સહેલાણીઓ માટે મોટા સમાચાર : સુરતના આ 2 બીચ 7 દિવસ સુધી રહેશે બંધ
સહેલાણીઓ માટે મોટા સમાચાર સામે આવ્યા છે. સુરતના પોલીસ કમિશનર અનુપમ સિંહ ગહલૌતે 1 જૂનથી 7 જૂન સુધી ડુમસ અને સુવાલી બીચની મુલાકાત લેવા પર લોકોને પ્રતિબંધ મૂક્યો છે. સુરતનો ડુમ્મસ અને સુવાલી બીચ હવે 7 દિવસ લોકો માટે બંદ આગામી દિવસોમાં વાવાઝોડાના કારણે ભારે પવન ફૂકાવાનો કારણે લેવાયો નિર્ણય સુરત પોલીસ કમિશનરે હવામાન વિભાગ ને લઈ જાહેરનામું બહાર પાડ્યું છે. તે ઉપરાંત દરિયામાં માછીમારોને નહીં જવા માટે કહેવામાં આવ્યું છે જાહેરનામાનો ભંગ કરાશે તો કાયદેસર ની કાર્યવાહી કરવામાં આવશે. આ હુકમ તા.01/06/2024ના રોજ સવારના 6.00 થી તા.07/06/2024 ના રાત્રિના 12.00 વાગ્યા સુધી અમલમાં રહેશે. તેનો ભંગ કરનાર સજાને પાત્ર થશે.
ભારતીય હવામાન ખાતાની આગાહીને પગલે ગુજરાતના દરિયાકિનારે ભારે પવન ફૂંકાવાની આગાહી છે ત્યારે તકેદારીના ભાગરૂપે લોકોની સુરક્ષા અર્થે શહેર પોલીસ કમિશનર અનુપમ સિંહ ગહલૌત દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.જે અનુસાર સુરત શહેર પોલીસ કમિશનરેટ વિસ્તારમાં સમાવિષ્ટ સુવાલી તથા ડુમ્મસ બીચ વિસ્તારમાં લોકોની અવર-જવર તથા માછીમારો કે સાગર ખેડુઓને દરિયા કિનારે તેમજ દરિયાના પાણીમાં માછીમારી કરવા પર પ્રતિબંધ મૂક્યો છે.
દાંડી અને ડભારી બીચ બંધ રહેશે
અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ વિજય રબારીએ એક જાહેરનામું બહાર પાડ્યું છે. જે અનુસાર સુરત ગ્રામ્ય વિસ્તાર(સુરત શહેર પોલીસ કમિશનરેટની હદ સિવાય)માં સમાવિષ્ટ ઓલપાડ તાલુકાના દાંડી અને ડભારી બીચ તથા અન્ય દરિયા કિનારાના વિસ્તારમાં લોકોની અવર-જવર તથા માછીમારો કે સાગર ખેડુઓને દરિયા કિનારે તેમજ દરિયાના પાણીમાં જવા પર 1થી 7 જૂન સુધી પ્રતિબંધ મૂક્યો છે. આ હુકમનો ભંગ કરનાર સજાને પાત્ર થશે.
ડીસીપી હેતલ પટેલે જણાવ્યું હતું કે, “અમે મુલાકાતીઓને દરિયાકિનારા પર જવા પર પ્રતિબંધ મૂક્યો છે કારણ કે તે વેકેશનનો સમય છે અને આ સમય દરમિયાન ઘણા લોકો દરિયાકિનારા પર ઉમટી પડે છે. અમે લોકોને જૂનના પ્રથમ સપ્તાહ દરમિયાન સુરત શહેરના દરિયાકાંઠાના વિસ્તારોથી દૂર રહેવાની વિનંતી કરીએ છીએ કારણ કે હવામાન વિભાગે ભારે પવન ફૂંકાવાની ચેતવણી આપી છે. અમે માછીમારોને પણ આ સમયગાળા દરમિયાન દરિયાથી દૂર રહેવા વિનંતી કરીએ છીએ.