પત્ની સાથે ઝગડો થતા પતિનો આપઘાત
મવડી પ્લોટ નવલનગર-૯માં રહેતાં ચંદ્રકાંતભાઇ ભીખાભાઇ જેઠવા (ઉ.વ.૪૫)ને પત્નિ ગીતાબેન સાથે ઝઘડો થયા બાદ માઠુ લાગી જતાં ઘરે ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. ચંદ્રકાંતભાઇએ ઘરે અંદરથી રૂમ બંધ કરી છતના હુકમાં ફાંસો ખાઈ લીધો હતો. મોટા ભાઇએ દરવાજો ખખડાવવા છતાં નહિ ખોલાતાં દરવાજો તોડીને જોતાં તે ચદ્રકાંતભાઈ ફાસો ખાધેલી હાલતમાં મળી આવ્યા હતા. આ અંગે ૧૦૮ને જાણ કરાઇ હતી. પણ તેના તબિબે મૃત જાહેર કરતાં પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો. માલવીયાનગર પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી. આપઘાત કરનાર ચંદ્રકાંતભાઇ ત્રણ ભાઇ અને ત્રણ બહેનમાં નાના હતાં અને સંતાનમાં બે પુત્રી અને એક પુત્ર છે.