એસ એન્ડ પીએ અર્થતંત્ર વિષે શું કહ્યું ? વાંચો
દેશના અર્થતંત્ર માટે હવે નવી આશા જાગી છે અને વૈશ્વિક રેટિંગ એજન્સીઓ પોતાના અનુમાનો જાહેર કરી રહી છે. એસ એંડ પી ગ્લોબલ રેટિંગ્સે ચાલુ નાણાકીય વર્ષ (2024-25) માટે દેશના (જીડીપી) વૃદ્ધિ દરનો અંદાજ 6.8 ટકા જાળવી રાખ્યો છે, જેમાં કહેવામાં આવ્યું છે કે ઊંચા વ્યાજ દરો અને ઓછા નાણાકીય પ્રોત્સાહનથી માંગમાં ઘટાડો થશે. જો કે અનુમાનમાં ઘટાડો કરાયો નથી.
સોમવારે જાહેર કરાયેલા એશિયા પેસિફિક માટેના તેના આર્થિક દૃષ્ટિકોણમાં ગ્લોબલ રેટિંગ્સે જણાવ્યું હતું કે ભારતીય અર્થતંત્ર તેની આર્થિક વૃદ્ધિ વિચારપ્રેરક છે અને તે ગયા નાણાકીય વર્ષ (2023-24)માં 8.2 ટકાના દરે વૃદ્ધિ પામ્યું છે.
અહેવાલમાં જણાવાયું કે “અમારું અનુમાન છે કે વર્તમાન નાણાકીય વર્ષમાં વૃદ્ધિ દર ઘટીને 6.8 ટકા થશે. “ઉચ્ચ વ્યાજ દરો અને ઓછા રાજકોષીય પ્રોત્સાહન બિન-કૃષિ ક્ષેત્રોની માંગને અસર કરશે.”
એજન્સીનો અંદાજ છે કે ભારતીય અર્થતંત્ર નાણાકીય વર્ષ 2025-26 અને 2026-27માં અનુક્રમે 6.9 ટકા અને સાત ટકાના દરે વૃદ્ધિ પામશે. ચાલુ નાણાકીય વર્ષ માટે વૃદ્ધિ દરનો અંદાજ ભારતીય રિઝર્વ બેન્ક ના અંદાજ કરતાં ઓછો છે. આ મહિનાની શરૂઆતમાં, કેન્દ્રીય બેંકે અનુમાન લગાવ્યું હતું કે ભારતીય અર્થતંત્ર ચાલુ નાણાકીય વર્ષમાં 7.2 ટકાના દરે વૃદ્ધિ કરશે.
ફિચનો અંદાજ શું છે?
અન્ય રેટિંગ એજન્સી ફિચનું અનુમાન છે કે નાણાકીય વર્ષ 2024-2025માં ભારતનો વિકાસ દર 7.2 ટકા રહેશે. એશિયન ડેવલપમેન્ટ બેંકના અંદાજ મુજબ ભારતનો વૃદ્ધિ દર સાત ટકા રહેશે.
મૂડીઝ રેટિંગ
મૂડીઝ રેટિંગ્સ અને ડેલોઈટ ઈન્ડિયાએ 2024-25માં ભારતીય અર્થતંત્ર 6.6 ટકાના દરે વૃદ્ધિ પામવાનો અંદાજ મૂક્યો છે, જ્યારે મોર્ગન સ્ટેનલીએ 6.8 ટકાના વૃદ્ધિ દરનો અંદાજ મૂક્યો છે. ચીન માટે, એસ એન્ડ પીએ 2024 માટે તેની વૃદ્ધિનું અનુમાન 4.6 ટકાથી વધારીને 4.8 ટકા કર્યું છે.