લે બોલો !! 500ની નોટ પર ગાંધીજીની જગ્યાએ અનુપમ ખેરનો ફોટો…નકલી નોટ આપી 1.60 કરોડનું સોનું ખરીદ્યું
બૉલીવુડ અભિનેતા અનુપમ ખેર સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે. કોઈપણ ઘટના તેઓ ઇન્સ્ટાગ્રામમાં શેર કરતાં હોય છે ત્યારે તેમની સોશિયલ મીડિયા પરની એક વિચિત્ર ઘટનાના સમાચાર વાયરલ થઈ રહ્યા છે. જેણે ઘણા લોકોને આશ્ચર્યચકિત કર્યા છે. અમદાવાદમાં બે લોકોએ એક સોનીને રૂ. 500ની નોટો આપી હતી જેમાં મહાત્મા ગાંધીને બદલે બોલિવૂડ અભિનેતા અનુપમ ખેરનો ફોટો દેખાતો હતો. તેઓ આ નકલી નોટનો ઉપયોગ કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. જે પછી ઘણા લોકો તેને ગંભીર ચિંતાનો વિષય ગણાવી રહ્યા છે જ્યારે કેટલાક લોકો આ જોઈને ખૂબ હસી રહ્યા છે. હવે અભિનેતા અનુપમ ખેરે પોતે આ અંગે પ્રતિક્રિયા આપી છે. અહીં તેમના નિવેદન પર એક નજર કરીએ.
2100 ગ્રામ સોના માટે 1.60 કરોડની ડીલ
અમદાવાદના માણેકચોકમાં એક એવી ઘટના બની જેમાં મેહૂલ નામના બુલિયનના વેપારી સાથે લક્ષ્મી જ્વેલર્સના મેનેજર પ્રશાંત પટેલ વચ્ચે 2100 ગ્રામ સોનાની ડિલિવરી આપવા માટે 1.60 કરોડમાં ડિલ થઈ.
500 ના દરની હતી નકલી નોટો
સોનુ તેમણે સીજી રોડ પર એક આંગડિયા પેઢીની ઓફિસ પર મગાવ્યુ જેની સામે રૂપિયા 500 ની દરની 1.30 કરોડની રકમ પણ આપી અને બાકીના 30 લાખ રૂપિયા ઓફિસેથી લઈ જવાનું કહીને બે ગઠિયાઓ ફરાર થઇ ગયા હતા. વેપારીએ તપાસ કરી તો જાણવા મળ્યું કે આ 1.30 કરોડની જે રકમ તેમણે ચુકવી હતી એ તમામ 500 ના દરની નોટો નકલી હતી.
એટલું જ નહીં તેના પર ગાંધીજીના બદલે અનુપમ ખેરનો ફોટો હોવાનું સામે આવ્યું હતું અને સ્ટેટ બેંકના બદલે સ્ટાર્ટ બેંક લખેલા રેપરમાં આ નોટ લપેટાયેલી હતી.

આંગડિયા પેઢીના નામે બનાવટી ઓફિસ
વેપારી સાથે 1.30 કરોડની ડુપ્લીકેટ નોટો આપી ઠગાઈ થતાં પોલીસ ફરિયાદ નોંધાવી છે. ત્યારે પોલીસે તપાસમાં જાણવા મળ્યું છે કે આરોપીઓ સોનું પડાવવા માટે સીજી રોડ પર આંગડિયા પેઢીના નામે બનાવટી ઓફિસ પણ શરૂ કરી હતી. આ અંગે નવરગપુરા પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.

જે બાદ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી ગુનેગારોને શોધવા તપાસ શરૂ કરી હતી. પોલીસ હાલમાં ગુનેગારોને ઓળખવા માટે દુકાનની આસપાસના સીસીટીવી ફૂટેજ જોઈ રહી છે. આ નકલી નોટોને ફોરેન્સિક લેબમાં મોકલવામાં આવી છે. આ ઘટના પર પ્રતિક્રિયા આપતા અનુપમ ખેરે લખ્યું, ‘લો જી કરલો બાત ! પાંચસો રૂપિયાની નોટ પર ગાંધીજીના ફોટાને બદલે મારો ફોટો???? કંઈ પણ થઈ શકે છે!’