રાજકોટ થી પુરી,કાશી,અયોધ્યા અને પ્રયાગરાજ દર્શન માટે ખાસ યાત્રા ટ્રેન
11 દિવસની યાત્રા માટે આઈઆરસીટીસી દ્વારા બુકિંગ શરુ કરાયું
રાજકોટ
ભારતીય રેલ્વે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન ની રીજીનલ ઓફિસ , અમદાવાદ દ્વારા ભારત સરકારની પહેલ “એક ભારત શ્રેષ્ઠ ભારત ઔર દેખો અપના દેશ” અંતર્ગત અને રેલ્વે મંત્રાલય ના સહયોગથી ગુજરાત રાજ્યમાં પ્રથમ ભારત ગૌરવ પ્રવાસી ટ્રેન ની સફળતા પછી ફરી એક વારભારત ગૌરવ ટ્રેન પુરી ગંગા સાગર સાથે દિવ્યકાશી,અયોધ્યા,પ્રયાગરાજ દર્શનયાત્રા ટ્રેનની જાહેરાત સાથે તેનું બુકિંગ શરૂ થઈ ગયું છે.
આ ટ્રેન 31 ઓક્ટોબર 2023ના રોજ રાજકોટ સ્ટેશનથી ઉપડશે અને 10 નવેમ્બર 2023ના રોજ રાજકોટ પરત ફરશે. આ યાત્રામાં મુસાફરી 11 દિવસની હશે. આ ટૂર પેકેજ માં 2 એસી માટે રૂ.42500, 3એસી માટે રૂ.35000 અને ઇકોનોમી/સ્લીપર ક્લાસ નોન એસી માટે રૂ. 21500 નો ભાવ રાખવા માં આવેલ છે. આ ટ્રેનમાં બુકિંગ કરાવનાર મુસાફરો રાજકોટ-સુરેન્દ્રનગર-સાબરમતી-નડિયાદ-આણંદ- વડોદરાઅને સુરત સ્ટેશનો પરથી મુસાફરી શરુ કરી શકશે તથા સંત હિરદારામ નગર (ભોપાલ) -રતલામ- છાયાપુરી( વડોદરા)- આણંદ-નડિયાદ- સાબરમતી-સુરેન્દ્રનગર- રાજકોટ ઉતરી શકશે અને આ પ્રવાસમાં મુસાફરોને પુરી-ગંગાસાગર-વારાણસી-પ્રયાગરાજ-અયોધ્યા-છપૈયા ના દર્શન કરવાનો લાભ મળશે.આ પેકેજમાં ટ્રેનની ટિકિટ, ભોજન (ચા-નાસ્તો, લંચ અને ડિનર), રોડ ટ્રાન્સપોર્ટ માટે બસની વ્યવસ્થા અને ઇકોનોમી ક્લાસમાં નોન-એસી આવાસ અને નોન-એસી બસ ની વ્યવસ્થા ટૂર એસ્કોર્ટ, કોચ સિક્યુરિટી ગાર્ડ અને હાઉસકીપિંગ સુવિધાઓ ઉપલબ્ધ રહેશે. વધુ વિગતો અને બુકિંગ માટે www.irctctourism.com ઉપરાંત અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ ખાતે આઈઆરસીટીસીની ઓફિસો અને અધિકૃત એજન્ટો દ્વારા પણ બુકિંગ કરાવી શકે છે.