ગુજરાતમાં ભારે વરસાદના કારણે અનેક જિલ્લાઓમાં સ્થિતિ અત્યંત ખરાબ થઈ છે. મુશળધાર વરસાદના કારણે અનેક લોકોના ઘરોમાં પાણી ઘૂસ્યા છે તો ડેમો, નદીઓ અને જળાશયો છલકાઈ જતાં નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોને સ્થળાંતરીત કરીને સલામત સ્થળે ખસેડવાની ફરજ પડી રહી છે ત્યારે આ પરિસ્થિતિમાં ભારતીય મહિલા ક્રિકેટટીમની લેફ્ટ આર્મ સ્પિનર રાધા યાદવ પણ ફસાઈ ગઈ. વડોદરામાં આવેલા પૂરના કારણે તેમને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો.
भारतीय क्रिकेटर राधा यादव गुजरात की बाढ़ में फंस गईं थी। एनडीआरएफ की मदद से सुरक्षित निकाली गईं। भारतीय क्रिकेटर ने NDRF का शुक्रिया अदा किया। (Videos: @Radhay21 Instagram Story) pic.twitter.com/Oc7wcgxbde
— Alok Srivastava (@sralok) August 29, 2024
નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF)એ તેમને બચાવ્યા. આ માટે તેણે એનડીઆરએફનો આભાર માન્યો હતો. રાધા યાદવે ઈન્સ્ટાગ્રામ પર એક સ્ટોરી પોસ્ટ કરીને પૂરમાં ફસાયેલા અને બચાવવાની માહિતી આપી હતી. “અમે ખૂબ જ ખરાબ પરિસ્થિતિમાં ફસાયેલા હતા,” તેણે ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરેલા એક વીડિયોમાં કહ્યું. અમને બચાવવા માટે NDRFનો ખૂબ ખૂબ આભાર.” રાધાએ પોસ્ટ કરેલા વીડિયોમાં આસપાસના વિસ્તારો પાણીમાં ડૂબેલા જોવા મળે છે. બચાવ કાર્યકર્તા રાફટ પર સવાર થઈને આવી રહ્યા છે. લોકોને છાતી-ઊંડા પાણીમાં ચાલતા પણ જોઈ શકાય છે.
રાધા યાદવની ટી-20 વર્લ્ડ કપ ટીમમાં પસંદગી
24 વર્ષીય રાધા યાદવ 3 ઓક્ટોબરથી સંયુક્ત આરબ અમીરાતમાં રમાનાર 2024 મહિલા T20 વર્લ્ડ કપ માટે ભારતની 15 સભ્યોની ટીમનો ભાગ છે. ભારત ડિફેન્ડિંગ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયા, પાકિસ્તાન, શ્રીલંકા અને ન્યુઝીલેન્ડના ગ્રુપમાં છે. તે પોતાની પ્રથમ મેચ 4 ઓક્ટોબરે ન્યૂઝીલેન્ડ સામે રમશે.
રાધા યાદવની કારકિર્દી
ડાબા હાથની સ્પિનર રાધા યાદવ છેલ્લે મહિલા એશિયા કપમાં રમી હતી, જ્યાં તેણે બાંગ્લાદેશ સામેની સેમિફાઇનલમાં 3 વિકેટ ઝડપી હતી. રાધા યાદવે ભારત માટે 80 T20 મેચ રમી છે, જેમાં તેણે 90 વિકેટ લીધી છે. તે વનડેમાં વધુ રમી નથી. આમાં તેણે ચાર મેચમાં એક વિકેટ લીધી છે.