ચંદ્રયાન 3 લેન્ડિંગની 15 મિનિટ કેમ અગત્યની, જાણો મહત્વના પડાવ
ગુરુવારે ચંદ્રયાન-3ના (Chandrayaan-3) પ્રોપલ્શન મોડ્યુલ અને લેન્ડર મોડ્યુલને અલગ કરવામાં આવ્યા હતા, ત્યારથી વિક્રમ લેન્ડર એકલા ચંદ્ર તરફ આગળ વધી રહ્યું છે. આગામી 23 ઓગસ્ટના રોજ ચંદ્ર પર લેન્ડિંગ (Landing) પ્રક્રિયા થવાની છે. ત્યારે ચંદ્રયાન-3ને લઇને વરિષ્ઠ વૈજ્ઞાનિક સી એમ નાગરાણીએ (Scientist CM Nagrani) મહત્વની જાણકારી આપી હતી. તેમણે ચંદ્રયાન 3 ના મહત્વના પડાવ વિશે માહિતી આપી હતી. તેમણે જણાવ્યુ હતુ કે લેન્ડિંગ સમયે 30 કિલોમીટર કાપવાનું અંતર એટલે કે 15 મિનિટ ખૂબ મહત્વના અને ક્રિટિકલ હોય છે. સાથે જ તેમણે અન્ય મહત્વની બાબતો પણ જણાવી હતી.
ચંદ્રયાન 3 ના મહત્વના પડાવ
- ISRO એ 14 જુલાઈ 2023 ના રોજ ચંદ્રયાન-3 લોન્ચ કર્યું, તે ભારતનો એક મહત્વપૂર્ણ પ્રોજેક્ટ છે.
- લગભગ 11 દિવસ પછી એટલે કે 25 જુલાઈએ ચંદ્રયાન-3 એ પૃથ્વીની ભ્રમણકક્ષા છોડી દીધી.
- 5 ઓગસ્ટ 2023ના રોજ, ચંદ્રયાન-3 એ ચંદ્રની ભ્રમણકક્ષામાં પ્રવેશ કર્યો.
- 16 ઓગસ્ટ 2023ના રોજ, આ મિશન તમામ દાવપેચ પૂર્ણ કરીને ચંદ્રની નજીક પહોંચી ગયું.
- 17 ઓગસ્ટ 2023 ના રોજ, ચંદ્રયાન-3 ના પ્રોપલ્શન અને લેન્ડર મોડ્યુલ અલગ થયા.
- વિક્રમ લેન્ડરનું પ્રથમ ડિબૂસ્ટિંગ 18 ઓગસ્ટ એટલે કે શુક્રવારે થયું હતું અને તેને ચંદ્રની નજીકની ભ્રમણકક્ષામાં લાવવામાં આવ્યું હતું.