Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ધાર્મિક

રાત્રે હનુમાનજીની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા કરાઇ એટલે કહેવાયા “રાતીયા હનુમાન”

Mon, March 11 2024

આમ્રપાલી વિસ્તારમાં આવેલા મંદિરનો રોચક છે ઇતિહાસ: ઓસ્ટ્રેલીયા રહેતા પરિવાર દ્વારા દર પૂનમે કરાવવામાં આવે છે સત્યનારાયણની કથા

રાજકોટમાં હનુમાનજીના અનેક મંદિર આવેલા છે. પરંતુ શહેરના આમ્રપાલી વિસ્તારમાં હનુમાનજી દાદાનું એક એવું મંદિર આવેલું કે જ્યાં હનુમાનજીની મૂર્તિની રાત્રે સ્થાપના કરવામાં આવી હતી અને તેના કારણે હનુમાનજી દાદાને અપાયું “રાતીયા હનુમાનજી” નામ. આજે આ વિસ્તારમાં રાતીયા હનુમાનજીનું મંદિર ખૂબ જ પ્રસિદ્ધ છે. 

શહેરમાં આમ તો સાત હનુમાન, સૂતા હનુમાન, ચમત્કારિક હનુમાન સહિત હનુમાનજી દાદાના અસંખ્ય મંદિર આવેલા છે. જેના ઇતિહાસ પણ રોચક અને રસપ્રદ છે. આમ્રપાલી ટોકીઝ વાળી શેરીમાં આવેલા સુભાષનગર ચોકના ખૂણા પર રાતીયા હનુમાનજી અને શંખેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે. જેનો ઇતિહાસ પણ ઘણો રસપ્રદ છે. વર્ષ 1991માં આ મંદિર બનાવવામાં આવ્યું હતું. તે સમયે આ વિસ્તારમાં મંદિર ન હોવાથી સુભાષનગર, ધ્રુવ નગર અને નહેરુનગર સોસાયટીના લોકોએ મંદિર બનાવવાનો નિર્ણય કર્યો હતો. આ વિસ્તારના લોકોએ જ ફાળો એકઠો કરીને મંદિર બંધાવ્યું હતું. પ્રથમ રાતીયા હનુમાનજી મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી. મંદિરના ઇતિહાસ વિષે અજુબેન ધોળકિયાએ જણાવ્યું હતું કે, સોસાયટીના લોકોને મંદિર બનાવવાનો વિચાર આવ્યો હતો. જેથી આસપાસના વિસ્તારમાં રહેતા લોકો મંદિરમા ભગવાનના દર્શનાર્થે આવી શકે અને ધાર્મિક ઉત્સવો ઉજવી શકે.

આ વિસ્તાર મંદિર બન્યું તે પહેલા એક સત્સંગ મંડળ ચાલતું હતું. જેમાં સત્સંગ કરતી મહિલાઓએ મંદિર બનાવવા માટે ફાળો એકઠો કરવાની શરૂઆત કરી હતી. આ ફાળામાંથી સુભાષનગર ચોકના ખૂણા પર આવેલા કોમન પ્લોટમાં બનેલા મંદિરમાં સૌ પ્રથમ રાતીયા હનુમાનજી દાદાનું મંદિર બનાવવામાં આવ્યું. જેની પ્રાણ પ્રતિષ્ઠા મોરારી બાપુ દ્વારા કરવામાં આવી હતી. રાતીયા હનુમાનજી નામ કઈ રીતે પડ્યું? તેના વિષે જણાવતા “વોઇસ ઓફ ડે” સાથેની વાતચીતમાં અજુબેનએ જણાવ્યું હતું કે, મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા સમયે મોરારી બાપુ રાજકોટ આવ્યા હતા. તેમના હસ્તે હનુમાનજી દાદાની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા કરાવવાની હતી. મોરારી બાપુ રાતના 12 વાગ્યા આસપાસ મંદિરે પહોંચ્યા હતા અને રાત્રે મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. રાત્રિના સમયે મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હોય રાતીયા હનુમાનજી નામ આપવામાં આવ્યું હતું.

આ ઉપરાંત મંદિરના પટાંગણમાં શંખેશ્વર મહાદેવનું મંદિર પણ આવેલું છે. જેની પ્રાણ પ્રતિષ્ઠા દ્વારકાના શંકરાચાર્ય સ્વરૂપાનંદજીના હસ્તે કરવામાં આવી હતી. શંખેશ્વર મહાદેવ મંદિર વિષે એવું કહેવાય છે કે, જ્યારે મંદિરની છત ભરવામાં આવતી હતી ત્યારે તે છત પડી જતી હતી. કોઈ એક વ્યક્તિ મંદિરની છત બનાવવા માટે દાન આપે તો સવારે ભરવામાં આવતી છત સાંજે તૂટી પડતી હતી. બાદમાં વ્યક્તિગત દાન લેવાના બદલે પંચના રૂપિયાથી આ છત ભરવામાં આવી તો તે પડી નહી. આમ લોકો માટે બનેલું આ મંદિર લોકોના રૂપિયાથી જ બન્યું. અહી મહાદેવજીને શ્રદ્ધાળુઓ લીલા નારિયેળ ધરાવે છે. 

