આચારસંહિતા લાગુ પડતાં જ જિલ્લા પંચાયત થયું સૂમસામ
પદાધિકારીઓની નેઇમ પ્લેટ ઉતારી લેવાઈ: ચેમ્બરોને લાગ્યા તાળાં
શનિવારે ચુંટણીપંચ દ્વારા લોકસભા 2024ની ચુંટણીની તારીખો જાહેર કરી દેવામાં આવી હતી. ચુંટણીનો કાર્યક્રમ જાહેર થતાં જ દેશમાં આદર્શ આચારસંહિતા પણ લાગુ થઈ હતી. જેના પગલે રાજકોટ જિલ્લા પંચાયતમાં તમામ પદાધિકારીઓની ચેમ્બરો પરથી નેઇમ પ્લેટ હટાવી લેવામાં આવી હતી અને ચેમ્બરોને તાળાં લગાવી દેવામાં આવ્યા હતા. સરકારી વાહનોના ઉપયોગ પર પણ પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો હતો અને સરકારી વાહનો કબજે લેવામાં આવ્યા હતા. જ્યારે કચેરીઓમાં લાગેલા મહાનુભાવોના પોસ્ટર-બેનર, ફોટા પણ ઉતારી લેવામાં આવ્યા હતા. જિલ્લા પંચાયતમાં હવે આચારસંહિતા સુધી પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી ચેરમેન સહિતના પદાધિકારીઓની ચેમ્બર સરકાર હવાલે રહેશે. જિલ્લા પંચાયતમાં પદાધિકારીઓની ચેમ્બરોને તાળાં લાગતાં જિલ્લા પંચાયત સૂમસામ બન્યું છે.