સૌરાષ્ટ્રમાં સાર્વત્રિક મેઘમહેર : રાજકોટના 9 સહિત સૌરાષ્ટ્રના 22 ડેમોમાં આવ્યા નવા નીર
ગત વર્ષે સારા ચોમાસા બાદ પણ સૌરાષ્ટ્રના ડેમોના તળિયા દેખાવા લગતા જળસંકટના ડાકલા વાગ્યા હતા જો કે, રાજ્યમાં સત્તાવાર રીતે ચોમાસુ બેસતાની સાથે જ સૌરાષ્ટ્રમાં સાર્વત્રિક મેઘમહેર થતા રાજકોટ શહેર જિલ્લાના 9 અને સૌરાષ્ટ્રના 22 ડેમોમાં નવા નીરની આવક શરૂ થઇ છે. ગઈકાલે પડેલા સાર્વત્રિક વરસાદ બાદ રાજકોટને પાણી પૂરું પડતા આજી-1, ભાદરમાં પાણીની આવક શરૂ થઇ છે.

રાજકોટ સિંચાઈ વર્તુળ કચેરી હસ્તકના ડેમો પૈકી રાજકોટ જિલ્લાના 9 સહિત સૌરાષ્ટ્રના 22 જેટલા ડેમોમાં નવા નીર આવવા શરૂ થયા છે જેમાં આજી-1 ડેમમાં 0.10 ફુટ પાણીની આવક થતા ડેમની સપાટી 23.50 ફુટ પર પહોંચી છે. ભાદરમાં પણ 0.79 અને ન્યારી-1માં 0.33 ફુટ ન્યારી-2માં 0.16, મોતીસરમાં 0.31, ફાડદંગ બેટીમાં 0.23, ભાદર-2માં 0.20, ઘેલો સોમનાથમાં 4 ફુટ પાણીની આવક થઇ છે.
આ પણ વાંચો : એર ઇન્ડિયાનું શું થવા બેઠું છે? એક જ દિવસમાં વધુ 7 ફ્લાઇટમાં યાંત્રિક ખામી, ઇન્ડિગોની ફ્લાઇટને બોમ્બની ધમકી
મોરબી જિલ્લાના મચ્છુ-1 ડેમમાં 0.98, મચ્છુ-2માં 1.57, ઘોડાધ્રોઇમાં 4.10, બ્રાહ્મણી-2માં 1.97 ફુટ પાણીની આવક થઇ છે. જામનગર જિલ્લામાં ઉમિયાસાગર ડેમમાં 24 કલાકમાં 0.07 ફુટ પાણી આવ્યું છે. જો કે, દ્વારકા જિલ્લાના એક પણ જળાશયોમાં 24 કલાકમાં પાણીની આવક થઇ નથી. જયારે સુરેન્દ્રનગર જિલ્લામાં વઢવાણ ભોગાવો-1 (નાયકા) ડેમમાં 5.81 ફુટ પાણીની આવક થઇ છે. લીંબડી ભોગવો-2માં 7.81 ફુટ પાણી આવ્યું છે. વાંસલ ડેમમાં 0.33, મોરસલમાં 15.78, સબુરીમાં 18.04, ત્રિવેણી ખાંગામાં 2.62, નિંભણીમાં 2.13 અને ધારી ડેમમાં 8.20 ફુટ પાણી આવ્યાનું સિંચાઇ વિભાગના આંકડા જણાવી રહ્યા છે.