રાજકોટ AIIMSના પ્રેસિડેન્ટ પદથી અચાનક ડૉ. વલ્લભ કથીરિયાનું રાજીનામું
રાજકોટ AIIMSના પ્રેસિડેન્ટ પદથી ડૉ. વલ્લભ કથીરિયા અચાનક રાજીનામુ આપી દેતા અનેક તર્ક વિતર્ક શરૂ થયા છે, થોડા દિવસ અગાઉ જ કથીરિયાની પ્રેસિડેન્ટ તરીકે નિમણૂક થઈ હતી
કેન્દ્ર સરકારના પૂર્વ મંત્રી અને રાજકોટના પૂર્વ સાંસદ ડૉ. વલ્લભ કથીરિયાને થોડા દિવસ અગાઉ રાજકોટ એમ્સના પ્રેસિડેન્ટ ડોક્ટર તરીકે નિમણૂક કરાઈ હતી. પરંતુ તેમણે અચાનક એમ્સના પ્રેસિડેન્ટના પદેથી રાજીનામુ આપી દેતા અનેક તર્ક વિતર્ક શરૂ થયા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, થોડા દિવસ અગાઉ જ ડોક્ટર કથીરિયાને પ્રેસિડેન્ટ તરીકેની નિમણૂક થઈ હતી.
આરોગ્ય મંત્રાલયે રાજીનામુ સ્વીકાર્યું
ડોક્ટર કથીરિયાએ ગણતરીના દિવસોમાં જ રાજીનામું આપી દેતા અનેક રાજકીય તર્ક વિતર્ક શરૂ થયા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે ડૉ. વલ્લભ કથીરિયાનું રાજીનામું મંજૂર પણ કરી દીધું છે. જો કે, તેમણે ક્યાં કારણોસર રાજીનામુ આપ્યું છે તે અંગે ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી. રાજકોટ એમ્સ હવે નવા પ્રેસિડેન્ટ મળશે.

