જેતપુરમાં રસોઈ બનાવવા બાબતે યુવાનની હત્યા
હત્યારો ગણતરીના કલાકોમાં પકડાયો
જેતપુરમાં સાડીના કારખાનામાં કામ કરતાં પરપ્રાંતીય યુવાનની રસોઈ બનાવવા બાબતે તેના સાથે રૂમ પાટનરે છરીના ઘા ઝીંકી હત્યા કરી નંખાતા સનસનાટી મચી ગઈ હતી. પોલીસે હત્યાની ધરપકડ કરી હતી.
જેતપુરમાં ભાદરના સામાકાંઠા વિસ્તારમાં આવેલ ક્રિષ્ના કોટન પ્રિન્ટ નામના સાડીના કારખાનામાં રાંધવા બાબતે શ્રવણકુમાર અને ઉતમ શર્મા વચ્ચે ઝગડો થયો હતો જેમાં શ્રવણકુમારને ઉતમ શર્મા એ છરીના ઘા ઝીંકી દેતા શ્રવણકુમારનું ઘટના સ્થળે જ મોત થયું હતું. હત્યારો ઉતમ શર્મા ફરાર થઈ ગયો હતો.કારખાનાના માલીક જેન્તીભાઈ રામોલીયાને પોલીસને જાણ કરતા પોલીસ કાફલો ઘટનાસ્થળે દોઢી આવ્યો હતો. હત્યા બાદ ફરાર થયેલા ઉતમ શર્માને જેતપુરપોલીસ ગણતરીના કલાકોઆ ઝડપી લીધો હતો.