ભારત અને અમેરિકા વચ્ચે શું વાટાઘાટ થશે ? કોણ આવે છે ભારત ? વાંચો
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ 2 એપ્રિલથી રેસિપ્રોકલ ટેરિફ (ટિટ ફોર ટેટ) લગાવવાનું એલાન કરી ચૂક્યા છે. આ પાછળ ટ્રમ્પનો ઈરાદો એવા દેશોની પ્રોડક્ટ પર ટેરિફ લગાવવાનો છે જેઓ અમેરિકન પ્રોડક્ટ પર ભારે ટેરિફ લગાવે છે.
આ કવાયત વચ્ચે હવે ભારત સરકાર અમેરિકા દ્વારા લગાવવામાં આવી રહેલા રેસિપ્રોકલક ટેરિફમાંથી મુક્તિ મેળવવાનો પ્રયાસ કરશે. આ મામલે ચર્ચા કરવા માટે અમેરિકન અધિકારીઓનું એક ગ્રુપ ભારત આવી રહ્યું છે. આ વાતચીતનો હેતુ દ્વિપક્ષીય વેપાર કરાર પર વાટાઘાટો કરવાનો છે.
અમેરિકાથી ભારત આવી રહેલા ગ્રુપમાં અમેરિકાના દક્ષિણ અને મધ્ય એશિયા બાબતોના સહાયક વેપાર પ્રતિનિધિ બ્રેન્ડન લિંચ અને તેમની સાથે અમેરિકન અધિકારીઓની ટીમ 25 થી 29 માર્ચ સુધી ભારતના પ્રવાસે રહેશે.
અમેરિકન દૂતાવાસ દ્વારા આ અંગેની માહિતી આપવામાં આવી હતી. ભારત સરકાર આ દરમિયાન અમેરિકન અધિકારીઓ સમક્ષ એ રજૂઆત કરશે કે ભારતને અમેરિકા દ્વારા લાદવામાં આવતા રેસિપ્રોકલ ટેરિફમાંથી રાહત આપવામાં આવે. આ ટેરિફ 2 એપ્રિલથી લાગુ થવા જઈ રહ્યો છે.