આજથી ત્રણ દિવસ : અનંત-રાધિકાનું પ્રી-વેડિંગ સેલિબ્રેશન
બચ્ચન, સલમાન, સહિત દેશ-વિદેશની અનેક હસ્તીઓનો જામનગરમા મેળાવડો
જામનગરના રિલાયન્સ ગ્રીન્સમાં ૧ થી ૩ માર્ચ દરમિયાન અનંત અબાણી અને રાધિકા મર્ચન્ટનું પ્રી-વેડિગ ફક્શન યોજાવાનુ છે. બૉલીવુડ દિગ્ગજો પણ જામનગર પહોંચી ગયા છે.
આ પ્રી-વેડિગ ફંક્શનને લઈ હાલ તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામા આવી ગયો છે. ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા વચ્ચે દેશ-વિદેશના અનેક મહાનુભાવો પહોચી ગયા છે. અનંત અબાણી અને રાધિકા મર્ચન્ટનાં લગ્ન ૧૨ જુલાઈએ મુબઈમા થવાના છે.
આ કાર્યક્રમમા બોલીવુડના દિગ્ગજો અમિતાભ બચ્ચન, અભિષેક બચ્ચન, સલમાનખાન, શાહરૂખખાન, રણબીરકપૂર, આલિયાભટ્ટ, નીતુસિહ, માનુષી છિલ્લર, અને જાન્હવી કપૂર ઉપરાત પોપ આઇકોન રિહાના, અભિનેતા-ગાયક દિલજીત દોસાંઝ અને અરિજિત સિહ પણ પહોચી ગયા છે. ૧૨ જુલાઈએ મુબઈમા અનંત અને રાધિકાના લગ્નના થવાના છે.
અનંત અબાણીએ રાધિકા મર્ચન્ટ માટે પોતાના દિલની વાત કરી
એક ઈન્ટરવ્યૂમા અનત અબાણીએ રાધિકા મર્ચન્ટ માટે પોતાના દિલની વાત કરી છે. રાધિકા મર્ચન્ટના વખાણ કરતા અનંત અબાણીએ કહ્યુ કે, રાધિકાને પામીને હુ ખુશ થયો છુ. તે મારા સપનાની રાણી છે. બાળપણમા મેં વિચાર્યુ હતુ કે, હુ ક્યારેય લગ્ન નહિ કરુ. કારણ કે, હુ મારુ જીવન હમેશા પ્રાણીઓ માટે સમર્પિત કરવા માગતો હતો. પરતુ જ્યારે હુ રાધિકાને મળ્યો, ત્યારે મેં જાણ્યુ તે મારા જેવી જ છે. તેમા પણ પ્રાણીઓ પ્રતિ ઉદારતા અને પાલન-પોષણની ભાવના છે.
અનંત અબાણીએ કહ્યુ કે, મને બાળપણથી જ હેલ્થ ઈશ્યૂઝનો સામનો કરવો પડ્યો છે. રાધિકાએ મારી હેલ્થ કેર જર્નીમાં મારો ભરપૂર સપોર્ટ કર્યો. તે મુશ્કેલમાં મુશ્કેલ સમયમા મારી સાથે પિલરની જેમ ઉભી રહી.
અનંત અબાણી કહે છે કે, રાધિકાએ મને હમેશા તાકાત આપી છે. મારા પરિવારના સપોર્ટને કારણે હુ મારા હેલ્થ ઈશ્યુઝ સામે ઝઝૂમી શક્યો. બાદમા રાધિકાના આવવાથી મને હિમત મળી. મારો પરિવાર મને કહે છે કે, હિમત ન હાર, હમેશા લડતા રહે. લોકો તારા કરતા વધુ દર્દમાં છે. તેથી હુ ભગવાન પાસેથી મળેલી દરેક વસ્તુનો આભાર માનુ છુ. મેં ક્યારેય બીજાની વાતો પર ધ્યાન ન આપ્યુ. ગોસિપ કરવુ લોકોનુ કામ છે. પરતુ મારા માટે મારો પરિવાર અને તેમનો સપોર્ટ મહત્વનો છે.