં ડૂબી જાય પણ આ પથ્થરને 40 વર્ષ થયા છે. છતા આ પથ્થર ડૂબ્યો નથી. આ પથ્થર પર રામ પણ લખેલુ છે. અમેરિકાવાળાએ સંશોધન પણ કર્યું છે કે, જો વિશ્વમાં કોઈ મોટામાં મોટો પુલ હોય તો તે આ રામસેતુ પુલ છે. જે અત્યારે દરિયાની અંદર છે. જે પુલમાંથી પથ્થર અલગ પડ્યા હોય તે આ પથ્થર છે. આવા પથ્થર રામેશ્વરમાં આજે પણ જોવા મળે છે.

મંદિરમાં આવેલી છે ગૌશાળા

રામ ચરિત માનસ મંદિરમાં એક ગૌશાળા પણ આવેલી છે. જેમાં માત્ર દેશી ગાયો જ રાખવામાં આવી છે. જેમની સારસંભાળ અને જતન કરવામાં આવે છે. અહી પણ એક વિશેષતા છે. મંદિરના ટ્રસ્ટી પ્રવિણસિંહ જ્યારે સીતારામ અને જય સિયરામનો સાદ પડે છે ત્યારે બધી જ ગયો દૂરથી દોડતી તેમની પાસે આવી જાય છે. આ જોઈને મંદિરમાં આવતા શ્રદ્ધાળુઓ પણ આશ્ચય ચકિત થઈ જાય છે.

મંદિરમાં છે રહેવા તેમજ ભોજનની વ્યવસ્થા

રતનપરમાં આવેલુ રામચરિત માનસ મંદિર ગુજરાત ઉપરાંત દેશમાં પણ જાણીતુ છે. જેથી અહી બીજા રાજ્યમાંથી પણ લોકો દર્શન કરવા માટે આવે છે. માટે અહી આવતા શ્રદ્ધાળુઓ માટે રહેવાની વ્યવસ્થા પણ ઉભી કરવામાં આવી છે. તો બીજી તરફ શ્રદ્ધાળુઓ માટે બપોરે અને સાંજે ભોજનની પણ વ્યવસ્થા રાખવામાં આવી છે. 

Share Article

Other Articles

Previous

સૌરાષ્ટ્રમા મેઘરાજાની સટાસટી : ખંભાળિયામા બે કલાકમાં પાંચ ઈંચ, વિસાવદર, કાલાવડમા ત્રણ – ત્રણ ઇંચ

Next

રાજકોટના જેલર જાડેજા સહિત ૯ Dy.SP-ACP નિવૃત્ત

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
7 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
8 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
8 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
6 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
6 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
4 મહિના પહેલા
ગુજરાત
Most Share
Entertainment
ટીમ ઈન્ડિયાના સ્ટાર ઓલરાઉન્ડર અક્ષર પટેલે પત્ની મેહા સાથે નડિયાદના નવા ઘરમાં કર્યો ગૃહપ્રવેશ,આલીશાન બંગલાની જુઓ તસવીરો
9 કલાક પહેલા
Movies release: ‘દે દે પ્યાર દે 2’ થી લઈને ‘કાંથા’ સુધી, આ ધમાકેદાર ફિલ્મો 14 નવેમ્બરે સિનેમાઘરોમાં થશે રિલીઝ
10 કલાક પહેલા
‘તમારા પણ મા-બાપ હશે, શરમ નથી આવતી?’ ધર્મેન્દ્રના ઘરના બહાર ભીડ એકઠી થતાં મીડિયા પર ભડક્યો સની દેઓલ
10 કલાક પહેલા
રાજકોટ : પ્રેમ રોગમાં યુવકે પ્રેમિકાને છરી ઝીંકી પોતાના પેટમાં ઘા મારી કર્યો આપઘાતનો પ્રયાસ,બંનેની હાલત ગંભીર
10 કલાક પહેલા
Categories

નેશનલ

2646 Posts

Related Posts

રાજકોટની ઐતિહાસિક લાખાજીરાજ શાક માર્કેટનો ચાર દિ’માં કબજો લેશે મનપા
રાજકોટ
1 વર્ષ પહેલા
અધૂરા માસે જન્મેલા બાળકને નિષ્ઠુર માતાએ ફેંકી દીધું: હાથ-પગમાં ફ્રેક્ચર
રાજકોટ
1 વર્ષ પહેલા
તળાજા : PGVCL કચેરીએ ગ્રામજનોએ કર્યો હલ્લાબોલ, 200થી વધુ લોકોનુ ટોળુ દોડી ગયુ
ગુજરાત
1 વર્ષ પહેલા
વડાપ્રધાન મોદીએ મન કી બાતમાં શું કહ્યું ? જુઓ
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર