અરવિંદ કેજરીવાલે ગભરાઈને આવતી કાલે કોને બોલાવ્યા બેઠક માટે ? વાંચો
દિલ્હીમાં કારમી હાર બાદ તરત જ આમ આદમી પાર્ટીએ પંજાબમાં રાજકીય ગતિવિધિ ઝડપી કરી દીધી છે. પક્ષપલટાની અટકળો વચ્ચે એવા અહેવાલો છે કે રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે પંજાબના આપના ધારાસભ્યોને દિલ્હી બોલાવ્યા છે અને મંગળવારે એટલે આજે દિલ્હીમાં બેઠક થવાની છે.

તાજેતરમાં કોંગ્રેસે દાવો કર્યો હતો કે મોટી સંખ્યામાં આપના ધારાસભ્યો અન્ય પક્ષોમાં જોડાવા માટે તૈયાર છે. જોકે, આ દાવા અંગે કોઈપણ આપ નેતાએ સત્તાવાર રીતે કંઈ કહ્યું નથી. જો કે પાર્ટી તૂટી જવાનો ખતરો છે તેવા અહેવાલો વચ્ચે ડેમેજ કંટ્રોલની કવાયત થવાની સંભાવના છે.
એવું જાણવા મળ્યું છે કે પાર્ટીના ધારાસભ્યોને મંગળવારે બધાં કામ રદ કરવા અને કપૂરથલા હાઉસ ખાતે યોજાનારી બેઠકમાં હાજરી આપવા માટે કહેવામાં આવ્યું છે. પાર્ટી સાવ તૂટી ન જાય તે માટે કેજરીવાલ દરેક શક્ય પ્રયાસ કરવા માંગે છે .
પંજાબ કેબિનેટની બેઠક જે છઠ્ઠી ફેબ્રુઆરીએ યોજાવાની હતી તે પહેલા 10મી ફેબ્રુઆરી સુધી મુલતવી રાખવામાં આવી હતી. પરંતુ બાદમાં તેને 13મી ફેબ્રુઆરી સુધી મુલતવી રાખવામાં આવી છે. દિલ્હી ગુમાવ્યા બાદ પાર્ટી નેતૃત્વનું ધ્યાન હવે પંજાબ પર છે. એવી શક્યતા છે કે કેજરીવાલ ધારાસભ્યો સાથે મતદારો સાથે જોડાવા વિશે વાત કરી શકે છે.
મધ્ય સત્રી ચુંટણી ?
ગુરદાસપુરના કોંગ્રેસના સાંસદ સુખજિંદર સિંહ રંધાવાએ પંજાબમાં મધ્યસત્રી ચૂંટણીની શક્યતા વ્યક્ત કરી છે. તેમણે જણાવ્યું હતું કે, ‘પંજાબ મધ્યસત્રી ચૂંટણી માટે તૈયાર રહે. પંજાબમાં આપ ધારાસભ્યોનું જૂથ વિખેરાઈ જશે.