Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ક્રાઇમ

વીરનગર હોસ્પિટલમાં મોતિયાના ઓપરેશન બાદ 9 દર્દીઓને અંધાપાની અસર

Sat, September 28 2024

તા.23ના રોજ 30 દર્દીઓના ઓપરેશન કરાયા બાદ ઘટના બની : ગાંધીનગરથી ટીમો દોડી, ઓપરેશન થિયેટર સીલ

રાજકોટ : રાજકોટ-ભાવનગર હાઇવે ઉપર વીરનગર ખાતે આવેલ શિવાનંદ મિશન આંખની હોસ્પિટલમાં ગત તા.23ના રોજ 32 મોતિયાના દર્દીઓના ઓપરેશન બાદ 9 દર્દીઓને અંધાપાની અસર થઇ હોવાના આરોપ સાથે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જેમાંથી 2 દર્દીઓ અમદાવાદ સારવારમાં ખસેડવામાં આવતા સમગ્ર મામલો બહાર આવ્યો હતો અને ગંભીર બાબતે રાજકોટ જિલ્લા પંચાયત ઉપરાંત ગાંધીનગર આરોગ્ય વિભાગની ટીમો પણ દોડી આવી હોવાનું અને હાલમાં વીરનગર હોસ્પિટલનું ઓપરેશન થિયેટર પણ સીલ કરી દેવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે.

પ્રાપ્ત વિગતો મુજબ વર્ષોથી નિસ્વાર્થ ભાવે અને નિઃશુલ્ક મોતિયાના ઓપરેશન કરતી ડો.શિવાનંદ મિશન હોસ્પિટલ વીરનગર સંસ્થા દ્વારા મહુવા કુબેરનાથ મંદિર ખાતે કેમ્પ યોજી 21 દર્દીઓને ઓપરેશન કરવાની જરૂરત હોવાથી વીરનગર હોસ્પિટલ ખાતે તા.23ના રોજ ઓપરેશન માટે બોલાવવામાં આવ્યા હતા અને તા.23ના રોજ મહુવાના 21 સહિત કુલ 32 દર્દીઓના મોતિયોના ઓપરેશન કરવામાં આવ્યા હતા જે પૈકી નવ દર્દીઓને ઇન્ફેક્શનને કારણે આંખમાં દેખાવામાં તકલીફ થતા રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં 7 દર્દીઓને વધુ તકલીફ પડતા અમદાવાદ રીફર કરવામાં આવ્યા હતા અને તે પૈકીના 5 દર્દીઓ પરત વીરનગર અને બે દર્દીઓ અમદાવાદ સારવાર માટે ગયા હતા.

બીજી તરફ તા.23ના રોજ મોતિયાના ઓપરેશન બાદ 9 દર્દીઓને ઈંફેક્શનનો મામલો સામે આવ્યો છે ત્યારે તા.24ના રોજ વીરનગર ખાતે 50, તા.25ના રોજ 65 અને 26ના રોજ 67 દર્દીઓના ઓપરેશન કરવામાં આવ્યા હતા જે પૈકી અન્ય કોઈપણ દર્દીઓને સમસ્યા ન હોવાનું સામે આવ્યું છે ત્યારે 9 દર્દીઓને ઓપરેશન બાદ ઇન્ફેક્શન મામલે રાજકોટ જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગે વીરનગર હોસ્પિટલનું ઓપરેશન સેન્ટર સીલ કરી દીધું છે ઉપરાંત ગાંધીનગરથી આવેલી ટીમોએ પણ વીરનગર કહતે તપાસ કરી ટીપા, અને અન્ય મેડિસિનના સેમ્પલ લીધા હોવાનું સામે આવ્યું છે.નોંધનીય છે કે, સમગ્ર મામલે રાજકોટના દર્દી પ્રવીણ પીતામ્બરભાઈ નામના વ્યક્તિએ મોતિયાના ઓપરેશન બાદ અંધાપાની અસર હોવા અંગે હોસ્પિટલ સામે આરોપો લગાવ્યા હતા.

મોતિયાના દર્દીઓને ઇન્ફેક્શન થયું હોવાનું સ્વીકારતું શિવાનંદ મિશન

વર્ષ 1981થી કાર્યરત શિવાનંદ મિશન હોસ્પિટલ દ્વારા ગામે -ગામ કેમ્પ યોજી ગરીબ-અમીર તમામ લોકોને હોસ્પિટલના ખર્ચે લાવવા અને મુકવા જવાની સુવિધા તેમજ રહેવા જમવાની વ્યવસ્થા સાથે નિઃશુલ્ક મોતિયાના ઓપરેશન કરી આપવામાં આવે છે ત્યારે તા.23ના રોજ ઓપરેશન બાદ કુલ નવ દર્દીઓને ઇન્ફેક્શન આવવાની ઘટના સ્વીકારી હતી. શિવાનંદ મિશનના મેનેજીંગ ટ્રસ્ટી અશોકભાઈ મેહતાએ જણાવ્યું હતું કે, નવ દર્દીઓ પૈકી 5 દર્દીઓ હાલમાં વીરનગર ખાતે પરત આવી જતા તેઓની સારવાર ચાલી રહી છે.

વીરનગર હોસ્પિટલમાં અત્યાર સુધીમાં 9.08 લાખ ઓપરેશન થયા છે

વીરનગર ખાતે આવેલ શિવાનંદ મિશન હોસ્પિટલ નિસ્વાર્થ સેવા માટે માત્ર ભારતમાં જ નહીં બલ્કે વિદેશમાં પણ ખ્યાતિ પામી છે ત્યારે સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટી અશોકભાઈ મહેતાએ જણાવ્યું હતું કે, વીરનગર ખાતે 1981થી અખંડ સેવાજયોત ઝળહળે છે અહીં અત્યાર સુધીમાં 9.08 લાખ મોતિયાના ઓપરેશન થયા છે અને કુલ મળી 50 લાખથી વધુ દર્દીઓની સારવાર સુશ્રુષા કરવામાં આવી છે. સાથે જ વીરનગર ખાતે ઓપરેશન માટે આવતા દર્દીઓને લાવવા મુકવા તેમજ રહેવાની પણ સુવિધા સાથે દરરોજ અહીં 1000 લોકોને ભોજન પીરસવામાં આવતું હોવાનું તેમને ઉમર્યું હતું.

Share Article

Other Articles

Previous

147 વર્ષમાં પહેલીવાર…ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ રચ્યો ઈતિહાસ, ટેસ્ટ ક્રિકેટમાં બનાવ્યો સૌથી મોટો રેકોર્ડ

Next

જુનિયર NTRની ફિલ્મ ‘દેવરા’ જોતી વખતે ચાહકને હાર્ટ એટેક આવતા નીપજ્યું મોત, પરિવારમાં શોક

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
2 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
2 સપ્તાહs પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
4 સપ્તાહs પહેલા
ગુજરાત
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ : અરબી સમુદ્રમાં ચક્રવાતી સિસ્ટમ ઉદભવતા ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
3 સપ્તાહs પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
જ્યોતિ જાસૂસની મુશ્કેલી વધી : વધુ 14 દિવસ માટે જેલ હવાલે, કોર્ટે રિમાન્ડ લંબાવતા થઈ શકે છે મોટા ખુલાસા
7 કલાક પહેલા
શું બાબુભૈયાની ‘હેરા ફેરી 3’માં વાપસી? પરેશ રાવલના નવા ટ્વીટથી ફેન્સ થયા ખુશ, જાણો શું મળ્યા સંકેત  
8 કલાક પહેલા
અમેરિકાના ન્યુ જર્સીમાં આવેલા વિરાણી જવેલર્સમાં ધોળા દિવસે લૂંટ : લુંટારુઓ લાખો ડોલરના દાગીના લઈને ફરાર
8 કલાક પહેલા
અમને એર ડિફેન્સ સિસ્ટમ આપો : પાકિસ્તાને અમેરિકા પાસે ભીખ માંગી
9 કલાક પહેલા
Categories

નેશનલ

2171 Posts

Related Posts

આજથી CBSEની ધોરણ 10 અને 12ની પરીક્ષા શરૂ : દેશભરમાં 44 લાખથી વધુ વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા
બ્રેકિંગ ન્યૂઝ
4 મહિના પહેલા
જીવન વીમો સસ્તો થઇ શકે
ટ્રેન્ડિંગ
9 મહિના પહેલા
કેજરીવાલે બનાવેલા મોહલ્લા ક્લિનિક બનશે ‘આરોગ્ય મંદિર’
ટૉપ ન્યૂઝ
4 મહિના પહેલા
મુખ્યમંત્રીઓ હંમેશા ટેન્શનમાં રહે છે કે ક્યાંક ખુરશી ન છોડવી પડે
ટ્રેન્ડિંગ
6 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર