ચારણ જ્ઞાતિનાં બાળકો નેસડામાંથી આવીને પણ નેશનલ-ઈન્ટરનેશનલ કક્ષાનાં વિવિધ કોર્ષ અને વિદ્યાભ્યાસ દ્વારા પોતાની કારકિર્દી ઘડી શકે, ચારણ ચોથો વેદ વણ પડયો વાતું કરે એટલું માત્ર નહીં પરંતુ જ્ઞાન અને વિજ્ઞાન સાથે ટેકનિકલ અને કારકિર્દીલલી અભ્યાસમાં આગળ વધે, આધુનિક શિક્ષણમાં ચારણ સમાજની દિકરીઓ પણ આ આગળ વધે, પુગભર થાય તે હેતુથી રાજકોટમાં આઈશ્રી સોનલમા પ્રેરિત માતુશ્રી હેમુબા મોજઠાનજી મિસણ ચારણ કન્યા છાત્રાલયનું નિર્માણ થશે.
મઢડાનાં આઈશ્રી સોનામાએ વર્ષો પહેલા વ્યસન છોડી શિક્ષણ પ્રાપ્ત કરવા ગામડે ગામડે ફરીને સમાજમાં જાગૃતતા લાવવાનું કામ કરી સમાજને આશીર્વાદ આપ્યા હતા તેમની પ્રેરણાથી જ પ્રેરાઈને આ છાત્રાલયનાં બાંધકામમાં મુખ્ય સહયોગી ધનશ્યામભાઈ મોજદાન મિસણ ચારણી સાહિત્ય અને ચારણત્વનાં વિદ્વાન વક્તા કે જેમનું વિવિધ વિષયો પરનું ૧૧૦૦થી વધુ એપિસોડનું રેકોડીંગ રોજ પ્રસારિત થઈ રહ્યું છે.
ભારતભરમાં કલા, સાહિત્ય અને ફિલ્મ ઈન્ડસ્ટ્રી જેવા વિવિધ ૧૩૬ વિષયો પર ૨૫૦ જેટલા સૌથી વધુ એક્ઝિબિશન કરનાર વિદ્વતજન ધનશ્યામભાઈ મોજદાનજી મિસણ દ્વારા ૫૧,૦૦,૦૦૦ (એકાવન લાખ), ચંદુભાઈ સાબા રામભાઈ જામંગ દ્વારા સ્વ. ઇન્દુબેન ધીરૂભાઈ ગઢવી મેમો. ટ્રસ્ટ દ્વારા ૧૧,૦૦,૦૦૦ (અગિયાર લાખ), ભાણવડનાં સુખ્યાત ડોક્ટર કેશુભાઈ જીવણભાઈ ઝીબા કે જેમણે જૂનાગડ ચારણ સમાજની કન્યા છાત્રાલયમાં પણ હોટલનાં નિર્માણ માટે સહયોગ આપેલ છે તેમનાં ધર્મપત્ની કંચનબા દ્વારા તેમના સુપુત્ર સ્વ. મિનેષભાઈ અને સ્વ. ડો. કેશુભાઈના સ્મણાર્થ કંચનબા કેશુભાઈ ઝીબા દ્વારા ૧૧,૦૦,૦૦૦, સંકુલ નિર્માણદાતાની રકમ મળી છે, શક્તિદાન અંબાદાન ટાપરીયા દ્વારા માતુશ્રી જેઠીબાબેન અંબાદાનજી ટાપરીયા, ચાડધ્રા દ્વારા પાંચ લાખ પંચાવન હજાર ઉપરાંત સમાજનાં અગાઉનાં દરેકે દરેક દાતાઓનાં શુભાષપથી મળેલી રકમથી મેળવાયેલી જમીન ઉપર તા.૨૩ને રવિવારે બપોરે ૩-૦૦ કલાકે જામનગર રોડ પરનાં ઘંટેશ્વર પાર્કહોટલ સામેની સૈનિક સોસાયટી પાસે નવનિર્મિત ખાટુ સ્પામ મંદીરવાળી શેરી, આનંદમથી નર્સિંગ કોલેજની સામે, આ સંકુલનું ભૂમિપૂજન ચારણ સમાજની કુમારિકાઓ સાથે પૂજ્ય મોરારિબાપુના હસ્તે ધરશે.
જેમાં પૂજ્ય પાલુભગત, મઢડાથી ગિરિશ આપા, જનશ્યામભાઈ મિસણ, સાંસદ પરસોત્તમ રૂપાલા, સાંસદ રામભાઈ મોકરીયા, ચારણ અગ્રણીઓ અને જ્ઞાતિજનો ઉપસ્થિત રહેશે. ગઢવી સેવા સમાજ ટ્રસ્ટ વતી પ્રમુખ નરેન્દ્ર જેઠીદાન ઝીબા, ઉપપ્રમુખ શકતિદાન અંભાદાન ટાપરિયા તેમજ સર્વે ટ્રસ્ટીઓ પ્રવીણદાન રોહડિયા, ભગવતભાઈ સોષા, સુખદેવભાઈ બાદાણી, સુભાષદાન સિહાઈચ, ગંભીરદાન બાઠાણી જયદીપભાઈ બારોટે જણાવ્યું છે.