મોરબીના શક્તિ ચોકમાં ગૌરક્ષકોની ટીમ પર 200થી વધુના ટોળાએ કર્યો હુમલો : પોલીસ સામે હોબાળો, જાણો શું છે સમગ્ર મામલો
મોરબીના શક્તિ ચોકમાં વાછરડા ભરેલી ગાડી હોવાની બાતમીને આધારે પીછો કરતા બે ગૌરક્ષકો પર ટોળાએ હુમલો કરી દીધો હતો અને 200થી વધુના ટોળાએ બચાવવા ગયેલા અન્ય ગૌરક્ષકોને પણ માર માયો હતો એટલું જ નહિ પોલીસ ગૌરક્ષકોની પડેલી બે ગાડી પોલીસ મથકે લઈ જતી હતી ત્યારે ટોળાએ પોલીસને રોકી હતી અને ટોળાશાહી સામે પોલીસ લાચાર જોવા મળી હતી બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના શક્તિ ચોક પાસે બઘડાટી બોલી ગયાની માહિતી મળી હતી અને માથાકૂટ થતા મોટી સંખ્યામાં ટોળા એકત્ર થયાની માહિતી મળતા પોલીસની ટીમો દોડી ગઈ હતી.

સ્થળ પર પહોંચતા ગૌરક્ષકોની ટીમ પર ટોળાએ હથિયારો સાથે હુમલો કરી દીધો હતો જે મારમારીમાં ગૌ રક્ષક દિનેશ લોરિયા અને સાગર એમ બે વ્યક્તિને ઈજા પહોંચી હતી તેમજ બંને પર હુમલો થતા અન્ય ગૌરક્ષકોની મદદ માંગવામાં આવી હતી તેના પર ટોળાએ હુમલો કરી દીધો હતો પોલીસ ટીમો ઘટનાસ્થળે દોડી ગઈ હતી જ્યાં ગેસ્ટ હાઉસ રોડ પર અંદાજે 500થી વધુનું ટોળું એકત્ર થઇ ચુક્યું હતું મહિલાઓ સહિતના ટોળાએ પોલીસની હાજરીમાં યા હુશેનના નારા લગાવી હોબાળો કર્યો હતો એટલું જ નહિ હુમલો થતા બે ગાડી મૂકી ગૌરક્ષકો નાસી ગયા હતા જે બંને ગાડીઓ પોલીસ મથકે લઇ જતા પોલીસની ટીમને ટોળાએ રોકી હતી યા હુશેનના નારા લગાવી વાતાવરણ તંગ બનાવી દીધું હતું અને પોલીસ પણ લાચાર બની તમાશો જોતી રહી હતી બનાવ મામલે પોલીસે ફરિયાદ નોંધવા તજવીજ હાથ ધરી છે
શું ઘટના બની હતી ? ગૌરક્ષકે આપી માહિતી
આ પણ વાંચો : સ્માર્ટ મીટર બદલવાનો કોન્ટ્રાક્ટ ખાનગી કંપનીને અપાયો છતાં PGVCLના કર્મચારીઓ પાસે કામ કરાવતા વિરોધ!
ઘટના અંગે ગૌરક્ષક નિમાવત લાલજી જગદીશભાઈએ જણાવ્યું હતું કે ગૌરક્ષકોને બાતમી મળી હતી જેથી ટીમે પીછો કર્યો હતો અને વિસીપરાથી પીછો કરતા હતા અને ખાટકીવાસમાં ગાડી પહોંચતા ત્યાં રોકી પૂછતાં ઘેટા બકરા હોવાનું કીધું હતું પરંતુ બાતમી મળી હતી કે ગાડીમાં વાછરડા ભર્યા છે અને ઓચિતો ટોળાએ બંને ગૌરક્ષકો પર હુમલો કરી દીધો હતો જેથી અન્ય ગૌરક્ષકોને ગ્રુપમાં મદદ માટે મેસેજ કર્યો હતો જેથી અન્ય ગૌરક્ષકો પણ પહોંચી ગયા હતા આશરે 200 થી વધુના ટોળાએ તલવાર, છરી અને ધોકા વડે હુમલો કર્યો હતો તેમજ બચાવવા ગયેલા ગૌરક્ષકો પર પણ ટોળાએ હુમલો કર્યો હતો

પોલીસની હાજરીમાં નારા શા માટે ?
ગૌરક્ષકો પર હુમલો થતા તેઓ બે કાર મૂકી નાસી ગયા હતા પોલીસ પહોંચતા મામલો થાળે પાડી બંને ગાડીઓ પોલીસ મથકે લઈ જતી હતી ત્યારે પોલીસને કામગીરી કરતા ટોળાએ રોક્યું હતું અને નારા લગાવ્યા હતા ધાર્મિક નારા શા માટે લગાવવાની જરૂરત પડી તે મોટો પ્રશ્ન છે એટલું જ નહિ ટોળાએ પોલીસને ગાડીઓ લઈ જવા દીધી ના હતી અને પોલીસ ટીમ લાચાર બની ટોળા સામે રીતસરની ઝુકી ગઈ હતી.

મારામારીની ઘટનામાં ચાર વ્યક્તિને ઈજા પહોંચી
ગૌરક્ષકો પર ટોળાએ હુમલો કર્યાના બનાવમાં ચાર વ્યક્તિને ઈજા પહોંચી હતી જેમાં લાલો ઉર્ફે કૌશિક જગદીશ નિમાવત રહે નાની વાવડી, સાગર કાંતિલાલ પલાણ રહે જલારામ પાર્ક નવલખી રોડ મોરબી તેમજ દિનેશ લોરિયા રહે મોરબી અને મહેબુબ એમ ચાર વ્યક્તિને ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડયા હતા.