મોબાઈલ ફોન ખરીદવું સરળ બનશે, કેવી રીતે ? જુઓ
કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સિતારમન આજે મોદી સરકાર -2 નું અંતિમ વચગાળાનું બજેટ રજૂ કરશે. બજેટની રજૂઆત પહેલા સરકારે મોબાઈલ મેન્યુફેક્ચરિંગને લઈને નોટિફિકેશન બહાર પાડ્યું હતું. આ નોટિફિકેશન મુજબ મોબાઈલ મેન્યુફેક્ચરિંગમાં વપરાતા પાર્ટ્સ પર ઈમ્પોર્ટ ડ્યૂટીમાં 5 % છૂટ આપવામાં આવી હતી. નાણા મંત્રાલયના જણાવ્યા મુજબ આ ડ્યૂટિ 15 ટકાથી ઘટાડી 10 ટકા કરવામાં આવી છે. આમ બજેટ પહેલા જ લોકોને સરકારે ખુશ કરી દીધા હતા જેથી મોબાઈલ ફોન સસ્તા થઈ જશે .
આજે કેન્દ્રના વચગાળાના બજેટમાં નાણામંત્રી મહિલાઓ, યુવકો અને ખેડૂતો માટે રાહતરૂપ જાહેરાતો કરી શકે છે. વેપારીઓ અને મોટા બિઝનેસમેનોને પણ બજેટથી ઘણી આશા છે. ખાસ કરીને નાણામંત્રી ઉપભોક્તાઓને રાજી કરવા માંગે છે અને લોકોના ગજવામાં વધુ નાણા રહે તેવો પ્રયાસ કરી શકે છે. પગારદાર વર્ગ અને સરકારી કર્મીઓને પણ ઘણી આશા રહી છે. સરકારી ખર્ચ વધારવા માટે પણ તેઓ પગલાં લેશે. માળખાગત ક્ષેત્રના વિકાસ પર નજર રાખશે.
દરમિયાનમાં ભારતમાંથી નિકાસ પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવા માટે સરકારે મોબાઈલ પાર્ટસ પરની ઇમ્પોર્ટ ડૂતીમાં ઘટાડો કર્યો છે. આવી સ્થિતિમાં એવું માનવામાં આવે છે કે બજેટ પછી ફોનની કિંમતોમાં ઘટાડો આવી શકે છે.
સરકાર દ્વારા જારી કરાયેલા નવા નોટિફિકેશન મુજબ તેમાં બેટરી કવર, મેઈન લેન્સ, બેક કવર અને પ્લાસ્ટિક અને મેટલથી બનેલા મોબાઈલ પાર્ટ્સનો સમાવેશ થાય છે.
આ નિર્ણય આ મહિનાની શરૂઆતમાં તાજેતરના અહેવાલોને અનુરૂપ છે. આ અહેવાલો અનુસાર સરકાર એવા મોબાઈલ પાર્ટ્સ પરની ઈમ્પોર્ટ ડ્યૂટી ઘટાડવાનું વિચારી રહી છે જે હાઈ-એન્ડ મોબાઈલ ફોનના ઉત્પાદનમાં મહત્વની ભૂમિકા ભજવે છે. આ કાપની અસર મોબાઈલ ફોન ઈન્ડસ્ટ્રી પર જોવા મળશે. અંતે બજેટના એક દિવસ પહેલા મોબાઈલ સસ્તા કરતું પગલું લેવાયું હતું.