વડાપ્રધાન મોદીને જાનથી મારી નાખવાની ધમકી ક્યાં મળી ? જુઓ
લોકસભાની ચુંટણી માટે વડાપ્રધાન મોદી સતત પ્રચાર કરવા માટે પ્રવાસ કરી રહ્યા છે ત્યારે ગુરુવારે સવારે એક અજાણી વ્યક્તિએ ચેન્નાઈના પુરસાઈવકમ સ્થિત નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીના કંટ્રોલ રૂમનો ફોન પર સંપર્ક કર્યો હતો અને હિન્દીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મારી નાખવાની ધમકી આપી હતી. આ ફોન એમપીથી આવ્યો હોવાનું તપાસનીશોએ જણાવ્યું હતું.
એનઆઈએના અધિકારીઓએ આ અંગે ચેન્નાઈ પોલીસ અધિકારીઓને જાણ કરી હતી. પોલીસને ધમકી આપનાર વ્યક્તિનો ફોન નંબર પણ આપવામાં આવ્યો છે. ચેન્નાઈ સાયબર ક્રાઈમ પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.
કયા વિસ્તારમાંથી નકલી કોલ આવ્યો?, કયા સિમ કાર્ડનો ઉપયોગ થયો? સાયબર ક્રાઈમ પોલીસ તેને શોધવા સક્રિય છે. ઉલ્લેખનીય છે કે જ્યારે નેશનલ એજન્સીએ વોન્ટેડ ગુનેગારોને પકડવા માટે પોલીસ કંટ્રોલ નંબર જાહેર કર્યા હતા ત્યારે એક રહસ્યમય વ્યક્તિએ તે નંબરનો સંપર્ક કર્યો હતો અને વડાપ્રધાન મોદીને મારી નાખવાની ધમકી આપી હતી.
દરમિયાનમાં સાયબર ક્રાઇમ વિભાગના અધિકારીઓએ મીડિયાને એવી માહિતી આપી હતી કે ધમકીનો ફોન મધ્ય પરદેશથી આવ્યો હતો. આ બારામાં સઘન તપાસ થઈ રહી છે.