Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
રાજકોટ

પટેલીયા અને બાપુઓએ હરખપદુડા થઈને…..પરેશ ધાનાણીના નિવેદનથી નવો વિવાદ

Mon, April 29 2024

વિવાદ ઉભો થતાં પટેલોને સરદારના વંશજો ગણાવ્યા અને બાપુઓને ક્ષત્રિયો

પુરુષોત્તમ રૂપાલાના મોઢેથી બોલાયેલા રોટીબેટીના શબ્દથી શરુ થયેલો વિવાદ હવે રાજા રજવાડાઓ સુધી પહોચ્યા બાદ હરખપદુડા સુધી પહોચી ગયો છે. રોજ સવાર પડે ને એક નેતા વિવાદી શબ્દો બોલે છે અને પછી તેના ઉપર ક્રિયા-પ્રતિક્રિયા આવે છે. લોકસભાની ચૂંટણીમાં વિકાસની વાતો એક બાજુ રહી ગઈ છે અને વ્યક્તિગત આરોપોની ભરમાર જોવા મળી રહી છે. રાજકોટ કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીએ એક સભામાં પટેલીયા અને બાપુઓ હરખપદુડા હતા તેવું કહીને નવો વિવાદ ઉભો કર્યો છે તો તેની સામે ભાજપના પ્રદેશ પ્રમુખ સહિતના નેતાઓએ પ્રતિક્રિયા આપી છે. સીઆર પાટીલે કહ્યું છે કે, હાર ભારી જતાં કોંગ્રેસના નેતા બફાટ કરી રહ્યા છે.

પરેશ ધાનાણીએ પટેલ અને ક્ષત્રિય સમાજ ભાજપનું સમર્થન કરે છે તેને ટાંકીને કહ્યું હતું કે, પટેલ સમાજ ભાજપને સમર્થન કરે છે. પટેલ અને ક્ષત્રિયોએ ભાજપરૂપી વૃક્ષને પાણી પાઈને વટવૃક્ષ બનાવ્યું. પટેલ અને ક્ષત્રિયોએ હરખપદૂડા થઇને પાણી પાયું. છતાં ભાજપના નેતાઓ પટેલ અને ક્ષત્રિયોની કદર કરતા નથી. સાથે સાથે ધાનાણીએ પાટીદાર આંદોલન વખતે મહિલા પર ભાજપ સરકારે જે અત્યાચાર કર્યા હતા તેનો પણ ઉલ્લેખ કર્યો હતો.

જો કે આ અંગે વિવાદ થયા બાદ પત્રકારોએ પૂછતાં પરેશ ધાનાણીએ પટેલ શબ્દને બદલે સરદારના વંશજો અને ક્ષત્રિયો એવો શબ્દ પ્રયોગ કર્યો હતો.

આ અંગે ભાજપ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે જણાવ્યું હતું કે, કોંગ્રેસ ઉમેદવારે બન્ને સમાજની માફી માગવી જોઈએ. પરેશ ધાનાણીએ બધાની માફી માગવી જોઈએ. ગુજરાતમાં ભાવનગર અને ગોંડલ રાજવીએ પોતાના રજવાડા સરકારને સોંપી દીધા છે. કોંગ્રેસના નેતાઓ હાર ભારી ગયા છે જેથી આ પ્રકારના નિવેદન કરી રહ્યા છે.

ધાનાણીએ શું કહ્યું….

રાજકોટ લોકસભાનાં ઉમેદવાર પરેશ ધાનાણીએ કોંગ્રેસની સભામાં નિવેદન આપ્યું હતું કે, 1995માં આપણે 18 વર્ણ એક થઇ ભ્રષ્ટાચાર નાબુદ કરવા ભાજપનું બી વાવ્યું. બધાયે લોહી પરસેવાના ટીપે સિંચીને વટવૃક્ષ બનાવ્યું. અને એમાં અમે પટેલીયાઓ અને બાપુ બેય હરખપદુડા. ભાજપના બીને દરરોજ ઉઠીને 10 ડોલ પાણી પાયું. કે આ જલ્દી ઝાડ મોટું થાય અને ભરઉનાળે છાંયો મળશે. 2015માં અમારે અખતરો કરવાનો થયો ને ત્યારે ખબર પડી કે વાંહા ફાટી ગ્યા. આ જ ભાજપના નેતાઓ, એની સરકાર, એની સૂચનાથી, એની પોલીસે અમારી મા, બેન, દીકરીઓને મારી મારીને લોટ બાંધી દીધો. એના શીયળની લાજ બચાવવા માટે બોર-બોર જેવડા આંસુ પડે..એના આંસુડા એના અહંકારને ઓગાળી ન શક્યા…હું તે દિવસે કહેતો હતો વારા ફરતી વારો અને મેં પછી ગારો. કોઇ બાકી રહ્યું છે ખરા?

