Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝ

નિર્ભયાના માતાએ માંગ્યું મમતા બેનર્જીનું રાજીનામું: રાજકારણ ન રમવા અનુરોધ

Sun, August 18 2024

પૂછ્યું,” મમતાએ કોના વિરોધમાં રેલી કાઢી?”

વર્ષ 2012માં સમગ્ર દેશને હચમચાવી નાખનાર ‘ નિર્ભયા કાંડ ‘ની પીડિતાના માતા આશાદેવીએ કોલકત્તાની ઘટના અંગે આઘાત અને રોષની લાગણી પ્રગટ કરી પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીના રાજીનામાની માંગણી કરી હતી. આવવી કરુણ,ક્રૂર અને ધ્રુણાસ્પદ ઘટનામાં પણ રાજકારણ ન રમવા તેમણે મુખ્યમંત્રીના અનુરોધ કર્યો હતો.


આશાદેવીએ કહ્યું કે નિર્ભયાકાંડ 2012માં બન્યો હતો અને તેને આટલા વર્ષ થઈ ગયા છતાં પરિસ્થિતિમાં કાંઈ ફેર નથી પડ્યો. એક યુવાન મહિલા તબીબ દુષ્કર્મ અને હત્યાનો ભોગ બની છે ત્યારે પણ રાજકારણીઓ ગંદા રાજકારણ અને દોષારોપણોમાં વ્યસ્ત છે તે બાબતે તેમના આઘત વ્યક્ત કર્યો હતો.


આશાદેવીએ મમતા બેનર્જી લોકોને ગેરમાર્ગે દોરી રહ્યાનો આક્ષેપ કરી સખત શબ્દોમાં ઝાટકણી કાઢી હતી. આ ઘટના બાદ રાજ્ય સરકાર ઉપર તડાપીટ બોલ્યા બાદ મમતા બેનર્જીએ રેલી કાઢી હતી તેનો ઉલ્લેખ કરી આશાદેવીએ સવાલ કર્યો કે પશ્ચિમ બંગાળનું આરોગ્ય ખાતુ અને ગૃહ ખાતું તથા પોલીસ તંત્ર રાજ્ય સરકારના કાર્યક્ષેત્ર હેઠળ આવે છે તો પછી મમતા બેનર્જીએ રેલી કાઢીને વિરોધ કોનો કર્યો?


તેમણે કહ્યું કે નિર્ભયાકાંડને 12 વર્ષ સુધી ગયા પરંતુ તેમાંથી આપણે કાંઈ જ શીખ્યા નથી. શાસકીય વ્યવસ્થામાં કોઈ સુધારો થયો નથી. તેમણે રાજકારણીઓને ગંદુ રાજકારણ પડતું મૂકી મહિલાઓની સલામતી અને કાયદા સુધારણા ઉપર ધ્યાન આપવા અનુરોધ કર્યો હતો. કોલકાતાના કેસમાં એક કરતાં વધારે આરોપીઓ હોય તો બધાને વીના વીલંબે સજા આપવા અને પીડિતાને ન્યાય અપાવવા તેમણે માગણી કરી હતી. તેમણે વ્યથાભેર જણાવ્યું કે હોસ્પિટલમાં એક મહિલા તબિયત પણ સલામત ન હોય તો સામાન્ય મહિલા કે યુવતી ની સલામતી માટે આપણે શું આશા રાખવી?

કોલકતામાં વિરોધ દબાવવાનો પ્રયાસ સભા અને રેલીઓ પર પ્રતિબંધ

મહિલા તબીબ સાથે બનેલી ઘટના બાદ મમતા સરકાર રક્ષણાત્મક સ્થિતિમાં આવી ગઈ છે. દરરોજ મોટી સંખ્યામાં લોકો વિરોધ પ્રદર્શન માટે રસ્તાઓ પર ઉતરી આવે છે ત્યારે એ વિરોધને ખાળવા માટે કોલકતા પોલીસ કમિશનરે પ્રતિબંધિત આદેશો જાહેર કર્યા હતા. પોલીસે ભારતીય ન્યાય સંહિતા 2023 ની કલમ 163 હેઠળ કોલકતા તેમજ દક્ષિણ 24 પરગણા વિસ્તારમાં પાંચથી વધારે લોકોને એકત્ર થવા પર તેમજ સભા અને રેલીયો યોજવા પર પ્રતિબંધ લાદી દીધો હતો. તારીખ 24 ઓગસ્ટ સુધી આ પ્રતિબંધ અમલમાં રહેશે. નોંધનીય છે કે મહિલા તબીબ પર જ્યાં અત્યાચાર થયો એ હોસ્પિટલમાં ટોળાએ તોડફોડ કરી હતી. એ ઘટનાને રાજ્ય સરકાર કેમ રોકી ન શકી તેવો અદાલતે પણ સવાલ કર્યો હતો. બાદમાં હજુ પણ વધુ હિંસક દેખાવો અને તોફાનો થઈ શકે છે તેવા ઇન્ટેલિજન્સ રિપોર્ટ બાદ આ પ્રતિબંધો લાદવામાં આવ્યા આવવાનું પોલીસ કમિશનરે જણાવ્યું હતું.

ખોટી માહિતી ફેલાવવા બદલ બે તબીબ અને ભાજપના નેતા ભીંસમાં

મહિલા તબીબ પરના દુષ્કર્મ અને હત્યાના બનાવ બાદ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર ફેલાવવામાં આવતી અફવાઓ અને ગેરમાહિતીઓ સામે પોલીસે લાલ આંખ કરી બે તબીબો તથા ભાજપના સિનિયર મહિલા નેતાને પૂછપરછ માટે તેડું મોકલ્યું હતું.
પોલીસના જણાવ્યા અનુસાર ડોક્ટર કુણાલ સરકાર અને ડોક્ટર સુબરતા ગોસ્વામીએ આપેલી ખોટી માહિતીઓને કારણે ગેંગરેપ થયો હોવાની અફવા જંગલના દવ માફક ફેલાઈ ગઈ હતી. ડોક્ટર ગોસ્વામીએ કેટલાક પ્રસાર માધ્યમોને આપેલા ઇન્ટરવ્યૂમાં પોતે પોસ્ટમોટમ રિપોર્ટ જોયો હોવાનું જણાવ્યું હતું. પીડિતાના શરીરમાંથી 150 ગ્રામ વીર્ય મળ્યું હોવાનું અને પેડુ તથા કમરમાં ફેક્ચર હોવાનું પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં જણાવાયું હોવાનો તેમણે દાવો કર્યો હતો. જો કે પોલીસે પોસ્ટ મોર્ટમ રિપોર્ટમાં એવો કોઈ ઉલ્લેખ ન હોવાનો ખુલાસો કર્યો હતો. બીજી તરફ ભાજપના સિનિયર મહિલા નેતા અને ભૂતપૂર્વ સાંસદ લોકેટ ચેટરજીએ પીડિતાની ઓળખ જાહેર કરી કાયદાનો ભંગ કર્યો હતો. એ ઉપરાંત તેમણે પણ અનેક ખોટી માહિતીઓ ફેલાવી હોવાનો પોલીસે આરોપ મૂક્યો છે. તેમની સામે બે કેસ નોંધવામાં આવ્યા હતા.

રજ્યોની કાયદો વ્યુવસ્થાની સ્થિતિ પર કેન્દ્રની ચાંપતી નજર

કોલકત્તાની ઘટના બાદ દેશભરમાં તબીબો તથા નર્સિંગ સ્ટાફ અને અન્ય સંગઠનો વિરોધ પર ઉતરી આવ્યા છે ત્યારે રાજ્યોની કાયદો વ્યવસ્થાની સ્થિતિ બગડે નહિ તે માટે કેન્દ્રએ પગલા શરૂ કર્યા છે. ગૃહ મંત્રાલયે તમામ રાજ્યોને તેમના રાજ્યની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે દર બે કલાકે ગૃહ મંત્રાલયના કંટ્રોલરૂમને ઇમેલ, ફેક્સ અથવા whatsapp ઉપર માહિતી આપવાનો આદેશ કર્યો છે. કોઈપણ અનિચ્છનીય ઘટના અંગે કેન્દ્ર સરકારને તાકીદે જાણકારી મળે અને યોગ્ય પગલાં લઈ શકાય તે હેતુથી આદેશ જારી કરવામાં આવ્યો હોવાનું ગૃહ મંત્રાલયે જણાવ્યું હતું.

Share Article

Other Articles

Previous

ભાડલા પેટ્રોલપંપના માલિક પુત્રની મધરાત્રે ડી.એચ.કોલેજ પાસે ધમાલ

Next

રાત્રે ટીવીમાં જોતા ડર લાગે તેવી હોરર થ્રિલર વેબ સીરિઝ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
2 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
12 મહિના પહેલા
ક્રાઇમ
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
2 સપ્તાહs પહેલા
ગુજરાત
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
4 દિવસ પહેલા
ગુજરાત
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ : અરબી સમુદ્રમાં ચક્રવાતી સિસ્ટમ ઉદભવતા ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
2 સપ્તાહs પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
ગુજરાતમાં મેઘરાજા સમયસર જ આવશે : આ તારીખ પછી દક્ષિણના દરિયા કિનારે પહોંચશે, જાણો હવામાન વિભાગની આગાહી
15 કલાક પહેલા
હવે તમે ડાયનાસોર સાથે રમી શકશો-ફોટા પણ પડાવી શકશો! નાનકડા પાડોશી દેશમાં શરૂ થયો એશિયાનો પહેલો જુરાસિક પાર્ક
16 કલાક પહેલા
ભાજપના 60 કોર્પોરેટરોની એક જ વાત, RMCના આરોગ્ય અધિકારીને ઘરભેગા કરો
17 કલાક પહેલા
વિસાવદર બેઠક માટે કેજરીવાલની હાજરીમાં ગોપાલ ઇટાલીયા ભર્યું ફોર્મ : જન આર્શિવાદ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા
17 કલાક પહેલા
Categories

નેશનલ

2153 Posts

Related Posts

ભારતમાં 100 કરોડથી વધુ લોકોને નથી મળી રહ્યું હેલ્ધી ડાયેટ!
હેલ્થ
1 વર્ષ પહેલા
સરકારી જમીન ઉપર સાડીનું કારખાનું !! 40 કરોડની જમીન ખુલ્લી કરાઈ
ગુજરાત
4 મહિના પહેલા
ચાઈલ્ડ પોર્નોગ્રાફી જોવી અને ડાઉનલોડ કરવી POCSO હેઠળ અપરાધ : સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો
ટૉપ ન્યૂઝ
8 મહિના પહેલા
જસદણના ખેડૂત પાસે 15 ટકા વ્યાજ વસૂલી ધમકીઓ આપતા વ્યાજખોર સામે કાર્યવાહી
ગુજરાત
10 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર