આજે મર્યાદિત બ્રિજમાન્ડલ યાત્રા સાથે સરકારે મુખ્ય આરોપીનું નામ જાહેર કર્યું, નૂહ સહિતના શેહરોમાં કડક જાપ્તો
નૂહની હિંસા કોંગીના મુસ્લિમ ધરાસભ્યએ કરાવી
હરિયાણાના નૂહમાં આજે મર્યાદિત 50 ની સંખ્યામાં બ્રિજમાન્ડલ યાત્રા કાઢવામાં આવી હતી અને નૂહ સહિતના શેહરોમાં લોખંડી જાપ્તો ગોઠવાયો હતો. એ જ રીતે આજે સરકારે નૂહ હિંસાના મુખ્ય આરોપીનું નામ જાહેર કર્યું હતું. મુસ્લિમ ધારાસભ્યએ જ પેહલા હિંસા કરાવી હતી.
રાજ્ય સરકારે આજે વિધાનસભામાં એવી જાહેરાત કરી હતી કે ગત 31 જુલાઇના રોજ નૂહમાં કોંગ્રેસના એમએલએ મામન ખાને કરાવી હતી. ગૃહમંત્રી અનિલ વિજે એમ કહ્યું હતું કે ખાન સામે પૂરતા પૂરાવા પણ છે.
એમને હિંસા માટે કોંગ્રેસને જવાબદાર ગણાવી હતી અને કહ્યું હતું કે અત્યાર સુધી જેટલા લોકોની ધરપકડ થઈ છે તે બધાની તપાસ કરાઇ છે અને કોંગ્રેસ જવાબદાર નીકળી છે.
દરમિયાનમાં આજે તંત્રે માત્ર 50 લોકોને જ પ્રતીકાત્મક યાત્રામાં હાજરી આપવાની મંજૂરી આપી હતી અને તેને પગલે ઈન્ટરનેટ સેવા તેમજ સ્કૂલ કોલેજો બંધ કરી દેવાઈ હતી. ઠેર ઠેર અર્ધસૈનિક દળો અને પોલીસનો પહરો ગોઠવાયો હતો.
કોંગ્રેસસના એમેલએ સામે પૂરતા પૂરાવા હોવાની વાત ખુદ ગૃહમંત્રીએ કરી હતી અને હવે આગળની કાર્યવાહી હાથ ધરાઇ છે. આજે ખાનની પૂછપરછ થઈ રહી છે.