હવે રાહુલ ગાંધીની મુશ્કેલી કેવી રીતે વધી શકે છે ? વાંચો
- કઈ બેઠક ખાલી કરવી પડશે ?
અમેઠીમાં લોકસભાની ચુંટણી હારી ગયા બાદ સલામત સીટ શોધીને કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી કેરળની વાયનાડ બેઠક પરથી ચૂટાયાં હતા પણ હવે એવું લાગે છે કે રાહુલે વાયનાડ બેઠક પણ છોડવી પડશે. અહીં સીપીઆઇ પોતાના ઉમેદવારને લડાવે તેવી શક્યતા છે. આગામી દિવસોમાં આ દિશામાં મોટા ફેરફાર થઈ શકે છે.
એક અહેવાલ મુજબ સીપીઆઇ કેરળના શાસક એલડીએફ જોડાણનો હિસ્સો છે અને સીપીઆઈને તેના મુજબ 4 બેઠકો ફાળવવામાં આવી છે જેમાં વાયનાડ પણ સામેલ છે. સીપીઆઇના મહામંત્રી ડી. રાજાએ મીડિયા સાથેની વાતમાં એમ કહ્યું હતું કે અત્યારે તો કોંગ્રેસને આ બેઠક ખાલી કરવાનું કહેવાયું નથી પણ આગામી સમયમાં આવી શક્યતા રહેલી છે.
2019 ની લોકસભાની ચુંટણીમાં રાહુલ ગાંધી વાયનાડ બેઠક પર 4 લાખ મતોની સરસાઈથી જીતી ગયા હતા. એમણે સીપીઆઇના ઉમેદવારને હરાવ્યા હતા. આ બેઠક પર કોંગ્રેસનો 2009 અને 2014 માં પણ વિજય થયો હતો. સીપીઆઇના ઉમેદવારો બીજા નંબરે રહ્યા હતા.
એવી શક્યતા પણ ચર્ચાઇ રહી છે કે જો રાહુલ ગાંધી આ બેઠક છોડે તો ડી. રાજાના પત્ની અની રાજા વાયનાડ પરથી ચુંટણી લડી શકે છે. અની રાષ્ટ્રીય મહિલા સામખ્યના મહામંત્રી પણ છે. જો કે અત્યારે તો કોંગ્રેસસ સાથે સીટ શેરિંગ અંગે બેઠકો થવાની છે અને ત્યારબાદ પીકચર ક્લિયર થઈ શકે છે. રાજ્ય લેવલ પર અને ત્યારબાદ દીલ્હીમાં હાઇકમાંડ સાથે પણ આ મુદ્દે ચર્ચા થઈ શકે છે.