ગુજરાતના 207 જળાશયો છલકાયા, સરદાર સરોવર 65% ભરાયું, 6 ડેમ હાઈ એલર્ટ પર
ગુજરાતમાં ચોમાસાના જોરદાર વરસાદે રાજ્યના ડેમ અને જળાશયોને ફરી જીવતા કર્યા છે. સત થઈ રહેલી પાણીની આવકથી સરદાર સરોવરથી લઈને ઉકાઈ સુધીના મોટા ડેમોમાં પાણીનું સ્તર ઝડપથી વધી રહ્યું છે. હાલ રાજ્યના કુલ 207 જળાશયોમાં સરેરાશ 47% થી વધુ પાણી સંગ્રહાયું છે. વધતા જળસ્તરને કારણે તંત્રએ 6 ડેમને હાઈ એલર્ટ પર મૂક્યા છે. ખેડૂતો માટે પાણીની ચિંતા હવે ઓછી થઈ છે, પણ વહીવટી તંત્ર હવે પૂરની સ્થિતિને લઈને સતર્ક બન્યું છે.
રાજ્યના 186 જળાશયો 70% ભરાયા, 6 ડેમ પર હાઈ એલર્ટ
રાજ્યમાં સક્રિય ચોમાસાના કારણે જળાશયોમાં પાણીની ભરપૂર આવક થઈ રહી છે. રાજ્યના કુલ 207 જળાશયોમાં અત્યાર સુધીમાં 47.72% પાણીનો સંગ્રહ થઈ ચૂક્યો છે. જેમાંથી 186 જળાશયો 70% થી વધુ ભરાઈ ગયા છે. જળસ્તરમાં સત વધારાને પગલે તંત્રએ 6 ડેમને હાઈ એલર્ટ પર રાખ્યા છે. આ ઉપરાંત 7 ડેમ 80-90% ભરાયા હોવાથી એલર્ટ અને અન્ય 7 ડેમ 70-80% ભરાયા હોવાથી ચેતવણી જાહેર કરવામાં આવી છે.
ઝોન પ્રમાણે કેવી છે સ્થિતિ
વિવિધ ઝોનમાં પણ પાણીની સ્થિતિ સુધરી છે. મધ્ય ગુજરાતના 17 ડેમ 50.37% ભરાયા છે. ઉત્તર ગુજરાતના 15 ડેમમાં 39.70% અને દક્ષિણ ગુજરાતના 13 ડેમમાં 35.46% પાણી છે. સૌરાષ્ટ્રના 141 જળાશયો 33.34% અને કચ્છના 20 ડેમ 25% ભરાયા છે. વરસાદને પગલે આગામી દિવસોમાં આ આંકડો વધુ વધવાની શક્યતા છે.
આ પણ વાંચો: દેશના પૂર્વ ગૃહ સચિવે ભેટ આપેલું 5 કરોડનું સોને મઢેલું રામચરિતમાનસ ભેદી રીતે ગાયબ
સરદાર સરોવરમાં 50 હજાર ક્યુસેકની આવક, સપાટી 126.43 મીટર
રાજ્યના સૌથી મોટા સરદાર સરોવર નર્મદા ડેમમાં ઉપરવાસમાંથી પાણીની મોટી આવક થઈ રહી છે. મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં પડી રહેલા વરસાદના કારણે ડેમમાં હાલ 50,616 ક્યુસેક પાણી આવી રહ્યું છે. જેના લીધે ડેમની સપાટી વધીને 126.43 મીટરે પહોંચી છે. છેલ્લા 24 કલાકમાં જ 24 સે.મી.નો વધારો થયો છે. હાલ ડેમ અંદાજે 65% ભરાયો છે અને RBPH ના બે પાવર હાઉસ દ્વારા વીજ ઉત્પાદન પણ શરૂ છે.
ઉકાઈ ડેમ 309.78 ફૂટ, 800 ક્યુસેક પાણી છોડાયું
દક્ષિણ ગુજરાતના ઉકાઈ ડેમમાં પણ પાણીની જોરદાર આવક નોંધાઈ રહી છે. ડેમમાં હાલ 39,548 ક્યુસેક પાણી આવી રહ્યું છે અને સપાટી 309.78 ફૂટ પર પહોંચી છે. જળસંચયનું સંતુલન જાળવવા માટે હાલ ડેમમાંથી 800 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.
તંત્ર સતર્ક, પાણીની ચિંતા હળવી
સતત વરસાદને કારણે ડેમો ઝડપથી ભરાતા રાજ્યમાં પાણીની ઉપલબ્ધિ મજબૂત બનશે તેવી આશા છે. જો કે ભારે વરસાદ અને વધતા જળસ્તરને કારણે સરકારી તંત્ર સત મોનિટરિંગ કરી રહ્યું છે અને જરૂરિયાત મુજબ એલર્ટ જાહેર કરી રહ્યું છે.c