આજે મંદિરમાં લોકોને એટલી શ્રદ્ધા છે કે દરરોજ આ વિસ્તાર ઉપરાંત શહેરભરમાંથી શ્રદ્ધાળુઓ અહી દર્શન કરવા માટે આવે છે. મંદિરના સંચાલન માટે શંખેશ્વર મહાદેવ સાઈધામ સેવા સમિતિ બનાવવામાં આવી છે. જેમાં રાજુભાઇ કોયાણી, રમાબેન હેરભા, ધર્મેન્દ્રભાઈ મીરાણી, અજુબેન ધોળકિયા, ધૂળાભાઈ ધોળકિયા સહિતના સભ્યો સેવા આપે છે અને મંદિરમાં તમામ ધાર્મિક ઉત્સવોનું ધામધૂમ પૂર્વક આયોજન કરવામાં આવે છે. જ્યારે મંદિર બન્યું ત્યારથી જ આ મંદિરમાં પૂજારી તરીકે રાજસ્થાનના મહેશભાઇ આચાર્ય પુજા-સેવા કરે છે.

મંદિરના પટાંગણમાં મહાદેવજી, હનુમાનજી સહિત ખોડિયાર માતાજી, સંતોષી માતાજી, રાંદલ માતાજી, અંબાજી માતાજી, ગાયત્રી માતાજીનું પણ મંદિર આવેલું છે. જ્યારે મંદિરમાં દર પૂનમના દિવસે સત્યનારાયણની કથા પણ કરવામાં આવે છે. જેના માટે મૂળ રાજકોટ અને હાલમાં ઓસ્ટ્રેલીયા રહેતા પરિવાર દ્વારા સહયોગ આપવામાં આવે છે. ઉપરાંત પૂનમ અને અગિયારસ નિમિત્તે ફરાળનું પણ આયોજન કરવામાં આવે છે. તો વળી પરષોતમ મહિનામાં વિશેષ આયોજનો કરવામાં આવે છે.

સાઈબાબા મંદિરે ચાલીને આવે છે ભક્તો

રાતીયા હનુમાનજી મંદિર પરિસરમાં સાઈબાબાનું પણ મંદિર આવેલું છે. સાઈબાબા પર શ્રદ્ધા રાખતા અનેક લોકો દર ગુરુવારે શહેરના જુદા-જુદા વિસ્તારોમાંથી ચાલીને પણ દર્શન કરવા આવે છે. ગુરુવારે આવતા ભક્તો માટે વઘારેલા ચણા અને સાંજે ખીચડીનો પ્રસાદ આપવામાં આવે છે.

Share Article

Other Articles

Previous

કડવા અને લેઉવા પાટીદારો વેપારી થઈ ગયા છે

Next

નિસ્વાર્થ ભાવે નિરાધારો માટે ચાલતો અનોખો સેવા યજ્ઞ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
2 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
2 સપ્તાહs પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
4 સપ્તાહs પહેલા
ગુજરાત
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ : અરબી સમુદ્રમાં ચક્રવાતી સિસ્ટમ ઉદભવતા ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
3 સપ્તાહs પહેલા
ગુજરાત
Most Share
ઇન્ટરનેશનલ
અમેરિકાના ન્યુ જર્સીમાં આવેલા વિરાણી જવેલર્સમાં ધોળા દિવસે લૂંટ : લુંટારુઓ લાખો ડોલરના દાગીના લઈને ફરાર
18 મિનિટutes પહેલા
અમને એર ડિફેન્સ સિસ્ટમ આપો : પાકિસ્તાને અમેરિકા પાસે ભીખ માંગી
37 મિનિટutes પહેલા
રાજકોટના મવડી વિસ્તારમાં ઝેપ્ટોના કર્મચારીઓએ પગાર બાબતે કંપનીના બે અધિકારીઓને ફટકાર્યા
53 મિનિટutes પહેલા
રાજકોટની સૂર્યકાંત હોટલના માલિક સામે નોંધાયો ગુનો : રાજસ્થાનના વેઈટરને નોકરીએ રાખ્યા બાદ નોંધણી ન કરાવતાં SOGની કાર્યવાહી
1 કલાક પહેલા
Categories

નેશનલ

2170 Posts

Related Posts

રામકથાની તૈયારીઓ અંતિમ ચરણમાં: 20 કરોડનું વિમાકવચ
રાજકોટ
7 મહિના પહેલા
રાજકોટ સિવિલમાં નાઈટ ડ્યૂટીના મહિલા ડોકટરોને કોઈ ભય નથી,સુરક્ષા મજબૂત છે
રાજકોટ
9 મહિના પહેલા
આજનું રાશિફળ : આજે આ રાશિના જાતકોએ મહત્વના નિર્ણયો લેવામાં ઉતાવળ ન કરવી, ચિંતાઓ વધશે
ધાર્મિક
10 મહિના પહેલા
યુપીમાં ભાજપના ધારાસભ્ય કાશીરામને હુમલા કેસમાં 7 વર્ષની કેદ
ટૉપ ન્યૂઝ
12 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર