પરણીતાના આપઘાત કેસમા સાસરિય સામે ગુનો નોંધાયો
શાસ્ત્રીનગરમાં ભરવાડ નવોઢાએ આપઘાતમાં સાસરિયાઓ સામે યુનિવર્સિટી પોલીસે ગુનો નોંધ્યો હતો/ રિક્ષાચાલક ઘુસાભાઈ ભૂંડીયા (ઉ.વ.52)એ કરેલી ફરિયાદમાં સાસુ હંસાબેન,જમાઈ રાજ ભરવાડ, જેઠ સાગરનું નામ આપ્યું હતું. પુત્રી મિતલ ઉર્ફે મધુના લગ્ન આશરે આઠેક માસ પહેલા મીનરલ વોટરનો ધંધો કરતા રાજ સાથે થયા હતા. ગઈ તા. 24નાં પુત્રી મિતલે ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. બનાવ પહેલા મિતલબેને જણાવ્યું હતું કે, આરોપી રાજ અન્ય યુવતી સાથે વાત કરતો હોય અને તેને તે યુવતી સાથે સંબંધ હોય જેની જાણ રાજ પરેશાન કરી ત્રાસ આપે છે. સાતમ- આઠમનાં તહેવાર પહેલા મારકૂટ કરી હોવાનું કહ્યું હતું. તેમજ સાસુ- હંસાબેન પણ બહાર જવા નહી દઈ અને તેના ઘરે આવવા બાબતે પણ હેરાન પરેશાન કરતા હતાં. તેમજ જેઠ-સાગર પણ મિતલ વિરૂધ્ધ રાજને ઉશ્કેરણી કરતો હોવાની તેને વાત કરી હતી. આથી આ ત્રાસથી કંટાળી મિતલબેને આત્મઘાતી પગલું ભરી લીધાનું જણાવ્યું હતું. બનાવ અંગે પોલીસે ગુનો નોંધી વધું તપાસ હાથ ધરી હતી.