યુવતી પર દુષ્કર્મ ગુજારનાર બે સ્વામી સહિત ત્રણ ભૂગર્ભમાં
ખીરસરા ગામે સ્વામિનારાયણ ગુરુકુળના સ્વામી રાજકોટની યુવતીને પ્રેમજાળમાં ફસાવી હવસનો શિકાર બનાવી હતી : સ્વામીના સેવકે મહિલનો ગર્ભપાત પણ કરાવ્યો’તો
સ્વામી વિરુદ્ધ ફરિયાદ નોંધાતા સેવક સાથે વિદેશ ભાગી ગયાની શંકા
રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ખીરસરા ગામે સ્વામિનારાયણ ગુરુકુળના ધર્મસ્વરૂપદાસ સ્વામીએ ફેસબુક મારફત યુવતી સાથે મિત્રતા કેળવી પ્રેમજાળમાં ફસાવી ખોટા લગ્ન કરી તેની સાથે અવારનવાર દુષ્કર્મ ગુજારી સગર્ભા બનાવી હતી. અને સ્વામીએ તેના સેવક એવા હોસ્ટેલના સંચાલક મયૂર કાસોદરિયા સાથે પ્રેગ્નન્સી કિટ અને ગર્ભપાતની દવા મોકલાવી યુવતીની ઇચ્છા વિરુદ્ધ ગર્ભપાત કરાવ્યો હતો. આ ઘટના અંગે યુવતીએ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધતાની સાથે જ બે સ્વામી સહિત ત્રણ ભૂગર્ભમાં ઉતરી ગયા છે. જ્યારે સ્વામી વિદેશ ભાગી ગયા હોવાની પણ ચર્ચાઓ થઈ રહી છે.
માહિતી મુજબ રાજકોટ શહેરમાં રહેતી યુવતી નોંધાવેલી ફરિયાદમાં આરોપીમાં ધર્મસ્વરૂપદાસ સ્વામી, નારાયણ સ્વરૂપદાસ સ્વામી અને હોસ્ટેલ સંચાલક મયૂર કાસોદરિયાનું નામ આપ્યું હતું. જેમાં તેણીએ જણાવ્યું હતું કે,વર્ષ 2020માં સ્વામી ધર્મસ્વરૂપદાસે તેણીને ફેસબુકમાં ફ્રેન્ડ બનાવી હતી. અને બાદમાં પરિચય મેળવી તેણીને પોતાના આશ્રમ બોલાવી અને બસ સ્ટેન્ડ પરથી તેનો ચેલો મયુર તેના ગેસ્ટ હાઉસમાં લઇ ગયો હતો. અને બાદમાં રૂમમાં સ્વામીએ આવી ખોટા લગ્ન કરી બળજબરી પૂર્વક શરીર સબંધ બાંધ્યો હતો.બાદમાં સ્વામીએ મહિલાને પોતાની સાધ્વી બનવાની વાત કરી હતી.
જેથી મહિલાએ સાધ્વી બનવાની ઘરે વાત કરતાં પરિવારના પરમીશન બાદ સાધ્વી બની ખીરસરા ગામે આવી હતી. અને મ્યૂરના ગેસ્ટ હાઉસમાં રહેતી હતી. જ્યા ધર્મસ્વરૂપદાસ સ્વામી મળવા આવતો અને અવારનવાર દુષ્કર્મ ગુજારતો હતો. અને ગર્ભ પણ રાખી દીધો હતો. જેથી સ્વામી મયુર મારફત દવા આપી ગર્ભપાત પણ કરવી દીધો હતો,જેથી આ સમગ્ર ઘટનાની વાત તેણીએ નારાયણ સ્વરૂપદાસ સ્વામીને કરી હતી. પરંતુ તેમણે કોઈ પગલાં લીધા ન હતા. અને ધર્મસ્વરૂપદાસનો સહકાર આપ્યો હતો.
મહિલાને સ્વામી સાથે મતભેદ થયો હતો. અને સમગ્ર વાત ઘરે કરવાની વાત કરતાં તેણીને બંને સ્વામી અને મયુરે ધમકાવી હતી. જેથી રાજકોટ મહિલા પોલીસમાં ફરિયાદ નોંધાવતા વિસ્તાર ભાયાવદર પોલીસેમાં આવતો હોવાથી અહી ગુનો નોંધવામાં આવ્યો છે. જ્યારે ફરિયાદ નોંધાતાની સાથે બંને સ્વામી તેના સેવક સાથે ભૂગર્ભમાં ઉતરી ગયા હતા. ઉપરાંત વિદેશ ભાગી ગયા હોવાની પણ શંકા સેવાઇ રહી છે.
મોબાઈલના લોકેશન આધારે તપાસ ચાલુ છે : PI રેખા ચોધરી (ગોંડલ IUCAW)
રાજકોટની મહિલાએ બંને સ્વામી સામે ભાયાવદર પોલીસમાં ફરિયાદ નોંધાવતા આ ફરિયાદની તપાસ ગોંડલ IUCAWને સોંપવામાં આવી હતી. આ મામલે વોઇસ ઓફ ડે દ્વારા PI રેખા ચોધરી સાથે ટેલિફોનિક વાતચીત કરતાં તેઓએ માહિતી આપતા જણાવ્યું હતું કે,હાલ ભાયાવદર પોલીસને સાથે રાખી તપાસ કરવામાં આવી રહી છે. અને આરોપીઓના મોબાઈલનું લોકેશન મેળવી આગળની તપાસ હાથધરવામાં આવી છે.