યુપીઆઈ વ્યવહાર ઉપર 0.3% ચાર્જ લાગુ થઈ શકે, આમ જનતાને મુક્તિ
એક અઠવાડિયામાં નોટિફિકેશનની શક્યતા, ફક્ત મોટા વેપારીઓ પાસેથી જ ચાર્જ વચૂલવામાં આવશે
યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ (UPI) પર મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ (MDR) ફરીથી લાગુ કરવાની તૈયારી સરકાર કરી રહી છે. સૂત્રો અનુસાર, ₹2,000 અને તેનાથી વધુ મૂલ્યના UPI ટ્રાન્ઝેક્શન પર 0.3% MDR એટલે કે ચાર્જ નક્કી થવાની સંભાવના છે, અને આ અંગેની ગેઝેટ નોટિફિકેશન આગામી એકથી બે અઠવાડિયામાં જાહેર થઈ શકે છે. જોકે આમ જનતા પાસેથી આવો કોઈ ચાર્જ વસૂલવામાં આવશે નહીં અને માત્ર મોટા વેપારીઓને જ લાગુ થશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, થોડા સમય પહેલા નાણામંત્રી નિર્મલા સહિતના કેન્દ્રીય મંત્રીઓએ એવી ચોખવટ કરી હતી કે, આમ જનતા પાસેથી યુપીઆઈના વ્યવહાર માટે કોઈ ચાર્જ વસૂલવાની સરકારની ગણતરી નથી.
આ પણ વાંચો: ભારતને શાંતિ જોઈતી હોય તો યુદ્ધની તૈયારી કરો
ડિપાર્ટમેન્ટ ઑફ ફાઇનાન્સિયલ સર્વિસિસ આગામી એક અઠવાડિયામા નોટિફિકેશન જારી કરી શકે છે, જેમાં કયા ઇલેક્ટ્રોનિક પેમેન્ટ મોડ્સને ચાર્જથી સ્ટેટ્યુટરી સુરક્ષા મળવાનું ચાલુ રહેશે તે સ્પષ્ટ કરવામાં આવશે. ત્યારબાદ નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઑફ ઇન્ડિયા (NPCI)ની અધ્યક્ષતાવાળી UPI એન્ડ સર્વિસિસ સ્ટીયરિંગ કમિટી MDRનું ક્ષેત્ર, માળખું અને દર નક્કી કરશે.
ટેક્સેશન એન્ડ અધર લૉઝ (અમેન્ડમેન્ટ) બિલ, 2026 સંસદમાં પસાર થયા બાદ સરકારે પેમેન્ટ એન્ડ સેટલમેન્ટ એક્ટ 2007ની સેક્શન 10Aમાં સુધારો કરીને આ માટેનો કાનૂની માર્ગ મોકળો કર્યો છે. આ સુધારો શૂન્ય-MDR વ્યવસ્થાને ફેરવવા સરકારને સક્ષમ બનાવે છે.
મુખ્ય મુદ્દા
ગ્રાહકો માટે મફત: વપરાશકર્તાઓને કોઈ ટ્રાન્ઝેક્શન ચાર્જ લાગશે નહીં. પર્સન-ટુ-પર્સન (P2P) ટ્રાન્ઝેક્શન સંપૂર્ણ મફત રહેશે.
મર્યાદિત અસર: MDR ફક્ત મોટા વેપારીઓ અને ઉચ્ચ-મૂલ્યના (સામાન્યતઃ ₹2,000થી વધુ) વ્યવસાયિક ટ્રાન્ઝેક્શન પર લાગુ થવાની શક્યતા છે. નાના વેપારીઓ (ટર્નઓવર ₹1-1.5 કરોડ સુધી) અને કિરાણા સ્ટોર્સ જેવા નાના વેપારીઓને મુક્તિ મળવાની અપેક્ષા છે.
