ટેકાના ભાવે ઘઉંનું વેચાણ કરવા ઇચ્છુક ખેડૂતોને નોંધણી કરાવી લેવા અનુરોધ
રાજકોટ : ખેડૂતોને તેઓના ઉત્પાદનના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે રવિ માર્કેટીંગ સીઝન 2025-26માં રાજ્ય સરકાર દ્વારા રૂપિયા 485 પ્રતિ મણ ટેકાના ભાવે ઘઉંની ખરીદી ગુજરાત રાજ્ય નાગરીક પુરવઠા નિગમ મારફતે કરવામાં આવનાર છે. જેથી લઘુતમ ટેકાના ભાવે ઘઉંના વેચાણ કરવા ઇચ્છા ધરાવતા ખેડૂતોની ઓનલાઇન નોંધણી સમગ્ર રાજ્યમાં સ્થાનિકે ગ્રામ્ય કક્ષાએ **VCE મારફતે નોંધણી કરાવવાની શરૂઆત કરવામાં આવી છે. જેથી ઘઉંનું ટેકાના ભાવે વેચાણ કરવા માંગતા ખેડૂતોને આનો લાભ લેવા અનુરોધ કરાયો છે.
લઘુતમ ટેકાના ભાવે ઘઉંના વેચાણ કરવા નોંધણી માટે જરૂરી પુરાવા જેવા કે, આધાર કાર્ડની નકલ, અધ્યતન ગામ નમુનો 7, 12, 8-અ ની નકલ, ગામ નમુના 12માં પાક વાવણી અંગે એટ્રી ના થઈ હોય તો પાકની વાવણી અંગેનો તલાટીનો સહી સિક્કા સાથેનો દાખલો. ખેડુતના નામના બેંક ખાતાની વિગત જેમ કે બેંક પાસબૂકની નકલ અથવા કેન્સલ ચેકની નકલ સાથે લાવવાની રહેશે.રાજ્યના ખેડૂતો તેઓનો પાક લઘુતમ ટેકાના ભાવે વેચાણ કરવા ઇચ્છુક હોય તો તેઓની ઓનલાઇન નોંધણી ફરજીયાત હોઇ આ માટે સંબંધિત ગ્રામપંચાયતનો સંપર્ક કરી નોંધણી કરાવવા અનુરોધ કરાયો છે. ટેકાના ભાવે ખરીદી માટે રજીસ્ટ્રેશન કરાવેલ ખેડુતોનું SMS મારફતે ખરીદી અંગેની જાણ કરવામાં આવશે. ખરીદી સમયે ખેડુતે પોતાનું આધારકાર્ડ/ઓળખપત્ર સાથે રાખવાનું રહેશે. ખેડુત ખાતેદારના બાયોમેટ્રીક ઓથોન્ટીકેશન દ્વારા જ જથ્થો ખરીદ કરવામા આવશે.ઘઉં વેચાણની નોંધણીમાં મુશ્કેલી પડે તો હેલ્પલાઇન નંબર 85111 71718 અથવા 85111 71719 ઉપર સંપર્ક કરી શકાશે.