મંત્રીપદ આપવું કે નહી એ પક્ષ અને પીએમ નક્કી કરે છે: સાંસદ રૂપાલા
જિલ્લા પંચાયતમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીની બેઠકમાં પહોંચ્યા રૂપાલા: વનીકરણ અને કચરાના યોગ્ય નિકાલ માટે કામ કરવા સૂચન કરતાં સાંસદ
રાજકોટના સાંસદ બન્યા બાદ પરસોતમ રૂપાલા સક્રિય બન્યા છે અને અધિકારીઓ સાથે બેઠકો શરૂ કરી છે. શુક્રવારે પરસોતમ રૂપાલા જિલ્લા પંચાયત ખાતે પહોંચ્યા હતા અને તેમની ઉપસ્થિતિમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીની ગવર્નિંગ બોડીની બેઠકમાં યોજાઇ હતી. આ પહેલા તેમણે મંત્રીપદ બાબતે પત્રકારોને જણાવ્યું હતું કે, મંત્રીપદ આપવું કે નહી એ પક્ષ અને પીએમ નક્કી કરે છે.
સાંસદ બન્યા પહેલીવાર રાજકોટમાં અધિકારીઓની મિટિંગમાં પહોંચેલા રૂપાલાએ મંત્રીપદ વિશે મીડિયાને જણાવ્યું હતું કે, મંત્રીપદ આપવું ન આપવું એ પક્ષ અને પીએમ નક્કી કરે છે. તેમણે કરેલા નિર્ણયનું સ્વાગત કરું છું. મહત્વનું છે કે, લોકસભાની ચુંટણી પૂર્વે એક કાર્યક્રમને લઈને સાંસદ રૂપાલાએ ક્ષત્રિય સમાજ વિશે કરેલી ટિપ્પણીને લઈને વિવાદ સર્જાયો હતો અને ત્યારથી જ રૂપાલાનું કદ વેતરાઈ જશે તેવું ચર્ચાઇ રહ્યું હતું અને તે મુજબ જ રૂપાલાને મંત્રીપદ મળ્યું ન નથી.
જિલ્લા પંચાયત ખાતે યોજાયેલી બેઠકમાં જિલ્લા પંચાયતના નવા બિલ્ડિંગ સહિતના મુદ્દે અધિકારીઓ અને પદાધિકારીઓ સાથે બેઠક યોજી હતી. જેમાં જિલ્લા પંચાયતના નવા બિલ્ડિંગ વિશે પણ માહિતી મેળવી હતી. જ્યારે સાંસદે આ બેઠકમાં વનીકરણ પર ભાર મૂકતાં અધિકારીઓ અને પદાધિકરીઓને ભેગા મળી કામ કરવા જણાવ્યું હતું. ઉપરાંત ગ્રામ્ય વિસ્તારોમાં કચરાના નિકાલ માટે યોગ્ય વ્યવસ્થા ઉભી કરવા પણ સૂચન કર્યું હતું. જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી અંતર્ગત મિશન મંગલમ, મનરેગા, સાંસદ આદર્શ ગ્રામ યોજના, ચાલુ નાણાકીય વર્ષ 2024-25 દરમિયાન