છેલ્લા 5 મહિનાથી જામનગર પોલીસ…Kajal Hindusthaniને મળી જાનથી મારી નાખવાની ધમકી, હર્ષ સંઘવીને કરી રજૂઆત
પોતાના નિવેદનને લીધે અનેકવાર ચર્ચામાં આવેલી સામાજિક કાર્યકર કાજલ હિન્દુસ્તાની ફરી એકવાર ચર્ચામાં આવી છે. જાનથી મારી નાખવાની ધમકી મળવા છતાં પોલીસ ફરિયાદ ન લેતી હોવાનો ગંભીર આક્ષેપ મૂકવામાં આવ્યો છે. કાજલ હિન્દુસ્તાની પોલીસ ફરિયાદ ન લેતા સોશિયલ મીડિયા દ્વારા ગૃહમંત્રીને રજુઆત કરવામાં આવી હતી તેમજ જામનગર પોલીસમાં આજથી 5 મહિના પહેલા લેખીતમાં ફરિયાદ કરવા માટે અરજી પણ કરવામાં આવી હતી.
મને જાનથી મારવાની ધમકી આપી : કાજલ હિન્દુસ્તાની
સામાજિક કાર્યકર કાજલ હિન્દુસ્થાનીએ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને ઉલ્લેખીને ઓનલાઇન ફરિયાદ કરી છે. ટ્વીટર પોસ્ટનાં માધ્યમથી કાજલ હિન્દુસ્થાનીએ પોતાની ફરિયાદમાં ગંભીર આરોપ લગાવ્યા છે. તેમણે ફરિયાદમાં ગુજરાત કોંગ્રેસનાં એક નેતાને ગુંડા તરીકે સંબોધીને લખ્યું કે, ગુજરાત કોંગ્રેસનાં કેટલાંક નેતાઓએ મને જાનથી મારવાની ધમકી આપી છે. કોંગ્રેસનાં આ નેતાઓને ભાજપનાં નેતાઓનું પણ સમર્થન છે.
જામનગર SP પ્રેમસુખ ડેલુંને રૂબરૂ રજુઆત કરી
કાજલ હિન્દુસ્તાનીએ વધુમાં જણાવ્યું હતું કે મે આ મામલે 5 મહિના પહેલા જામનગર પોલીસ ઉપરાંત જામનગર SP પ્રેમસુખ ડેલુંને રૂબરૂ રજુઆત કરી કરી હતી. લોકલ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા છેલ્લા પાંચ મહિના થયા તાપસ ચાલુ હોવાની વાત કરી ફરિયાદ દાખલ કરવામાં આવી નથી.
પોલીસ જ આરોપી ગૂંડા નેતાઓને બચાવે છે
ગુજરાત રાજ્ય DGPની સૂચના છે કે 100 કલાક ની અંદર અસામાજિક તત્વો, ગુંડાઓ,અને ભુમાફિયાઓની માહિતી આપો પણ અમુક નેતાઓ જ ગૂંડા છે અને તેમના વિરુદ્ધ ફરિયાદ લખાવવા જાય તો પોલીસ જ અરજી લઇ ને આરોપી ગૂંડા નેતાઓને બચાવે છે. તો તે પોલીસ વિરુદ્ધ કોને ફરિયાદ કરવી. મારા નંબર વાઇરલ કરી અસામાજિક તત્ત્વો દ્વારા ફોન કરી મારા જીવ નું જોખમ ઉભું કરવામાં આવ્યું છે.
”શુ કારણ છે કે, ગુજરાતમાં ક્રાઈમ એટલા વધી ગયા!”
કાજલ હિન્દુસ્તાનીએ વધુમાં કહ્યું કે, ક્રાઈમ બ્રાન્ચને તપાસ કરવામાં ચાર-ચાર અને પાંચ-પાંચ મહિના લાગે તો મને લાગે છે કે, આ તો આત્મચિંતનનો વિષય છે. શુ કારણ છે કે, ગુજરાતમાં ક્રાઈમ એટલા વધી ગયા છે. મહિલા સન્માન અને સુરક્ષાના વિષયમાં પોલીસ સેસિટીવ કેમ નથી થતી FIR નથી લેતી. અમને નેતાઓ ધમકીઓ આપે તો અમારે કોની પાસે જવાનું. વધુમાં કહ્યું કે, હર્ષભાઈએ કહ્યું છે કે, પોલીસ કામ ન કરે તો કહેજો એટલે આ વાત કઉં છું”