શેરબજારમાં થતી સટ્ટાખોરીને નાથવા **BSE-NSE અને સેબી મેદાને
ફ્યુચર ઓપ્શન માં 5 લાખનો કોન્ટ્રાક્ટ 20 લાખથી વધુ નો થશે
એસ.એમ.ઈ આઇ.પી.ઓ ના લિસ્ટીંગ હવે 90% થી વધુ પ્રીમિયમથી નહીં થાય
એસ.એમ.ઇ આઇ.પી.ઓ ના ઊંચા લિસ્ટિંગ ને કંટ્રોલ કરવાનો પ્રયાસ
એક તરફ શેરબજારમાં તેજીનો માહોલ છે અને ત્યારે તકનો લાભ લેવા માટે સટ્ટાખોરો પણ મેદાને આવ્યા છે તેથી આવી સટ્ટાખોરીને નાથવા માટે બોમ્બે સ્ટોક એક્સચેન્જ અને સેબીએ પ્રયાસો હાથ ધર્યા છે.
બીજી બાજુ ફ્યુચર ઓપ્શન માં ટ્રેડિંગ કરવા વાળો વર્ગ નુકસાન કરી રહ્યો છે,તે પણ હકીકત છે. જેને લઈને સેબી દ્વારા અવારનવાર ચિંતા જાહેર કરવામાં આવે છે. સત્તાવાળાઓ અવારનવાર ચેતવણી પણ આપી રહ્યા છે.તાજેતરમાં જાહેર થયેલ ગાઈડ લાઈનમાં જણાવવામાં આવ્યું છે,કે ફ્યુચરમાં જે પાંચ લાખનો કોન્ટ્રાક્ટ છે જે 20 થી 30 લાખનો કરવો જેથી વધારે મર્જીનની જરૂર પડે અને નાનો રોકાણકાર-ટ્રેડર આનાથી દૂર થઈ જાય અને એને નુકસાન વેઠવાનો વારો ન આવે.
પ્રાયમરી માર્કેટમાં એસ.એમ.ઇ. આઇ.પી.ઓ ના લિસ્ટિંગ માં બોમ્બે સ્ટોક એક્સચેન્જ દ્વારા લિસ્ટિંગ ના પ્રીમિયમ ને 90 ટકાની અપર લિમિટ હતી. નેશનલ સ્ટોક એક્સચેન્જ માં પણ કોઇ પણ એસ.એમ.ઇ. આઇ.પી.ઓનું લિસ્ટિંગ ૯૦ ટકા ઉપર નહીં થાય .વધુમાં વધુ 90% પ્રીમિયમ થી જ લિસ્ટિંગ થશે. ત્યાર પછીના દિવસોમાં દરરોજ 5 ટકાનું સર્કિટ ફિલ્ટર લાગુ પડશે.
સેબી અને એક્સચેન્જ દ્વારા અનેક પગલાઓ સટ્ટાખોરીને ડામવા લેવામાં આવી રહ્યા છે.આવનારા દિવસો માં ફ્યુચર ઓપ્શન ની સ્ટ્રાઈક પ્રાઈઝ મા પણ લિમિટેશન આવી રહ્યાની વાતો પણ થઈ રહી છે. માર્જિન માટે ઉપયોગ માં લેવામાં આવતાં શેરોની સંખ્યામાં પણ ઘટાડો થશે.જેથી કરીને ફ્યુચર ઓપ્શન માં રહેલું વોલ્યુમ ઘટશે. માર્કેટમાં જેન્યુન સોદાઓ નું પ્રમાણ વધશે અને સટ્ટાખોરી ઘટશે. જ્યારથી **T+3 ની સિસ્ટમ પ્રાયમરી માર્કેટમાં શરૂ થઈ છે,ત્યારથી પ્રાઇમરી માર્કેટમાં ઝડપથી નાણાં છુટા થાય છે. જેના કારણે આઇ.પી.ઓ અનેક ગણા ભરાઈ રહ્યા છે અને પ્રાઇમરી માર્કેટમાં રોકાણકારો નાણા ઠાલવી રહ્યા છે.
શેરબજારના નિષ્ણાંત પરેશભાઈ વાઘાણીના જણાવ્યાનુસાર , જે રીતે એક્સચેન્જ અને સેબી દ્વારા પગલાઓ લેવાઈ રહ્યા છે તે નાના રોકાણકારોના હિતમાં જ છે ફ્યુચર એન્ડ ઓપ્શન માં અનેક લોકો રૂપિયા ગુમાવી રહ્યા છે. જ્યારે સેકન્ડરી માર્કેટમાં ખાસ કરીને રોકડાના શેરોમાં રોકાણ કરનારાઓને ખૂબ જ સારું વળતર શેરબજાર આપી રહ્યું છે. જે લોકો શેરબજારમાં રોકાણ કરવાની શરૂઆત જ કરી રહ્યા છે,તેઓએ પ્રાયમરી માર્કેટથી શરૂઆત કરવી હિતાવહ છે. જેમાં જોખમનું પ્રમાણ ખૂબ જ ઓછું હોય છે.શેરબજારના સત્તાવાળાઓ દ્વારા સટ્ટાખોરી ડામવા લેવાનારા દરેક પગલા શેરબજારને ખૂબ જ મજબૂત કરશે.આગામી દિવસોમાં ઘણા બધા ફેરફારો શેરબજારના ટ્રેડિંગ ને લઈને જોવા મળશે.
શેરબજારની તેજીના મુખ્ય કારણો માનું એક કારણ ભારતનો નાનો રોકાણકાર છે,જે બજારમાં રોકાણ વધારી રહ્યો છે. મ્યુચ્યુઅલ ફંડોમાં એસ.આઈ.પી નો ફ્લો દર મહિને વધતો જાય છે.દરરોજ બે લાખથી વધુ નવા ડિમેટ એકાઉન્ટ ભારતમાં ખુલી રહ્યા છે.આવનારા દિવસોમાં ભારતમાં 20 કરોડથી વધુ એકાઉન્ટ ખુલી ગયા હશે,જે એક મોટી સિધ્ધિ ગણાશે.