Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Lavajam 2025
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ક્રાઇમગુજરાતટૉપ ન્યૂઝટ્રેન્ડિંગરાજકોટ

રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાએ ગોંડલ કોર્ટમાં કર્યું આત્મસમર્પણ : પૂર્વ ધારાસભ્ય પોપટ સોરઠિયા હત્યા કેસમાં થયા હાજર

Fri, September 19 2025

પૂર્વ ધારાસભ્ય પોપટભાઈ સોરઠિયાની હત્યાના કેસમાં રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટે ગઇકાલે રાહત આપ્યા બાદ આજે સવારે 7 દિવસનો સ્ટે પરત ખેંચી લેતા આજે રાત્રે 8 વાગ્યે હાજર થવાનું ફરમાન હતું ત્યારે અનિરુદ્ધ સિંહ જાડેજાએ આત્મસમર્પણ કરી લીધું છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગોંડલ કોર્ટમાં સરેન્ડર કર્યું છે.

ગોંડલ કોર્ટમાં અનિરૂદ્ધસિંહ જાડેજાએ આત્મસમર્પણ કર્યું

પૂર્વ ધારાસભ્ય પોપટ સોરઠિયા હત્યા કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાને ગુરુવારે (18મી સપ્ટેમ્બર) સુપ્રીમ કોર્ટે અનિરુદ્ધસિંહના આત્મસમર્પણના આદેશ પર એક અઠવાડિયા માટે સ્ટે આપ્યો હતો. પરંતુ શુક્રવારે (19મી સપ્ટેમ્બર) કોર્ટે આ સ્ટે પરત ખેંચી લીધો છે અને આજે એટલે કે 19મી સપ્ટેમ્બરના રાત્રિના 8 વાગ્યા સુધીમાં સરેન્ડર થવાનું ફરમાન હતું ત્યારે હાલ અનિરુદ્ધ સિંહ જાડેજાએ ગોંડલ કોર્ટમાં આત્મસમર્પણ કર્યું છે.

આ પણ વાંચો : રવિવારે ભારત-પાકિસ્તાન ફરી આમને-સામને : સુપર-4માં પણ હાથ નહીં મીલાવે ટીમ ઈન્ડિયા

સામા પક્ષની અરજી અને દલીલો મામલે આજે સવારે 10.30 વાગ્યે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ હતી. આ દરમિયાન કોર્ટે અનિરુદ્ધસિંહને આપેલી રાહત પરત ખેંચી લીધી છે અને શુક્રવારે રાતે જ 8 વાગ્યા સુધીમાં આત્મસમર્પણ કરવું પડશે. આ દરમિયાન હવે ગોંડલ કોર્ટમાં અનિરૂદ્ધસિંહ જાડેજાએ આત્મસમર્પણ કર્યું છે. હવે ગોંડલથી જૂનાગઢ જેલમાં રવાના થઈ શકી છે.

પોપટભાઈ સોરઠિયાની ધ્વજવંદન કાર્યક્રમમાં હત્યા

ગોંડલના જે તે વખતના ધારાસભ્ય પોપટભાઈ સોરઠિયા અને અનિરૂધ્ધસિંહના પિતા મહિપતસિંહ જાડેજા વચ્ચે રાજકીય ખટરાગ ચાલતો હતો જેને લઈને 22 વર્ષની વયે અનિરૂધ્ધસિંહ જાડેજાએ ગોંડલની સંગ્રામસિહજી હાઈસ્કૂલમાં 15 ઓગસ્ટ-1988ના રોજ ધારાસભ્ય પોપટભાઈ સોરઠિયાને ધ્વજવંદન કાર્યક્રમમાં પોઈન્ટ બ્લેન્ક રેન્જથી ભડાકે દઈને હત્યા કરી હતી. જે તે સમયે જ ત્યાં હાજર એસઆરપીના ઝાલા તથા સ્ટાફે અનિરૂધ્ધસિંહને પકડી પાડ્યા હતા. હત્યાના ગુનાના આરોપમાં ગોંડલ પોલીસે ધરપકડ કરી હતી.

આ પણ વાંચો : પૂર્વ ધારાસભ્ય પોપટભાઈ સોરઠિયાના હત્યા કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાને રાહત : હાજર થવા સામે સ્ટે મળ્યો


કેસ ચાલી જતાં ગોંડલ સેશન્સ કોર્ટે 1994માં અનિરૂધ્ધસિંહને પુરાવાના અભાવે નિર્દોષ જાહેર કરતો ચૂકાદો આપ્યો હતો. જે ચૂકાદા સામે સરકારે ટાડા હેઠળ અપીલ કરી હતી અને સુપ્રીમ કોર્ટે 1997માં અનિરૂધ્ધસિંહને આજીવન કેદની સજા ફટકારી હતી. આજીવન કેદ પડતા અનિરૂધ્ધસિંહ ત્રણ વર્ષ ફરાર રહ્યા હતા બાદ 2000માં ધરપકડ થઈ હતી. 18 વર્ષ જેલમાં રહ્યા બાદ 2017માં સરકાર દ્વારા 12 વર્ષ પૂર્ણ થયા હોય તેવા આજીવન સજાના કેદીને સજા માફી આપવાની કમિટી બની હતી. જૂનાગઢ જેલમાં બંધ અનિરૂધ્ધસિંહ જાડેજા દ્વારા 29-1-18ના રોજ સજા માફી માટે જેલ સત્તાવાહક મારફતે રજી કરાઈ હતી. જે અરજી આધારે જે તે સમયના જેલ વડા ટી.એસ. બીસ્ટ દ્વારા અનિરૂધ્ધસિંહની સજા માફીની અપીલ માન્ય રાખીને જેલ મુક્ત કર્યા હતા.

