જનતા દળ યુના નેતા ત્યાગીએ શું ધડાકો કર્યો ??
- નીતિશકુમારને ઈન્ડિયા ગઠબંધને વડાપ્રધાનપદની ઓફર કરી હતી
- જનતા દળ યુના નેતા ત્યાગીનો ધડાકો; જો કે નીતિશે ઓફર ઠુકરાવી દીધી છે
કેન્દ્રમાં સરકાર બને તે પહેલા જેડીયુ નેતા કે.સી.ત્યાગીએ તેમના એક નિવેદનથી ભારે ચર્ચા જગાવી દીધી હતી. તેમણે કહ્યું હતું કે જે નેતાઓએ નીતીશ કુમારને ઈન્ડિયા ગઠબંધનના રાષ્ટ્રીય સંયોજક ન બનાવ્યાં તેમને તે વડાપ્રધાન બનાવવાની ઓફર કરી રહ્યા હતા.
અહેવાલ અનુસાર કે.સી.ત્યાગીએ કહ્યું કે ચૂંટણી પરિણામો સામે આવ્યા બાદ ઈન્ડિયા ગઠબંધનના નેતાઓ તરફથી નીતીશ કુમારને વડાપ્રધાન પદની ઓફર કરાઈ હતી પણ તે ઓફર ઠુકરાવી દેવાઈ હતી. નીતિશ કોઈ લાલચમાં પડ્યા નહતા.
ઉલ્લેખનીય છે કે લોકસભા ચૂંટણીમાં બહુમતીના આંકડાને સ્પર્શવામાં ભાજપ નિષ્ફળ રહ્યો છે. જોકે એનડીએની સરકાર બનાવવા માટે જેડીયુઅને ટીડીપીએ ભાજપને ટેકો જાહેર કર્યો છે. ચૂંટણીમાં જેડીયુને 12 લોકસભા બેઠકો મળી છે. જ્યારે ટીડીપીને 16 બેઠક મળી છે. ઈન્ડિયા ગઠબંધનના સૂત્રધાર રહેલા નીતીશ કુમારે સ્પષ્ટતા રીતે કહ્યું છે કે તે એનડીએ સરકારને સમર્થન આપશે.
જેડીયુના કદાવર નેતાએ કહ્યું કે ઈન્ડિયા ગઠબંધનના નેતાઓ દ્વારા નીતીશ કુમાર સાથે કરાયેલા દુર્વ્યવહારને કારણે તેમણે વિપક્ષ સાથે સંબંધ તોડી નાખ્યા છે. જ્યારે જેડીયુને ભાજપ સન્માન આપે છે. આ સાથે જેડીયુ નેતાએ અગ્નિવીર યોજના ઉપર પણ ટિપ્પણી કરતાં કહ્યું કે અમે મોદી સરકાર સમક્ષ આ યોજનાની સમીક્ષાની તથા યુસીસી લાવતા પહેલા તમામ રાજ્યો સાથે વાતચીત કરવાની હિમાયત કરીશું.