રાજકોટ રેલનગરમાં ૭ કલાક બધ રહેલા બે મકાનમાંથી રૂા. ૩.૫૦ લાખની ચોરી
રાજકોટ રેલનગરના સાંઈબાબા સોસાયટીમા સાત કલાક માટે રહેલા બે બધ મકાનમા ખાબકેલા તસ્કોએ સોના-ચાદીના દાગીના અને રોકડ સહિત રૂ.૩.૫૦ લાખની મતા ચોરી જતા પ્ર. નગર પોલીસ રેલનગર ખાતે દોડી ગઈ હતી.
સાંઈબાબા સોસાયટી શેરી ન.૪મા દીપકભાઈ નારણભાઈ ચાવડા ઉ.વ.૫૪ તથા તેમના નાનાભાઈ પરેશ બન્ને બાજુબાજુમાં રહે છે. દિપકભાઈ ખાનગી નોકરી કરે છે. પરેશ મેડિકલ સ્ટોરમા નોકરી કરે છે. બન્ને ભાઈ પરિવાર સાથે બપોરે સાડાત્રણ વાગ્યે ભગવતીપરામા આવેલા ખોડિયારનગરમા ભાણેજના લગ્નમા ગયા હતા ત્યારે સાજે ૪-૩૦ વાગ્યે પાડોશીનો ફોન આવ્યો કે તમારા ઘરની ડેલી ખુલી છે. જો કે, કદાચ ખુલી ગઈ હોય અથવા ઉતાવળે બધ કરવાની રહી ગઈ હોય તેવુ માન્યુ હતુ પરતુ રાત્રે ૧૧ કલાકે પરત ફરતા ડેલી ઉપરાત ઘરના રૂમના દરવાજા ખુલ્લા હતા. ઘરમા ચોરી થયાનુ જાણવા મળ્યુ હતુ. તપાસ કરતા કબાટમા રાખેલા સોના ચાદીના દાગીના તેમજ ચાદીના ઘરેણા ચોરાયેલા હતા. આ ઉપરાત પરેશભાઈ જે મેડિકલ સ્ટોરમા નોકરી કરતા હોય તેમના હિસાબના રૂ. ૮૦૦૦૦ રોકડ કબાટમાથી ચોરી થયા હતા. આ બનાવ અગે પ્ર.નગર પોલીસે દિપકભાઈની ફરિયાદ આધારે કુલ ૩.૫૦ લાખની માલમત્તા ચોરાઈ હોવાનો ગુનો નોંધ્યો છે. માત્ર સાત કલાક બધ પડેલા મકાનમા ચોરી થઈ તેના પરથી કોઈ જાણભેદુ જ હોવાની આશકાએ આસપાસના વિસ્તારમા સીસીટીવ ચેક કરીને પ્ર. નગરના પી. આઈ પીઆઈ ભાર્ગવ ઝણકાંટ સહિતના સ્ટાફે વધુ તપાસ શરૂ કરી છે.
કેનેડાના યુવકના લગ્નમા ગઠિયો રૂા.૨.૬૦ લાખની મત્તા ભરેલો થેલો ઉઠાવી ગયો
કાલાવડ રોડ પર મેડ ફોર વીન પાર્ટી પ્લોટમા યોજાયેલા કેનેડાના યુવકના લગ્ન સમારોહમા મહેમાનના સ્વાગમા ઘૂસેલા ગઠીયાએ રૂ.૨.૬૦ લાખ મતા સાથેના થેલાની ચોરી કરી જતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે. તાલુકા પોલીસે વીડિયો કેમેરાના શુટીંગ અને સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે.
મૂળ અમદાવાદના અને હાલ કેનેડામા રહેતા હર્ષદભાઇ ઓધવજીભાઈ મિસ્ત્રી (ઉ.વ.૬૩)એ નોંધાવેલી ફરિયાદમા જણાવ્યુ છે કે તેઓ કેનેડા ખાતે પત્ની હસુમતીબેન, પુત્ર સૌરભ સાથે રહે છે. પુત્રી વૈભવીના લગ્ન થઇ ગયા છે. જે કેનેડા સાસરે છે. પુત્ર સૌરભના આજે મેડ ફોર વીન પાર્ટી પ્લોટમા લગ્ન યોજાયા હતા. બપોરે પાર્ટી પ્લોટના બેકવેટ હોલમા લગ્નવિધિમાં પહોંચ્યા હતા.
લગ્નમા ભેટમા આવેલ દાગીના ઉપરાત રોકડા રૂ.૭૦ હજાર, તેમનો અને પુત્રનો કેનેડાનો પાસપોર્ટ, તેમનુ અને પુત્રનુ આધારકાર્ડ વગેરે એક થેલામા રાખ્યા હતા. જે થેલાને લગ્ન મડપની બાજુમા આવેલા સોફા પર રાખ્યો હતો. લગ્નવિધિ બાદ જોતા આ થેલો ચોરાઇ ગયો હતો.જે અગે તાલુકા પોલીસ મથકમા ફરિયાદ નોંધાવી હતી. પોલીસ તપાસમા જાણવા મળ્યુ કે, પાર્ટી પ્લોટના સીસીટીવી કેમેરા હાલ જાળવણી માટે બધ હાલતમા છે. વીડિયો કેમેરામા તપાસ કરતા ગઠીયો જોવા મળ્યો નથી.