હત્યામાં ભારતની કથિત સંડોવણીના પુરાવા ‘ફાઈવ આઈ’ એ આપ્યા હતા
કેનેડા ખાતેના અમેરિકાના એમ્બેસેડર નો ચોકાવનારો ધડાકો
કેનેડામાં શીખ આતંકવાદી હરદીપ સિંઘ ની હત્યા મામલે ભારત અને કેનેડા વચ્ચે રાજદ્વારી યુદ્ધ ફાટી નીકળ્યું છે. હવે સવાલ માત્ર એટલો જ છે કે કેનેડા પાસે ભારતની સંડોવણીના વિશ્વસનીય પુરાવા હતા કે જસ્ટિન ટુડોએ હવામાં જ તીર ચલાવ્યું હતું? ભારતે તો આ આક્ષેપો પહેલેથી ફગાવી જ દીધા છે અને કેનેડાએ કોઈ પુરાવા ન આપ્યા હોવાનો દાવો કર્યો છે. આ સંજોગોમાં બેમાંથી કોણ સાચું એ વિવાદ વકર્યો છે ત્યારે જ કેનેડા ખાતેના અમેરિકાના એમ્બેસેડર ડેવિડ કોહેને મોટો ધડાકો કર્યો હતો. એક ઇન્ટરવ્યૂમાં તેમણે જણાવ્યું કે ભારતની કથિત સંડોવણી અંગે ‘ ફાઈવ આઈ ‘ દ્વારા ઇન્ટેલિજન્સ માહિતી કેનેડાને અપાયા બાદ જસ્ટિન ટુડોએ આ આક્ષેપ કર્યો હતો.
કેનેડાની વિવિધ ન્યુઝ ચેનલો ને આપેલા ઇન્ટરવ્યૂમાં તેમણે કહ્યું કે ભારત સરકાર અને કેનેડાના નાગરિક એટલે કે હરદીપસિંઘ નિજજર ની હત્યા વચ્ચે સંભવિત કડી હોવાની ફાઈવ આઈ ભાગીદારો પાસે ગુપ્ત માહિતી હતી અને એ માહિતી કેનેડા સાથે શેયર કરવામાં આવી હતી. અત્રે એ યાદ કરવું જરૂરી છે કે કેનેડા,યુએસ, યુકે,ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ઇન્ટેલિજન્સ શેયરિંગ સમજૂતી છે અને તે રાષ્ટ્રો ફાઈવ આઈના નામે ઓળખાય છે.
બે દેશ વચ્ચેના વિવાદમાં પહેલેથી એ પ્રશ્ન પૂછાતો રહ્યો હતો કે ભારતની કથિત સંડોવણી સાબિત કરવા માટે કેનેડા પાસે કયા પુરાવા છે અને એ પુરાવા વિશે બીજા કોને કોને જાણકારી હતી? હવે અમેરિકી એમ્બેસેડરના આ ખુલાસા બાદ એ સ્પષ્ટ બન્યું છે કે ફાઈવ આઈના તમામ દેશો પાસે આ માહિતી હતી. નોંધનીય છે કે અમેરિકા તરફથી પ્રથમ વખત સત્તાવાર રીતે આ ખુલાસો થયો છે. આ મુદ્દે કેનેડા અને અમેરિકા વચ્ચે ખૂબ લાંબો સંદેશા વ્યવહાર થયો હોવાનું પણ ડેવિડ કોહેને જણાવ્યું હતું. આ અગાઉ અમેરિકાના વિદેશ મંત્રી એન્ટોની બ્લીનકેને પણ હત્યાની જવાબદારી નક્કી થાય એ માટે તપાસમાં કેનેડાને ભારત પૂરતો સહકાર આપે એવો અનુરોધ કર્યો હતો.
અમેરિકા કેનેડાને હત્યાનો પહેલેથી ‘ ભય ‘ હતો?
હરદીપ સિંઘની હત્યા થઈ તે પહેલા જ ખાલીસ્તાન સમર્થક નેતાઓની હત્યા થઈ શકે છે એવી અમેરિકા પાસે માહિતી હતી. અમેરિકન શીખ સમુદાયના કેલિફોર્નિયા સ્થિત નેતા પ્રીતપાલ સિંહ ને રૂબરૂ મળીને એફબીઆઇના એજન્ટોએ તેમની હત્યા થવાનો ભય હોવાની ચેતવણી આપી સાવચેત રહેવા જણાવ્યું હતું. અમેરિકાના અન્ય બે શીખ નેતાઓએ પણ એફબીઆઈ એ તેમનો સંપર્ક કરી આવી જ ચેતવણી આપી હોવાનો દાવો કર્યો હતો. બીજી તરફ કેનેડિયન ઇન્ટેલિજન્સ એજન્સી એ પણ નિઝર અને અન્ય ખાલીસ્તાન સમર્થક નેતાઓની જિંદગી ઉપર જોખમ હોવાથી ચેતવણી આપી હોવાનો બ્રિટિશ કોલમ્બિયા ગુરુદ્વારા કાઉન્સિલના સભ્ય મોહીંનદર સિંઘે દાવો કર્યો હતો
કેનેડામાં વંશીય રક્તપાત નો ભય.
જસ્ટિન અને લિબરલ પાર્ટીના ભારતીય મૂળ ધરાવતા સાંસદ ચંદ્ર આર્ય એ કેનેડાના સૌથી વધુ પ્રતિષ્ઠિત અખબારનો હવાલો આપીને કેનેડામાં વંશિયા રક્તપાત થવાનો અને હિન્દુઓ જ તેનો ભોગ બનવાનો વ્યક્ત કર્યો હતો. એક ઇન્ટરવ્યૂમાં તેમણે જાહેરમાં કહ્યું કે શીક આતંકવાદીઓ હિન્દુઓને કેનેડા છોડી જવાની ખુલ્લી આમ ધમકી આપે છે. આ અગાઉ ખાલી સ્થાને રેલીમાં ઇન્દિરા ગાંધીની હત્યાનો પ્લોટ સામેલ કરવામાં આવ્યો હતો. તેમણે કહ્યું કે આવી આતંકી પ્રવૃત્તિનો ફ્રીડમ ઓફ સ્પીચ ના ઓછા હેઠળ બચાવ કરવો એ તો આતંકવાદને વધુ પ્રોત્સાહન આપ્યું જ ગણાય.
