સિવિલ હોસ્પિટલમાં રાષ્ટ્રધ્વજનું અપમાન !! ફાટી ગયો તો પણ કોઈના ધ્યાને આવ્યો નહી
રાજકોટની સિવિલ હોસ્પિટલ દિવસેને દિવસે અનેક વિવાદોમાં સંપડાય રહી છે. અનેક કૌભાંડો અને બેદરકારી સામે આવ્યા બાદ પણ તબીબી અધિકારીઓના પેટનું પાણી પણ હલતું નથી અને પોતે આંખ-કાન આડા હાથ કરી લ્યે છે.ત્યારે આવી જ વધુ એક ઘોર બેદરકારી સામે આવી છે. જેમાં હવે તો બેદરકાર તબીબ અને સ્ટાફે રાષ્ટ્રધ્વજનું અપમાન કર્યું છે. જેમાં ઇમરજન્સી બિલ્ડિંગ પર ફરકાવામાં આવેલો રાષ્ટ્રધ્વજ ફાટી ગયો હોવા છતાં કોઈના ધ્યાને આવ્યો નથી અને તેનું હડાહડ અપમાન કરવામાં આવી રહ્યું છે.
પીડીયુ સિવિલ હોસ્પિટલના ઇમરજન્સી વિભાગમાં ગત.26મી જાન્યુઆરીના રોજ તબીબો દ્વારા રાષ્ટ્રધ્વજ ફરકાવી પ્રજાસતાક દિવસની ઉજવણી કરી હતી અને ઉત્સાહભેર ઉજવણી કર્યા બાદ તબીબોએ રાષ્ટ્રધ્વજની કોઈ પણ દેખરેખ રાખવા આવી નથી જેથી રાષ્ટ્રધ્વજ ફાટી જતાં પણ તે કોઈના ધ્યાને આવ્યું નત હતું અને ફાટેલી હાલતમાં રાષ્ટધ્વજ ફરકી રહ્યો છે. જેથી કામ અને સારવારમાં તો તબીબો બેદરકારી દાખવે છે. પરંતુ હવે તો આમાં પણ તબીબોએ બેદરકારી દાખવી છે. અને તેમના કારણે છેલ્લા બે દિવસથી ફાટેલો રાષ્ટ્રધ્વજ ફરકી રહ્યો છે. ખરેખર તો,રાષ્ટ્રધ્વજના ઉપયોગ અને તેને ફરકાવવા માટે એક ધ્વજ સંહિતા બનાવવામાં આવી છે.આ કાયદો ત્રિરંગો ફરકાવવા માટેના નિયમો અને કાયદો નક્કી કરે છે.
આમ જુઓ તો શાનથી લહેરાતો રાષ્ટ્રધ્વજ બધાને ગમે પરંતુ જ્યારે તેનું અપમાન થતું હોય અને તે પણ ગાંધીજીના રાજકોટમાં તો તે કેટલું ચલાવી લેવાય,હોસ્પિટલના સ્ટાફને રાષ્ટ્રધ્વજનું સન્માન રાખવું તો દૂરની વાત છે. પરંતુ ફાટેલા રાષ્ટ્રધ્વજને ઉતારવામાં પણ કોઈને રસ ના લાગી રહ્યો હોઇ તેવું લાગી રહ્યું છે. જેથી આ બાબતે જવાબદાર સ્ટાફ સામે કોઈ કાર્યવાહી કરવામાં આવશે કે કેમ ? તે પણ હાલ ચર્ચાનો વિષય બન્યો છે.