અમદાવાદમાં નરેન્દ્ર મોદી, આનંદીબેન પટેલ અને અમિત શાહ મતદાન કરશે
આગામી તા. 7 મે ના રોજ ગુજરાતમાં ત્રીજા તબક્કાનું મતદાન યોજાનાર છે. વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓ અંતિમ તબક્કામાં હાલ ચાલી રહી છે. વડાપ્રધાન અને રાજ્યપાલ સહિત અનેક રાજકીય નેતાઓ મતદાન કરવા માટે ગુજરાત આવશે.
ભાજપના સુત્રો અનુસાર, વડાપ્રધાન નરેન્દભાઈ મોદી રાણીપની નિશાન સ્કૂલમાં મતદાન કરશે. મોટાભાગે તેઓ સવારે 8.30 કલાકે મતદાન કરશે. નરેન્દ્રભાઈ સોમવારે મોડી સાંજે અમદાવાદ આવી પહોંચશે અને બીજા દિવસે સવારે મતદાન કરશે. જ્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ નારણપુરાની શાળામાં સવારે 9.30 વાગ્યે મતદાન કરશે. ઉત્તર પ્રદેશનાં રાજ્યપાલ આનંદીબેન પટેલ શીલજમાં સવારે 10 વાગ્યે મતદાન કરશે. આ સુત્રોએ કહ્યું હતું કે, સવારે 11 વાગ્યા પહેલા તમામ મોટા નેતાઓ મતદાન કરશે.
આ સિવાય અન્ય વિસ્તારોમાં પણ ભાજપના નેતાઓ સવારના ભાગે જ મતદાન કરશે.