અમદાવાદની ગોઝારી ઘટના બાદ લોકોને વિમાનમાં બેસતાં લાગી રહ્યો છે ‘ડર’ : 35% પેસેન્જરોએ ટીકીટ કેન્સલ કરાવી
12 જૂનનો દિવસ અને અમદાવાદની પ્લેન ક્રેશની ઘટનાથી ખાસ કરીને હવાઈમુસાફરી કરનારાઓ હતપ્રભ થઈ ગયા છે.આજે આ ઘટનાને એક સપ્તાહ વીતી ગયું છે તેમ છતાં ગભરાટ હોય 35% પેસેન્જરોએ ફલાઇટની ટીકીટ કેન્સલ કરાવી છે તો 50 ટકા લોકોએ એરઇન્ડિયાની ટિકિટનું કેન્સલેશન કર્યું હોવાનું ટ્રાવેલ એજન્ટોએ જણાવ્યું હતું.

અમદાવાદમાં બનેલી ગોઝારી ઘટનામાં 242 થી વધુ લોકોનાં મૃત્યુ થયા છે.આઠ દિવસ બાદ પણ લોકોના મગજમાંથી આ ઘટના ભુલાઈ નથી.ટ્રાવેલ એજન્ટોના મત અનુસાર એર ઇન્ડિયાની ટિકિટોમાં લગભગ 50 ટકા કેન્સલેશન થયું છે તો અમુક પેસેન્જરોએ તો હવાઈ મુસાફરી કરવી જ નહિ તેવી મનોમન બાધા લઈ લીધી છે.દુર્ઘટનાઓ પછી, લોકોમાં PTSD (Post Traumatic Stress Disorder) પણ વિકસી શકે છે, જે ફોબિયા સાથે સંકળાયેલું હોઈ શકે છે.
જો ફલાઇટમાં જવું જ પડે તો એરઇન્ડિયાની ફલાઇટ સિવાય અન્ય એરલાઇન્સમાં જ જવું,ફલાઇટની મુસાફરી સૌથી સલામત છે એવું લોકો સમજે છે પણ મેઘાણીનગરમાં પ્લેન ક્રેશની ઘટનાથી હવાઈ મુસાફરી માટેનો લોકોનો વિશ્વાસ ડગમગી ગયો છે.એરઇન્ડિયાની ફલાઈટને લઈ સુરક્ષા સામે સવાલો તો એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા સામે મોટો પડકાર ઉભો થયો છે.પ્લેન ક્રેશ બાદ છેલ્લા અમુક દિવસોમાં એરઇન્ડિયાની ફલાઈટમાં જે રીતે ટેક્નિકલ ખામીઓ આવી રહી છે જેના કારણે ઉડાન રદ થઈ રહી છે એ પણ બુકીંગ કેન્સલ કરાવવાનું મોટું કારણ હોવાનું એવિએશનનાં નિષ્ણાંતો માની રહ્યા છે.

ટ્રાવેલ ઓપરેટરોના જણાવ્યા અનુસાર હાલમાં ડોમેસ્ટિક ફ્લાઈટમાં ટ્રાફિકને ઓછી અસર થઈ છે પણ ઇન્ટરનેશનલ પ્રવાસ માટે લોકો ડરી ગયા છે. સામાન્ય રીતે આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ માટે એર ઇન્ડિયાને પસંદ કરતા હોય છે. જ્યારે અમદાવાદની આ ઘટના બની ત્યારબાદ ધડાધડ બુકિંગ હાલ પૂરતા કેન્સલ કરવામાં આવ્યા છે લોકો ટ્રાવેલ કરતી વખતે આઘાતમાં રહેવા ઈચ્છતા નથી.
આ પણ વાંચો : અમદાવાદ વિમાન દુર્ઘટના કાવતરું તો નથી ને? એજન્સીઓએ નવા એંગલથી તપાસ કરી
ટ્રાવેલ ઇન્ડસ્ટ્રીઝ પર ગ્રહણ:કાશ્મીરમાં હુમલો અને પ્લેનક્રેશની ઘટનાથી ફટકો,જન્માષ્ટમીનાં બુકીંગને બ્રેક
ટ્રાવેલ એજન્ટ ફેડરેશનનાં સભ્યો કહે છે કે,ટ્રાવેલ ઇન્ડસ્ટ્રીઝ પર માઠી બેઠી છે.અગાઉ વેકેશન વખતે પહેલગામ પર ત્રાસવાદી હુમલાને પગલે પ્રવાસીઓએ ફરવા જવાના આયોજનો કેન્સલ કર્યા હતા.જેના લીધે 40 ટકા બુકીંગ એ સમયે કેન્સલ થયું હતું.જ્યારે અમદાવાદની પ્લેન ક્રેશની ઘટનાથી લોકો હચમચી ગયા છે.હાલમાં તો નિયમિત થતાં બુકીંગને અસર પહોંચી છે.જૂન મહિનાથી સાતમ આઠમ માટે ટ્રાવેલ પેકેજના બુકીંગ શરૂ થઈ જતા હોય છે જ્યારે હજુ તો ઇન્કવાયરી પણ શરૂ નથી થઈ.

ટોપ ટેનમાં ભારતની એક પણ એરલાઇન્સ નથી:એરઇન્ડિયા તો છેક 84માં ક્રમે
સ્કાયટ્રેકસ વર્લ્ડ એરલાઇનએ તાજેતરમાં વિશ્વની સર્વશ્રેષ્ઠ એરલાઇન્સનું લિસ્ટ જાહેર કર્યું હતું. જેમાં ટોપ 10 એરલાઇન્સમાં ભારતની એક પણ એરલાઇન કંપનીનો સમાવેશ થયો નથી. સૌથી સર્વશ્રેષ્ઠ અને ટોચની એરલાઇન્સ છે કતાર એરવેઝ.જ્યારે એરઇન્ડિયાનું નામ છેલ્લા ક્રમે 84મુ સ્થાન છે તો ઇન્ડિગોએ તેના માપદંડને સુધારતાં 40માંથી 39 માં ક્રમે આવી છે,ત્યારબાદ સ્પાઇસ જેટ અને અકાસાનો નંબર આવે છે.