મધ્ય પ્રદેશમાં શું બની ઘટના ? કોની હત્યા થઈ ? વાંચો
મધ્યપ્રદેશના ઈન્દોરમાં શનિવારે રાત્રે બાઈક પર આવેલા બે શખ્સોએ ભાજપ નેતા મોનુ કલ્યાણની સરજાહેર ગોળી મારીને હત્યા કરી નાખી હતી. . ઘટના શહેરના એમજી રોડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બની હતી. પોલીસ આ ઘટનાની તપાસ કરી રહી છે અને બંને ફરાર આરોપીઓની શોધખોળ શરુ કરી દીધી છે. તપાસમાં એવું બહાર આવ્યું હતું કે મોનુ કૈલાશ વિજયવર્ગીયના ખાસ માણસ હતા અને એમની નિકટ હતા.
શનિવાર મોડી રાત્રે લગભગ ત્રણ વાગ્યે બાઈક પર આવેલા બે બદમાશો મોનુ કલ્યાણે પર ફાયરિંગ કરીને નાશી છૂટ્યા હતા. જો કે તે બચી ગયા હતા. ગોળી વાગવાથી મોનું તરત જ જમીન પર પડી ગયો હતો. આ પછી મોનુના મિત્રોએ તેને હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યા હાજર ડૉક્ટોરોએ મૃત જાહેર કર્યા હતા. ઉલ્લેખનીય છે કે ફરાર આરોપીઓએ હાજર મોનુના મિત્રો પર પણ ફાયરિંગ કર્યું હતું.
પોલીસે પ્રથામિક માહિતી આપતા જણાવ્યું હતું કે હત્યા પાછળનું કારણ અંગત અદાવત હોઈ શકે છે. તેમજ મોનુ શનિવારે રાત્રે ભગવા યાત્રાની તૈયારી કરી રહ્યો હતો. ગોળીબાર કરનાર શખ્સો પીયૂષ અને અર્જૂન નામાન બે યુવકો હતા. જેની શોધખોળ શરુ કરી દીધી છે. નોંધનીય છે કે મૃતક મોનુ કલ્યાણે શહેર ભાજપ યુવા મોરચામાં ઉપપ્રમુખ પદ પર હતા. તેમજ મધ્યપ્રદેશ સરકારમાં કેબિનેટ મંત્રી કૈલાશ વિજયવર્ગીયના ખૂબ નજીક ગણાતા હતા.
આરોપીઓ દ્વારા પ્રથમ તો મોનુ સાથે ઘટના સ્થળે સામાન્ય વાતચીત શરૂ કરાઇ હતી અને ત્યારબાદ કોઈ કઈ સમજે તે પહેલા એમણે ગોળીબાર શરૂ કરી દીધો હતો. પોલીસે કહ્યું છે કે બહુ જલ્દી બંને પકડાઈ જશે.