ભારત-પાકિસ્તાન વચ્ચે યુધ્ધ વિરામ થતા ગત સપ્તાહથી બંધ રાજકોટ એરપોર્ટ પર હવે ફલાઇટનું આવાગમન આવતીકાલથી શરૂ થશે. કાલે ત્રણ ફલાઇટ આવશે. બુધવારે ચાર ફલાઈટ આવશે અને ગુરુવારથી દસ ફલાઈટ અને ત્યારબાદ રાબેતા મુજબ સેડયુઅલ શરૂ થવાની સંભાવનાઓ એરપોર્ટ સુત્રોમાંથી મળી રહી છે. સતત વધી રહેલા તણાવ તેમજ લોકોની સલામતિને ધ્યાનમાં રાખી કેન્દ્રીય ઉડ્ડયન મંત્રાલય દ્વારા રાજકોટ સહિત દેશના ૩૨ એરપોર્ટ પર તાત્કાલિક અસરથી મુસાફર વિમાનની ઉડાન ઉપર રોક લગાવી દીધી હતી. આ તમામ એરપોર્ટને ૧૫ મે સુધી બંધ રાખવાનો આદેશ અપાયો હતો. જો કે બન્ને દેશ વચ્ચે સંઘર્ષવિરામ પર સહમતિ સધાઈ જવાને કારણે ૧૨ મેને સોમવારથી જ તમામ એરપોર્ટ શરૂ કરી દેવામાં આવ્યા હતા. રાજકોટની વાત કરવામાં આવે તો સોમવારે એક ફ્લાઈટનું સંચાલન થયું ન્હોતું.
જાણવા મળેલી વિગત પ્રમાણે આવતીકાલે મંગળવારે ઈન્ડિગો એરલાઈન્સની મુંબઈ-રાજકોટ-મુંબઈ વચ્ચેની ફ્લાઈટ દઈ ૨૭૩/૨૭૪ રાજકોટ આવશે અને રાજકોટથી મુંબઈ જશે. જયારે એર ઇન્ડિયાની મુંબઈ અને દિલ્હી માટેની બે ફલાઈટનું આવાગમન થશે. બુધવારના રોજ ઈન્ડિગો અને એર ઈન્ડિયા એરલાઈન્સની બે ફ્લાઈટસ જેમાં મુંબઈ-રાજકોટ-મુંબઈ અને રાજકોટ-દિલ્હી રૂટ પર ઉડશે. બે દિવસ બાદ તા.૧૫ને ગુરુવારથી ઈન્ડિગો એરલાઈન્સની આઠેય ફ્લાઈટ શરૂ થાય તેવી જાહેરાત થઈ છે. જ્યારે એર ઇન્ડિયાની બે ફલાઇટ જ આવશે. એર ઇન્ડિયા વધુ ફલાઇટનું સેડયુઅલ ૧૫ તારીખ પછી જાહેર કરશે.
Related Posts
ખોવાયો છે ધર્મેન્દ્ર…શોધી આપનારને ૫૦૦૦નું ઇનામ
8 મહિના પહેલા