સી.આર. પાટિલે શું કહ્યું …..
આ બાબતે પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, કોંગ્રેસનાં નેતાઓનાં નિવેદનો એને જો શુદ્ધ ગુજરાતીમાં કહીઓ તે બફાટ કરવાનો એમનો સ્વભાવ છે. આજે જ્યારે તેમને ભીંત ઉપર તેમની હાર દેખાઈ રહી છે. અને ગુજરાતમાં તો ક્લીયરકટ 26 સીટ ભારતીય જનતા પાર્ટી જીતી રહી છે. ત્યારે સ્વાભાવિક છે કે કોંગ્રેસ બોખલાહટનાં કારણે ગમે તેવા નિવેદનો કરવા ગમે તે સમાજ માટે, ગમે તે સમાજ માટે ગમે તેવા શબ્દ પ્રયોગ કરવા. ક્ષત્રિય સમાજ માટે પણ રાજા મહારાજા માટે પણ બે દિવસ પહેલા રાહુલ ગાંધીએ કહ્યું કે આ લોકો લૂંટ કરતા હતા. કોઈની પણ જમીન લૂંટી લેતા હતા. તેમને ઈતિહાસ ખબર નથી. સ્વાભિવિક છે કે આખો દેશ જાણે છે કે એમનો રાજકીય ઈતિહાસ જાણવામાં તેમને કોઈ રસ નથી. એટલા માટે એમણે આવી વાત કરી છે.

Share Article

Other Articles

Previous

જાણો આજનું રાશોફળ | 29-04-2024

Next

શુક્રવારે રાજકોટમાં સભા ગજવશે મલ્લિકાર્જુન ખડગે

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
9 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
10 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
10 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
8 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
7 મહિના પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
ઇસરોનું વર્ષ 2026નું પહેલું મિશન ફેલ: યાંત્રિક ખામી સર્જાતાં રોકેટે દિશા બદલી, ડિફેન્સ સહિત 16 ઉપગ્રહ અંતરિક્ષમાં ગુમ થઈ ગયા
2 દિવસ પહેલા
પ્રવાસન તથા હોસ્પિટાલિટી ક્ષેત્રમાં નવી તકો ઊભી કરાશે: ગુજરાત ટુરિઝમ દ્વારા રૂ 250 કરોડનાં 5 MOU એક્સચેન્જ કરાયા
2 દિવસ પહેલા
vibrant summit: સીરામીક સેમિનારમાં રૂ.1460 કરોડના MOU સંપન્ન: સિરામિક ઉદ્યોગમાં ગુણવત્તા-ટકાઉપણું જાળવવા પર ભાર મુકતા પીયુષ ગોયલ
2 દિવસ પહેલા
ભારતના સૌથી મોંઘા છુટાછેડા! જોહોના CEO શ્રીધર વેમ્બુના 28 વર્ષના લગ્નજીવનનો અંત: 15,323 કરોડ જમા કરાવવા કોર્ટનો આદેશ
2 દિવસ પહેલા
Categories

નેશનલ

2789 Posts

Related Posts

અમેરિકામાં ભારતીય મૂળના ત્રણ છાત્રોના અકસ્માતમાં કરૂણ મોત
ઇન્ટરનેશનલ
2 વર્ષ પહેલા
શું છે DDOS સાયબર એટેક, નડિયાદથી ઝડપાયેલા સાયબર ટેરેરિસ્ટે ક્યારે શું કર્યું? જાણો સમગ્ર માહિતી
ક્રાઇમ
8 મહિના પહેલા
રાજકોટના થોરાળામાં પોલીસ અને સ્થાનિકો વચ્ચે ઘર્ષણ, મહિલા કોન્સ્ટેબલ ઇજા,યુવાને પોલીસ દમનનો આક્ષેપ કરીને ફિનાઈલ પીધું…
રાજકોટ
2 વર્ષ પહેલા
ટેસ્ટ શ્રેણીમાં બાંગ્લાદેશના સૂપડા સાફ કરતું શ્રીલંકા
સ્પોર્ટ્સ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર