કેન્દ્રના કર્મીઓને સરકારે શું કરી સુવિધાની શરતી ઓફર ? વાંચો
જો તમે સરકારી નોકરી કરો છો તો તમારા માટે ખુશીના સમાચાર છે. તમને 42 દિવસની વધુ રજા મળી શકે છે. તેના માટે બે બાબતો અનિવાર્ય છે. એક તો તમે કેન્દ્ર સરકારના કર્મચારી હોવા જોઇએ. બીજું તમારે તમારું અંગદાન કરવું પડશે. જી હાં, કેન્દ્રના કર્મચારીઓને અંગદાન કરવા પર 42 દિવસની રજા મળશે. આ જાણીને પ્રાઇવેટ નોકરી કરતા લોકો અફસોસ સિવાય બીજું કંઇ કરી શકે તેમ નથી. નેશનલ ઑર્ગન એન્ડ ટિશ્યૂ ટ્રાંસપ્લાન્ટ ઑર્ગેનાઇઝેશનએ આ જાણકારી આપી છે.
મળતી માહિતી અનુસાર નેશનલ ઑર્ગન એન્ડ ટિશ્યૂ ટ્રાંસપ્લાન્ટ ઑર્ગેનાઇઝેશનના ચીફ ડૉ. અનિલ કુમારે જણાવ્યું કે ડીપાર્ટમેન્ટ ઓફ પર્સનલ એન્ડ ટ્રેનિંગ (કર્મચારી અને તાલીમ વિભાગ) આ અંગે પહેલાં આદેશ જાહેર કર્યો છે. તેમણે કહ્યું કે, ‘તાજેતરમાં જ વ્યાપક પ્રચાર અને જાગૃતિ માટે પોતાની વેબસાઇટ પર આદેશ અપલોડ કર્યો છે.’
જોકે ડોનરના શરીરમાંથી અંગ નિકાળવું એક મોટી સર્જરી હોય છે. તેમાં ઠીક થવા માટે સમય લાગે છે. તેમાં હોસ્પિટલમાં ભરતી થવા અને હોસ્પિટલમાંથી રજા મળ્યા બાદનો સમયગાળો બંને સામેલ છે. ડિપાર્ટમેન્ટ ઓફ પર્સનલ એન્ડ ટ્રેનિંગના આદેશમાં કહેવામાં આવ્યું છે કે સરકારે એક ‘વિશેષ કલ્યાણકારી ઉપાય’ના રૂપમાં અંગદાન કરવાનો નિર્ણય કરનાર કેન્દ્ર સરકારના કર્મચારીઓને વધુમાં વધુ 42 દિવસની સ્પેશિયલ કેઝ્યુઅલ લીવ એટલે ખાસ આકસ્મિક રજા આપવાનો નિર્ણય કર્યો છે.