પોપટભાઈના પૌત્રએ સજા માફી રદ કરવા હાઈકોર્ટમાં કરી અપીલ

 અનિરૂધ્ધસિંહ જેલ મુક્ત થયા એ સંદર્ભે સરકારની સહમતિ હોય અથવા તો સાત વર્ષ સુધી ધ્યાનચૂક રહી ગઈ હોય તેમ સાત વર્ષ સુધી ન્હોતો સરકારે કોઈ કાર્યવાહી કરી હતી કે ન્હોતી છ વર્ષ સુધી મૃતક પોપટભાઈના કોઈ પુત્ર પરિવાર દ્વારા કાર્યવાહી થઈ ન્હોતી. ગત વર્ષે 2024માં પોપટભાઈના પૌત્ર હરેશ સોરઠિયાએ સજા માફી રદ કરવા હાઈકોર્ટમાં અપીલ કરી હતી જે બન્ને પક્ષે સુનાવણી, રજૂઆતો સહિતના દસ્તાવેજી પુરાવાઓ બાદ ગત મહિને 22 ઓગસ્ટના હાઈકોર્ટે અનિરૂધ્ધસિંહની સજા માફી રદ કરી હતી અને ચાર સપ્તાહમાં સરેન્ડર કરવા આદેશ કર્યો હતો.

સુપ્રીમ કોર્ટે 7 દિવસનો સ્ટે પરત ખેંચ્યો

હાઈકોર્ટના હુકમ સામે અનિરૂધ્ધસિંહ તરફે સુપ્રીમ કોર્ટમાં 29 ઓગસ્ટના રોજ સ્પે. લીવ પિટિશન કરાઈ હતી. બીજા જ દિવસે સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટનો હુકમ યથાવત રાખી અનિરૂધ્ધસિંહને 18 સપ્ટેમ્બર સુધીમાં હાજર થવા હુકમ કર્યો હતો. જેની સામે અનિરુદ્ધસિંહ દ્વારા સુપ્રીમ કોર્ટમાં પોતાના એડવોકેટ મારફતે પિટિશન કરાઈ હતી. જે બાદ ગઇકાલે સુપ્રીમ કોર્ટે તેમને 7 દિવસની રાહત આપી હતી ત્યારે આજે એ રાહત પાછી ખેંચી લીધી છે અને આજે રાત્રે 8 વાગ્યા સુધી હાજર થવાનો આદેશ આપ્યો છે. ત્યારે અનિરુદ્ધ સિંહ જાડેજાએ સમય અવધિ પૂર્ણ થાય તે પહેલા જ આત્મસમર્પણ કરી દીધું છે. સુરક્ષા માટે મળેલી સ્થગિતી (સ્ટે) સુપ્રીમ કોર્ટે પાછી લઈ લેતાં અનિરુદ્ધસિંહ હવે સીધા કાનૂની ચક્રવ્યૂહમાં ફસાયા છે.

 

Share Article

Other Articles

Previous

‘એક દેશ પરનો હુમલો બંને પર હુમલો ગણાશે’ પાકિસ્તાન અને સાઉદી વચ્ચે ઐતિહાસિક સંરક્ષણ સમજૂતી

Next

આજે પોતાની 250મી T-20 મેચ રમવા ઉતરશે ભારત : ઓમાન સામે અબૂ ધાબીમાં રમશે, ટીમ ઈન્ડિયા માટે આજની મેચ છે ખાસ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
7 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
7 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
7 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
5 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
6 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
4 મહિના પહેલા
ગુજરાત
Most Share
બ્રેકિંગ ન્યૂઝ
રાજકોટ સહિત તમામ મહાપાલિકાની ચૂંટણી માટે બેઠકોનું રોટેશન જાહેર: રાજકોટની અનેક બેઠક ઉપર ફેરફાર
8 કલાક પહેલા
ફરી નવી ઉપાધિ! અમેરિકા જવા-આવવા માટેના નિયમમાં થશે ફેરફાર, બિન-અમેરિકન નાગરિકોનો ફોટોગ્રાફ-બાયોમેટ્રિક ડેટા લેવાનું ફરજિયાત
9 કલાક પહેલા
હવે ભારતમાં બનશે પેસેન્જર વિમાન: રશિયાની એક કંપની અને HAL વચ્ચે થયા મહત્વના કરાર, જાણો શું હશે વિમાનની ખાસિયત
9 કલાક પહેલા
હવે ટ્રાફિક દંડ ભરવા માટે RTOના ધક્કા નહીં ખાવા પડે! ભારત બિલ પેમેન્ટ સિસ્ટમ (BBPS) દ્વારા ઓનલાઇન ચુકવણીની સુવિધા શરૂ
9 કલાક પહેલા
Categories

નેશનલ

2602 Posts

Related Posts

26\11ના હુમલા વખતે રતને કહેલું, કે આખી તાજ હોટલ ભલે ઊડી જાય પણ એકે ય આતંકી બચવો જોઈએ નહીં
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
ભારતીય વિદ્યાર્થીએ ટ્રમ્પ સામે કર્યો કેસ દાખલ, ઈમિગ્રેશન સ્ટેટસ રદ કરાતા કોર્ટમાં પડકાર
બ્રેકિંગ ન્યૂઝ
6 મહિના પહેલા
ખ્યાતી કાંડની તપાસ સીબીઆઈને સોંપો : રાજ્યસભામાં શક્તિસિંહની માંગ
ગુજરાત
11 મહિના પહેલા
નશાકારક દવાનું વેંચાણ તો નથી થતું ને? મેડિકલ સ્ટોર્સમાં રાજયવ્યાપી દરોડા, રાજકોટમાં 50થી વધુ ટીમો દ્વારા કાર્યવાહી
ગુજરાત
4 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર