શિક્ષકોને સરવાળા નથી આવડતા !! પરીક્ષાનાં પેપર જોવામાં ભૂલ કરનાર શિક્ષકોને આટલા કરોડનો દંડ
વિધાનસભામાં પાટણના કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલના પ્રશ્નના જવાબમાં આ વિગતો બહાર આવી છે.
વિદ્યાર્થીઓ આખા વર્ષની મહેનતનો નીચોડ પરીક્ષા વખતે ઉત્તરવહીમાં ઉતારે છે પણ આ ઉત્તરવહી ચેક કરનાર શિક્ષક જો ભૂલ કરે તો વિદ્યાર્થીઓના ભાવી ઉપર અસર થાય છે. આ પ્રકારની ઘટનાઓમાં એક વર્ષમાં ૯૨૧૮ શિક્ષકોને બેદરકારી બદલ ૧ કરોડ ૫૪ લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.
વિધાનસભા ગૃહમાં ધોરણ 10, 12ની ઉત્તરવહી મૂલ્યાંકન જેવી ગંભીર કામગીરીમાં સંકળાયેલા 9218 શિક્ષકે છેલ્લાં બે વર્ષમાં બેદરકારી દાખવી હોવાની વિગતો બહાર આવી છે.
વિધાનસભામાં પાટણના કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલના પ્રશ્નના જવાબમાં આ વિગતો બહાર આવી છે. શિક્ષણ મંત્રીએ જવાબ આપ્યો કે, વર્ષ 2022 અને 2023 દરમિયાન ધોરણ 10માં 3350 શિક્ષકો, ધોરણ 12માં 5868 મળી કુલ 9218 શિક્ષકે માત્ર સરવાળો કરવામાં ભૂલ કરી હતી. જેથી શિક્ષણ વિભાગે આવા શિક્ષકોને 1.54 કરોડનો દંડ ફટકાર્યો હતો. આમાં પણ 2022 અને 2023 દરમિયાન ધોરણ 10માં 787 શિક્ષક અને ધોરણ 12માં 1870 મળી કુલ 2657 શિક્ષકે 50.97 લાખથી વધુનો દંડ ભર્યો નથી.